ખોડલાના વીર શહીદને ભાવભીની શ્રધ્ધાંજલિ

પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટર એફ. એ. બાબી અને મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. આ ઘટનામાં હું આપના પરિવારની પડખે રહી આપ સૌને સાંત્વના પાઠવું છું.