ગીરના રાજાનું વેકેશન થયું પૂર્ણ, સિંહદર્શન માટે લોકો કતારમાં

જૂનાગઢ,તા:૧૬ ચોમાસાની સિઝન સિંહનો સંવનનકાળ હોવાથી દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે સિંહદર્શન બંધ કરવામાં આવે છે, જે અંતર્ગત અભયારણ્યમાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બુધવારે વહેલી સવારથી વનરાવનના રાજાનું નિયત વેકેશન પૂર્ણ થતાં લોકો માટે અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું.