અમદાવાદના માણેકચોક બજારનો પ્લાન અમલ વગરનો

શહેરના માણેકચોકના રિડેવલપમેન્ટ માટેનો પ્લાન વર્ષ 2014માં મંજૂર કરવામાં આવ્યો હતો. આજે પાંચ વર્ષ બાદ એમાં એક તસુ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જે આયોજન હતુ તેની મુખ્ય બાબતો આ મુજબ છે.

– સાંકડી શેરીથી માણેકચોક સુધીના રસ્તાને દબાણમુકત કરીને ત્યાં રાહદારીઓ ચાલી શકે એ પ્રમાણેની ફૂટપાથ બનાવવી.

– અહીં આવતા મુલાકાતીઓ તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે એ માટે પાર્કિંગ બનાવવું.

– જે ફેરીયાઓ ઊભા રહે છે તેમને ચોકકસ સમય આપવો.

– દરેકની ઓળખ નક્કી કરી તેમને ફોટો-આઈડેન્ટીટી આપવી.

– અહીં ભરાતા રાત્રિ ખાણી બજાર માટે હેલ્થના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવું.

– દરેકને એપ્રન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત કરવા.

– રાત્રિ બજાર પુરૂં થાય કે તરત જ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ દ્વારા ઘન કચરાનો નિકાલ કરવો.

– દરેક ડસ્ટબિન રાખે એવી જોગવાઈ ફરજિયાત કરાવવી.