ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં ” ઔષધીય વનસ્પતિઓની ડીમાન્ડ અને સપ્લાય ” અંગેનો સેમિનાર યોજાયો

વનસ્પતિશાસ્ત્રના તેમજ તે વિષયક રીસર્ચ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને આમંત્રિતો માટેનો હતો જેમાં વિશાળ સંખ્યામાં સહુ જોડાયા હતા. કાર્યક્રમના ઉદઘાટન વેળાએ Gujarat Medicinal Plants Board -GMPB ના CEO ડો.જગદીશ પ્રસાદે આ સેમિનારનો હેતુ સમજાવીને રીસર્ચ સાથે સંકળાયેલી સંસ્થાઓને મેડીસીનલ પ્લાન્ટ્સના ક્ષેત્રમાં આગળ આવવા અપીલ કરી હતી અને સેમિનારના વિષય બાબતે વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને મનનીય પ્રવચન આપ્યું હતું.ગુજરાત યુનિવર્સિટીના પ્રો.વાઇસ ચાન્સેલર ડો.જગદીશ ભાવસારે સમયની માંગ અનુસાર પ્રત્યેક વનસ્પતિનું મહત્વ જાણીને તેનું વાવેતર કરવા પર ભાર મૂક્યો હતો.સમારંભનું સમાપન. GUBS ના પ્રો.ઇન્ચાર્જ ડો.હિતેશ સોલંકી એ કર્યું હતું . ત્યાર પછીના સેમિનાર સેશનમાં ડો.મીનુ પરબીયાએ પાવરપોઈન્ટ પ્રેજંટેશન દ્વારા વિષદ છણાવટ કરીને ઔષધીય વનસ્પતિઓમાં એકના બદલે બીજી વનસ્પતિઓના થતો વપરાશ , ઔષધીય વનસ્પતિઓમાં મૂલ્ય વર્ધન , ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની ડીમાન્ડ, સૌથી વધુ વપરાતી ઔષધીય વનસ્પતિઓના ડેટા વગેરેની પ્રભાવક રીતે રજૂઆત કરી હતી. જે માટે તેઓએ ડો.અનિરુધ્ધ પ્રતાપ સિંઘ તેમજ ડો.ફાલ્ગુની શેઠ ના પ્રકાશિત પેપર્સ .નો સંદર્ભ સૌજન્યસહ લીધો હતો.ત્યારબાદ .સુરતથી ખાસ હાજર રહેલ વન વિભાગના ઉચ્ચ અધિકારી.

શ્રી ડો.અનિરુધ્ધ પ્રતાપસિંહ દ્વારા આ અંગેની પૂરક માહિતી આપવામાં આવી હતી. અને આ ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં રહેલી તકોને જાણીને તે તરફ આગળ વધવા જણાવ્યું હતું . ત્યારબાદ વન વિભાગના વરિષ્ઠ અધિકારી રહીચૂકેલ ડો.એસ.એન.ત્યાગી એ વન આધારીત પેદાશો વિષે , તેના એકત્ર કરનારાઓની પરિસ્થિતી , રીસોર્સમાં થઈ રહેલા ઘટાડા , બઝારની પરિસ્થિતી , કઈ દીશામાં કેવી રીતે આગળ વધવું , શું શું બાબતો લક્ષમાં લેવી , રીસર્ચના કયા વિષયમાં આગળ વધી શકાય વગેરે અનેક બાબતો વિષે વિગતે ચર્ચા કરતાં અનેક ઉપયોગી બાબતો વિષે અંગૂલિનિર્દેશ કર્યો હતો.ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર , કૃષિ યુનિવર્સિટી , આણંદમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે સુદીર્ઘ સેવાઓ આપી ચૂકેલા ડો.શ્રી રામ દ્વારા પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડો.અર્ચના માંકડ અને તેમની ટીમના ડો.ભરત મૈત્રેય.ડો.નૈનેશ મોદી અને ડો. સૌમ્ય પટેલ નો સિંહ ફાળો હતો .ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ તરફથી ટેકનિકલ ઓફીસર શ્રી કનુ યોગી , પ્રોજેકટ ઓફીસર શ્રીમતી અવની યાજ્ઞિક અને ઉદ્યાન અધિકારી શ્રીમતી કૃષ્ણા સખરેલીયા પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.આમંત્રિતોમાં કે.એલ.દૂબે . ડો॰ જે.એસ.પટોળિયા તથા Botany Dept.માંથી Shirin Qureshi , Dhara Bhavsar તેમજ આ વિષય સાથે સંકળાયેલા અનેકોએ હાજરી આપી હતી. પ્રસ્તુત્ત તસ્વીરમાં ડાંબેથી ડો. એસ.એન.ત્યાગી , ડો. એ.પી.સિંહ અને ડો. શ્રી રામ ચર્ચામાં મશગુલ જણાય છે, બીજી તસ્વીરમાં
વનસ્પતિશાસ્ત્ર Dept.નું પ્રવેશદ્વાર દ્રષ્ટિગોચર થાય છે.