ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે

ગાંધીનગર,તા.22

ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છે, જે પૈકી ગુજરાતમાં સૌથી વધુ મગફળી થાય છે. આ વર્ષે ચક્રવાત વાયુના કારણે વરસાદની સિઝન મોડીશરૂ થઇ હતી પરંતુ વરસાદ સારો થવાથી ગુજરાતમાં પાંચ ટકા નુકશાનને બાદ કરતાં મગફળીનો વાવેતર વિસ્તાર વધ્યો છે. રાજ્યમાં ગયા વર્ષે 14.68 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું પરંતુ ચોમાસુ નબળું હોવાથી ખેડૂતોનો પાક બળી ગયો હતો તેથી ઉત્પાદન ઓછું થયું હતું જ્યારે આ વર્ષે વાવેતર વિસ્તાર વધીને 15.52 લાખહેક્ટર થયો છેમહત્વની બાબત એવી છે કે ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે 1085 કિલોગ્રામ હતું પરંતુ આ વર્ષે પ્રતિ હેક્ટરે મગફળીનું ઉત્પાદન 2070 કિલોગ્રામ થવાનીશક્યતા છે. રાજ્યના કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગયા વર્ષ કરતાં વાવેતર વિસ્તાર અને પ્રતિ હેક્ટર મગફળીનું ઉત્પાદન વધી શકે છે. આખા દેશમાંમગફળીનું ઉત્પાદન 51 લાખ મેટ્રીક ટન થવાની ધારણા છે જ્યારે એકલા ગુજરાતમાં 32.15 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની ધારણા છે. આ વર્ષે ગુજરાતમાં ગયાવર્ષ કરતાં આ વર્ષે મગફળીનું ઉત્પાદન બમણું થવાનું છેમગફળીના ઉત્પાદનને પગલે સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિયેશનના પ્રતિનિધિના કહ્યા પ્રમાણે આ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. અત્યારે  સિંગતેલનો ભાવ 1800 રૂપિયાની આસપાસ છે જે ઘટી શકે છે. આ પ્રતિનિધિએ કહ્યું હતું કે આ વર્ષે ભારે વરસાદના કારણે મગફળીના પાકમાં પાંચ થી દસ ટકાવાવેતરને નુકશાન થયું છે તેમ છતાં ખેડૂતોએ આ વર્ષે કપાસ પછી બીજાક્રમે મગફળીનું વાવેતર પસંદ કર્યું છે.

વાવેતર વિસ્તાર વધ્યો હોવાથી વધારે ઉત્પાદનને કોઇઅસર થાય તેમ નથીગુજરાત સરકારે ખેડૂતોની મગફળી ઉંચા દામે ખરીદવાનો નિર્ણય કર્યો હોવાથી ખેડૂતોને રાહત મળી શકે તેવી સંભાવના છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફઇન્ડિયા છેલ્લા 11 વર્ષથી મગફળીના પાકનું સર્વેક્ષણ કરે છે.

આ એસોસિયેશનના 20થી વધુ પ્રતિનિધિઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આખા દેશમાં મગફળીનું વાવેતર 66 લાખ હેક્ટરમાં થયું છે જે પૈકી 15.52 લાખ હેક્ટર વિસ્તાર એકલા ગુજરાતમાં આવેલો છે. વાવેતર વિસ્તારનેધ્યાનમાં રાખતા આ વર્ષે દેશમાં મગફળીનું ઉત્પાદન વધી શકે છે જેથી નિકાસમાં પણ વધારો થશે.