[:gj]૯ હાર્બર વિકસાવાશે : દરિયા ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડની વિચારણા[:]

[:gj]નાના માછીમારો પણ જીવન નિર્વાહ કરી શકે કે હેતુ મોટા ટ્રોલર માટે ચોક્કસ દિશા નિર્દેશો અપાશે અને યોગ્ય કાર્યવાહી કરાશે. અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતના દરિયામાં આવીને માછીમારી ન કરી જાય તે માટે નજીકના સમયમાં કાયદો બનાવશે. આ માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.

નડિયાદમાં આંતરદેશીય-ઇન લેન્ડ માછીમારી કરતાં માછીમાર પ્રશાંતભાઈ જયસ્વાલે મોકળા મને કહ્યું કે, ‘૩૭ વર્ષમાં પહેલા સી.એમ. જોયા જે માછીમારોની વાત આ રીતે શાંતિથી સાંભળી છે.

આ અગાઉ મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ હતા.

મુખ્યમં વિજય રૂપાણીએ 4 જાન્યુઆરી 2019માં પોતાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને માછીમાર જાતિના મહેમાનો સાથે મોકળા મને વાત કરી હતી.

આંતરદેશીય માછીમારીના વિકાસ માટે જરૂરી તમામ પ્રયત્નો કરાશે. કિસાનો જેમ ધરતી ખેડે છે એમ માછીમારો દરિયો ખેડે છે.

કિસાન કાર્ડ અપાશે

જમીન પરના ખેડૂતની જેમ દરિયા ખેડૂને પણ ખેડૂત ગણીને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ આપી શકાય તે માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

9 હાર્બર બનશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા કાંઠાના માછીમાર લખનભા ઓઢાભા કેર એ વધું બોટોને લાંગરવાની વ્યવસ્થા કરવાની વાત કહી હતી. મુખ્યમંત્રીએ તેનો જવાબ આપતાં કહ્યું કે, ‘ ગુજરાતમાં ૯ હાર્બર વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ભારત સરકારના પરામર્શમાં રૂપિયા ૧૨૦૦ કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં ગુજરાતના માછિમારો

ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે, એટલે વધુ સંવેદનશીલ છે. વધુ માછલીઓની અપેક્ષાએ ક્યારેક ગુજરાતના માછીમારો પાકિસ્તાનની હદમાં જઈ ચઢે છે અને પછી સુરક્ષાના પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતના માછીમારો જે પાકિસ્તાનના કબજામાં છે. તેમને પરત લાવવા માટે ભારત સરકારની મદદ લઇને સઘન પ્રયત્નો થઇ રહ્યા છે.

દરિયાઇ તોફાનોમાં લાપત્તા થયાના પાંચ વર્ષ પછી માછિમારોના પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવવામાં આવતી હતી. હવે એક વર્ષનો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, માછીમારોના પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી નિર્ણયો લેશે. માછીમારી વધુ સુગમ અને લાભદાયી બને એ માટે મત્સ્યોદ્યોગ વિભાગ મારફતે વધુ સુદ્રઢ પગલાં લેવાશે. માછીમારોની ભાવિ પેઢી પછાત ન રહી જાય તેમનો પણ યોગ્ય વિકાસ થાય તે હેતુસર સાગરખેડૂ યોજના અંતર્ગત વિશેષ કામગીરી થઇ રહી છે.

કચ્છ-સૌરાષ્ટ્રથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોથી આવેલા માછીમારોએ મોકળા મને પોતાની વાત મુખ્યમંત્રીશ સમક્ષ મુકી હતી અને આવી મુલાકાત બદલ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો.

 [:]