લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ પર વિજય ન મળ્યો તેથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ રાજીનામું આપી દીધું પણ કોંગ્રેસ માટે જે ખરેખર વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે તે અહેમદ પટેલે રીજીનામું આપ્યું નથી. રાજીનામું તો ઠીક પણ તેમણે જવાબદારી પણ સ્વિકારી નથી.
અમરેલી લોકસભા સીટ પર પણ હારી ગયા બાદ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું છે. પરેશ ધાનાણીએ કોંગ્રેસ હાઇકમાન્ડને પોતાનું રાજીનામું સોપ્યું છે.
પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. પરેશ ધાનાણીએ વિનંતી કરી હતી કે વિરોધ પક્ષના નેતા તરીકે નવા ચહેરાનું સ્થાન આપવું જોઇએ. જો કે હજુ સુધી પરેશ ધાનાણીએ હાઇકમાન્ડને રાજીનામું આપ્યું છે, તે સ્વીકારવામાં આવ્યું નથી.
પરેશ ધાનાણીએ રાજીનામામાં કહ્યું હતું કે, મારું રાજીનામું સ્વીકારવામાં આવે અને જે રીતે વિપક્ષના નેતાની જવાબદારી નવા ચહેરાને આપવામાં આવે તેવી પણ તેમણે વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને 327604 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે નારણ કાછડીયાને 529035 મતો મળ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ જીતી ન શકનારી કોંગ્રેસ પાર્ટીમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, ત્યારે આજે વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું, ત્યાં હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હોવાની વાત સામે આવી રહી છે. અમિત ચાવડાએ દિલ્હી હાઇકમાન્ડને પોતાનું રાજીનામું મોકલાવી દીધું હોવાનું કહેવાય છે.
લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સંભાળતા અમિત ચાવડાએ પોતાનું રાજીનામું મોકલ્યું છે, પરંતુ તેમનું આ આ રાજીનામું સ્વીકાય છે કે નહીં, તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટ મુજબ અમિત ચાવડાએ કહ્યું હતું કે, એક સેનાપતિ તરીકે મારી નૈતિક જવાબદારી છે. આ હારની જવાબદારી લેતા તેમણે પદ પરથી છૂટા થવાની વાત કરી હતી.