આત્મહત્યા કરવાનું કારણ જમીન છે, સરકાર સફાળી જાગી

ગુજરાતમાં જમીનોના જમીનોના પ્રશ્ને કલેક્ટર કચેરી દ્વારા નિકાલ આવતો ન હોવાથી આત્મ વિલોપન કરવાની બે હજારથી વધારે અરજીઓ દરેક કલેક્ટર કચેરીએ આવી છે. આમ લોકો સરકાર જમીનોના પ્રસ્ન ઉકેલતી ન હોવાથી લોકો આત્મ હત્યા કરવા લાગ્યા બાદ હવે સરકાર સફાળી જાગી છે અને લોકોને જમીનોના પ્રશ્નો નડતાં હોય ત્યાં તેનો ઝડપી નિકાલ કરવા માટે યોજના બનાવી રહી છે.

જમીનની કિંમતમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં અસાધારણ રીતે તીવ્ર ઉછાળો આવેલો છે. જેના કારણે રોજ જમીન મહેસૂલને લગતા કેસોનું પ્રમાણ પણ વધતું ગયું છે. જેમાં, ખાનગી પક્ષકારો વચ્ચેના તથા ખાનગી પક્ષકાર અને સરકાર સામેના કેસોની અપીલો GRT અને SSRD સમક્ષ કરવાની થતી હોય છે.

સરકારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખાસ સચિવ (વિવાદ)ની કોર્ટમાં કેસોનો ભરાવો ન થાય કે લાબાં સમય સુધી પડતર ન રહે તે માટે નામદાર હાઈકોર્ટમાં જે રીતે કેસો દાખલ કરવામાં આવે છે તેવી જ રીતે તે સમયે જ કેસના ગુણદોષ ચકાસીને જ કેસ દાખલ કરવાનો રહેશે તેમજ કેસો નીચલી કોર્ટમાં રીમાન્ડ ન કરતા આખરી ચુકાદો આવે તે રીતે હુકમ કરવા અંગે GRT અને SSRDમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી. વધુમાં, કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે SSRD દ્વારા જિલ્લાઓમાં કેમ્પોનું વધુ ને વધુ આયોજન કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, તેમ મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના નાગરિકોને ઝડપી, પારદર્શી અને ઓન લાઈન સેવાઓનો લાભ મળે તે માટે SSRD દ્વારા પક્ષકારોને તેમના કેસની માહિતી SMS દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પુરી પાડવામાં આવે છે તથા હુકમોની નોંધ ઈ-ધરા મારફતે પાડવામાં આવે છે અને હુકમો પણ SSRDની વેબ સાઈટ પર ઓન લાઈન મુકવામાં આવે છે તેવી જ કાર્યપદ્ધતિ GRTમાં અમલમાં લાવવામાં આવશે. GRTની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.