અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા

લોકસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં મતદાર જાગૃતિ ‘‘ અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય ’’ તેવા સંદેશ સાથેના સ્ટીકરો લગાવવાના અભિયાનનો પ્રારંભ થયો હતો.

અમદાવાદ જિલ્લામાં 70 ટૂકડી દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાવી મતદાન જાગૃતિના આ કાર્યક્રમને વાહનચાલકોએ આવકાર્યો હતો અને અવશ્ય મતદાનનો સંકલ્પ કર્યો હતો.

મતદારોને પ્રેરણા મળે તે માટે આવતીકાલે શતાયુ મતદારોનું સન્માન એ.એમ.એ. ખાતે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. એટલું જ નહીં ૧૮ થી ૨૦ ની વય જૂથના ૭૫૦૦ યુવા મતદારોને ગત ૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે ૧-૩૦ કલાકે ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે ઘટના વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ઙસના અધિકારીઓ તેનું પ્રમાણપત્ર સેનેટ હોલ ખાતે અપાશે.