Photo by Jean Lachat
ગુનાઓના પ્રકાર બદલાયા છે ત્યારે સીકાગો યુનિવર્સિટી યુ.એસ.એ.ના સંયોગથી ૨૪૦ ટ્રેનરને સાયબર સીક્યોરીટીની તાલીમ આપવામાં આવી છે. ટેકનોલોજીના વિકાસ અને અધ્યતન માંગ માટે વ્યવસાયિક તાલીમ માટે ૭૭ એન.સી.વી.ટી. અને ૫૩ જી.સી.વી.ટી.ના અભ્યાસક્રમ અમલી બનાવી રાષ્ટ્રીય કક્ષાની તાલીમ ઘર આંગણે લઇ શકે તેવુ આયોજન કરાયુ છે.
રાસાયણીક કારખાના
ગુજરાતમાં ૭૦૦૦ જેટલા કેમિકલ કારખાનાઓમાં કામ કરતા ૩.૫૦ લાખથી વધુ શ્રમિકોના આરોગ્ય માટે સેફટી એન્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ એન્વાયરમેન્ટ ટેસ્ટિંગ યોજના માટે ચાલુ વર્ષે રૂ.૧૫ કરોડની જોગવાઇ કરી છે જેના ધ્વારા ગંભીર રોગોની ચકાસણી ૨૬ મોબાઇલ લેબોરેટરીથી થશે.
377 કામદારોના મોત
ગુજરાતમાં આશરે ૬૮.૩૯ લાખ જેટલા અસંગઠિત ગ્રામિણ અને શહેરી શ્રમયોગીઓના અકસ્માતના અવસાનના કિસ્સાઓમાં કુટુંબીજનોને સામાજિક સુરક્ષા કવચ આપવામાં આવે છે. આ અંગે ગત વર્ષે ૩૭૭ લાભાર્થીઓને રૂ.૩૭૭ લાખનું ચુકવણું વીમા નિયામક ધ્વારા કરવામાં આવ્યુ હતુ. ચાલુ વર્ષ ૨૦૧૯–૨૦ માં કુલ રૂ.૧૩૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.૯ (નવ) કરોડનું પ્રિમિયમ સદર વર્ષ માટે વીમા નિયામકને ભરવામાં આવેલો છે.
૨૦૧૮–૧૯માં રાજ્યની રોજગાર કચેરીઓ ધ્વારા ૧૦૧૪ રોજગારી ભરતી મેળા ધ્વારા ૩,૬૭,૦૫૪ ઉદેમદારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૯૪૮૦ ભરતીમેળા યોજીને ૧૬,૧૯,૬૭૮ યુવાનોને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવામાં આવી છે. આ માટે રૂ.૧૧ કરોડ ૩૧ લાખનો ખર્ચ થયો છે.
શ્રમ અને રોજગાર વિભાગને ૨૦૧૯–૨૦ માટે રૂ.૧૪૭૧ કરોડ આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ગુજરાત રાજ્યના ૬૪,૨૦૫ યુવાનોને કૌશલ્ય બધ્ધ કરાશે. આ માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૦૨થી રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે હોય એવો દાવો ભાજપ સરકાર દ્વારા કરાય છે.
૨૦૧૮–૧૯ માં રાજયની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૩,૬૭,૦૫૪ ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી છે. આ ઉમેદવારોમાં મહિલાઓ ૪૯,૩૫૮ છે. જે પૈકી ૧૦૧૪ રોજગાર ભરતીમેળાઓના આયોજન થકી ૨,૨૯,૮૭૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલી છે. આ ભરતીમેળાનો ખર્ચ રૂ.૨,૬૪,૦૮,૮૯૩ થયેલો છે.
આઈટીઆઈ
કારીગર તાલીમ યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં શ્રમ અને રોજગાર વિભાગે ૧૪૦ સરકારી આઇટીઆઇઓ અને આશરે ૮૪,૫૧૨ બેઠકોનો વધારો કરેલો છે જેના કારણે હાલમાં ૨૮૭ સરકારી આઇટીઆઇઓમાં કુલ ૧,૪૯,૮૩૨ બેઠકોની ક્ષમતા વધારી છે.
1 કરોડ કડીયાઓને રૂ.10માં ભોજન
રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૬,૮૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. મકાનબાંધકામ તથા અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને કામના સ્થળે અથવા કડીયા નાકા ઉપર રાહત દરે પૈષ્ટિકભોજન માત્ર ૧૦ રૂપિયામાં આપવાની શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ૯૮.૭૩ લાખને ભોજન કરાવવામાં આવ્યુ છે. આ માટે ચાલુ વર્ષ ૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકોના બાળકોને સ્થળાંતર વાળા જિલ્લાઓમાં શિક્ષણ માટેની હોસ્ટેલ યોજના માટે રૂ.૧૦ કરોડ તેમજ બાંધકામ સાઇડ પર ધનવંતરી આરોગ્ય રથ, મોબાઇલ વાન ધ્વારા ૧૧,૬૪,૦૬૧ બાંધકામ શ્રમિકોની આરોગ્ય તપાસ કરી પ્રાથમિક સારવાર અને દવાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગની મહત્વની જોગવાઇઓ
- પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.૭૮.૨૩ કરોડની જોગવાઇ
- ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં નવીન ટેકનોલોજી આધારિત મશીનરી/ સાધનોની ખરીદી માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ.
- ભરતીમેળાઓનું આયોજન કરવા માટે રૂ.૩.૭૬ કરોડની જોગવાઇ
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રૂ.૧૬,૮૦૦ લાખની જોગવાઇ
- શ્રમિકોને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન પુરુ પાડવા માટે કુલ રૂ.૨૫ કરોડની જોગવાઇ
- બાંધકામ શ્રમિકોના શિક્ષણ માટે રૂ.૨૦૦૦ લાખની નાણાંકીય જોગવાઇ
- સેફટી એન્ડ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ એન્વાયરમેન્ટ ટેસ્ટિંગ (સચેત) યોજના માટે ચાલુ વર્ષે રૂ.૧૫ કરોડની જોગવાઇ
- ગુજરાત સામુહિક જુથ (જનતા)અકસ્માત વીમા યોજના (શ્રમિક) માટે રૂ.૧૩૭૬ કરોડની જોગવાઇ
- બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી પ્રત્યે જનજાગૃતિ માટે રૂ.૮૦ લાખની જોગવાઇ