મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી

નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.

સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વસન સ્થળો બનાવવામાં આવ્યા છે. 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે.

તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર મળ્યું છે, ન તો યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ છોટા બરડા ગામે જળ સત્યાગ્રહ આંદોલન કર્યું હતું. અંજારથી છોટા બરડા ગામ સુધી વિરોધ કૂચ કાઢી હતી.

મોટાભાગના લોકોએ પાણીનું સ્તર વધવા છતાં ઘર છોડ્યું નથી. પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ચીખલદા, ધર્મરી અને કાકરાણા ગામો સહિત નિસારપુર શહેરના કેટલાક વિસ્તારો 2017માં નરેન્દ્ર મોદીએ બંધના દરવાજા બંધ કરાવ્યા ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે શું કહ્યું અને શું કર્યું

સૌની બીજી ભૂલ

સૌરાષ્ટ્ર નર્મદા ઈરીગેશન (“સૌની”) ૧૦,૮૬૧ કરોડ ની આ યોજનાથી ૧૧ જીલ્લાના, ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારને લાભ મળવાનું વચન આપ્યું.

મુખ્ય પ્રધાન મોદીએ વચન આપ્યું કે ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથેજ ગુજરાતનો ખેડૂત રૂપિયો વાવીને ડોલર ઉગાડશે (૨૦૦૩ મે ૦૧) નર્મદાના નીર થી સૌની યોજનાથી ૧,૦૦,૦૦૦ હે જમીનને પિયતનો લાભ મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવી રહ્યા છે. નર્મદાના પાણી થી ૭૦૦ તળાવો ભરી દીધા છે. જેવો કોઈ સીધો ફાયદો પ્રજાને ન થયો.

ઉત્પાદન ન વધ્યું

મોદીએ પ્રજાને વચન આપેલું કે, નર્મદા યોજનાના ઉપરાંત રૂ. ૬૦૦૦ કરોડના ખર્ચે નર્મદાના વધારાના પુર ના પાણીને રાજ્યની ૮ નદીઓમાં વાળી ૧ લાખ હે. માં વધારાની સિંચાઈ સુવિધા ઉભી કરવાની સરકારે જાહેરાત કરી. સુજલામ સુફામ ના કારણે ખારાશ આગળ વધતી અટકશે, ખેડૂતો ખરીફ પાકનો લાભ લેશે, ખેત ઉત્પાદન વધશે, કમાણીમાં વધારો થશે, સુજલામ સુફલામના કારણે સીંચી ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, રાજ્યની ખેતી અબળ થશે. (૨૦૦૩ નવેમ્બર ૨૮)

સુજલામ સુફલામ પાછળ માત્ર દોઢ વરસમાં ૬૦૦૦ કરોડ ખર્ચાશે. સુકી ધરતીના પેટલ ફરી સજલ થશે, ૧૦,૦૦૦ ગામોને સીધો લાભ મળશે. ટ્યુબ વેલ પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે. ઉ.ગુ.ના ખેડૂતોને દેવાના ડુંગરમાંથી મુક્તિ મળશે.વીજળીના બીલના ભારણ ઘટશે.

ખેડૂતની આવક બમણી થશે. હાડકાના રોગ થી ૩૦૦ ગામોને મુક્તિ મળશે. ૧૦૦ દિવસમાં ૧,૦૦,૦૦૦ ખેત તલાવડીઓ ખોદાશે.૧ કરોડ ઘન મીટર પાણી નો સંગ્રહ થશે. ખેડૂતો રવિ અને ખરીફ એમ બંને પાક લેતા થશે. દુષ્કાળનો ખર્ચ બચી જશે. ૫૦૦૦ કરોડનું ખેત ઉત્પાદન થશે. ખેત તલાવડી ૧.૫ લાખ ખેત મજુરોને રોજી આપશે. આ બધું જ મોદીએ કહ્યું હતું. પણ થયું નથી.

સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી પી કે લહેરી એ 2003-4માં જાહેર કર્યું કે, નર્મદા ડેમ ભારતના બધા જ ડેમનો સરદાર છે. રાજ્યના ઘણા બધા લોકોને ખબર નથી કે , આ ડેમના કારણે માત્ર ૩૭,૦૦૦ હે. જમીનનું ડુબાણ થાય છે , તેની સામે ૧૮,૦૦,૦૦૦ હે. જમીનને સિંચાઈનો લાભ મળવાનો છે. આ વર્ષે જ ૪,૦૦,૦૦૦ હે. જમીનને પિયતનો લાભ મળવાનો છે.

નર્મદા યોજના 2010માં પૂરી ન થઈ

૨૦૦૭ જાન્યુમાં મુખ્ય પ્રધાન મોદીએ ચૂંટણી સભામાં જાહેરાત કરી કે ૨૦૧૦ નું વર્ષ ગુજરાત રાજ્ય ની સ્થાપનાનું ૫૦ મુ વરસ હોવાથી ગોલ્ડન ગોલ તરીકે ઉજવવાની જાહેરાત કરી. તેમણે પ્રજાને ખત્રી આપી કે ૨૦૧૦ માં સરદાર સરોવર યોજના પુરા થઈ જશે. જાહેરાતના પણ પૂરી ન થઈ 10 વર્ષ પછી પણ ન થઈ.

(૨૦૦૭ ડીસેમ્બર)

સરદાર સરોવરનું કેનાલ નેટવર્ક એક મહાકાય ષડ્યંત્ર સાબિત થવા લાગ્યું. ૧૦ મી યોજના માં ગુજરાત સરકારે ૮૪,૦૦૦ કી.મી.કેનાલ નેટવર્ક નું કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું. પણ હજુ સુધીમાં માત્ર ૧૮,૮૭૮ કી.મી. કેનાલ નેટવર્ક નું કામ પૂરું થયું હતું. અનો અર્થ એ થયો કે માત્ર ૨૦ % કામ થયું અને ૮૦ % બાકી રહ્યું હતું.

મારૂતીને જમીન આપી

૭.૯૨ મિલિયન એકર ફીટ પાણી સિંચાઈ માટે અને ૧.૦૨ મિલિયન એકર ફીટ પાણી બિન ખેતી વિષયક હેતુ માટે ફાળવાયું છે. હવે ગુજરાત સરકારે પીવાના અને ઉદુઓગ ના પાણી માં વધારો કરી ૩.૧૦ મિલિયન એકર ફીટ કાર્ય છે. નર્મદા યોજના હવે માત્ર પીવાના અને કારખાનાઓ ના પાણી ની યોજના બનવા જઈ રહી હતી . જી ઈ ડી સી ની જમીન અધિગ્રહણ ની નોટીસ સામે ૪૪ ગામના ૧૫૦૦૦ ખેડૂતો રણે ચડ્યા. સરકારે સર નું નોટીફીકેશન રદ કરવાની માંગણી થઈ. સનત મહેતા એ અરણ્ય રુદન કરતા કહ્યું ‘ સર ના નામી સરકાર ખેડૂતો ની જમીન પડાવી લઇ મારુતિ ને ભેટ ધારે છે, સરદાર સરોવર ની વિટંબણા ઓ નું કોઈ માપ નથી. ૨૦૦૭ માં સરકારે ખેડૂતો પાસે થી લીધેલી ૨૭૦ એકર જમીન મારુતિ ઉદ્યુગ ને ફાળવી હતી. હાંસલપુર ના ખેડૂતો એ પોતાની જમીન પરત માગી (૨૦૦૮ જાન્યુઆરી) નર્મદા નિગમના અધિકારી એ ફરિયાદ કરી કે નિગમમાં સ્ટાફ ઈજનેરો ના અભાવે મેઈન કેનાલની નિભાવણી અને રાખ રાખવાતના કામને વિપરીત અસર પડે છે. આ કામ માટે ૮,૦૦૦ નવા ઈજનેરોની નિગમને જરૂર છે.જો નિમણુક થશે તો જ કામોમાં ગતિ આવશે.

2010માં જૂઠાણું

ગુજરાત સરકારે જાહેરાત કરતા કહ્યું કે નર્મદાના પાણી થી ૭ લાખ હે.માં સિંચાઈ થઈ રહી છે. આ યોજના ૨૦૧૫ માં પૂરી થશે. તેનો કુલ ખર્ચ ૫૧,૦૦૦ કરોડનો હશે, ૩૨,૦૦૦ કરોડ ખર્ચાઈ ગયા છે. બીજા ૧૮,૦૦૦ કરોડની જરૂર પડશે. ૫૧,૦૦૦ કી.મી.ની માઇનોર અને સબ-માઇનોર કેનાલ બનાવવાની બાકી છે. 27% કેનાલ્કામ થયું, ૭૩% જેટલું બાકી રહ્યું. મનોર કેનાલના કામ જ્યાં સુધી પુરા નહી થાય ત્યાં સુધી ખેતર સુધી પાણી પહોંચવાના નથી. (૨૦૧૦ જાન્યુ.)