12 ઓગસ્ટ 2018થી 9 સપ્ટેમ્બર 2018 સુધી શ્રાવણ માસ દરમિયાન દાન, પૂજાવિધી પ્રસાદી, સાહિત્ય વેચાણ વગેરે દ્વારા સોમનાથ ટ્રસ્ટને રૂ.5 કરોડની આવક થઈ છે. એક મહિનામાં 20 લાખ લોકોએ દર્શન કર્યા હતી.
શ્રાવણ માસ અંતર્ગત રવિવાર, સોમવાર, રક્ષાબંધન જન્માષ્ટમી , અમાસ જેવા તમામ તહેવારો સહિત અંદાજીત 20 લાખ જેટલા લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધેલ હતો. તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી જુદા-જુદા ચાલીસ દેશોમાં 2 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કર્યા હતા. જેમાં ફેસબુક દ્વારા દોઢ કરોડ, ઇન્સ્ટાગ્રામ દ્વારા છ લાખ ચાલીસ હજાર અને ટ્વીટર દ્વારા તેર લાખ પચાસ હજાર લોકોનો સમાવેશ થાય છે.
શ્રાવણ માસ દરમિયાન 20 દિવસ સુધી સાંસ્ક્રુતિક કાર્યકાર્યક્રમો થયા હતા. જેમાં કુમાર સંભવ મહાકાવ્ય આધારિત શિવ પાર્વતિ ન્રુત્ય નાટિકા આકર્ષક રહ્યું હતું અને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
શ્રાવણ માસ દરમિયાન કુલ 94- સવાલક્ષ બિલ્વપૂજા, 231- ધ્વજારોહણ, 211- તત્કાલ મહાપુજા, કરવામાં આવેલો. હતી. સાત હજારથી વધારે લોકોએ મહામ્રુત્યુંજય જાપનો લાભ લીધેલો હતો.