મોરબીમાં ટાઈલ્સની 500 ફેકટરી બંધ થશે

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં સિરામિક એકમોમાં વપરાતા કોલગેસ-કોલસો વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો ચુકાદો આપવામાં આવ્યો છે જે ચુકાદાને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ માટે મુશ્કેલીના વાદળો ઘેરાયા છે અને ૧૦૦૦ જેટલી ફેકટરીઓમાંથી અડધોઅડધ એટલે કે ૫૦૦ થી વધુ ફેકટરીઓ શનિવારથી બંધ થાવા લાગી છે. હાલ મોરબીમાં 1000 જેટલા સિરામિક એકમો છે. જેમાં 50 ટકા કોલસો વાપરે છે.

મોરબી સિરામિક વોલ ટાઈલ્સ સંગઠનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા માને છે કે, ચુકાદાની નકલ મોરબી સિરામિક એસોને મળી ચુકી છે જેમાં કોલગેસનો વપરાશ તુરંત બંધ કરવા સ્પષ્ટ આદેશ છે. જેથી હાલ તુરંત 500 ફેકટરીઓ બંધ થાય તે બનવા જોગ છે.