રસ્તા પર કચરો નાંખવાના મુદ્દે દુકાનદારે કોર્પોરેટરને ફટકાર્યા

અમદાવાદના મેઘાણીનગર રત્નસાગર ચાર રસ્તા નજીક દુકાન ચલાવતા શ્રીધર ગિરધારીલાલ નામનો દુકાનદાર દારૂ પીને ચાર રસ્તા પર કચરો નાંખવા ગયો હતો, ચાર રસ્તા પર કચરો નાંખવા બાબતે સફાઈ કર્મચારી અને શ્રીધર વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યારે આ બોલાચાલી થઇ રહી હતી ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના કોર્પોરેટર બીપીન પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેના કારણે બંને વચ્ચેનો ઝઘડો શાંત કરાવવા માટે કોર્પોરેટર બીપીન પટેલ વચ્ચે પડ્યા હતા. ત્યારે દારૂના નશામાં ભાન ભૂલેલા દુકાનદારે કોર્પોરેટર બીપીન પટેલ સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનાના પગલે 70થી 80 લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દારૂના નશામાં બોલાચાલી કરી રહેલા દુકાનદારને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી, ત્યાં તેની સામે દારૂ પીધો હોવાનો કેસ કરી દુકાનદારની ધરપકડ કરી હતી.

સાયકલ પર જાય છે

અસારવાના કોર્પોરેટર બીપીન પટેલ નાઈટ વોકિંગ કરી રહ્યા હતા ત્યારે સફાઈ કોન્ટ્રાક્ટર સાથે માથાકૂટ કરનાર શ્રીધર સાથે બોલાચાલી થઈ હતી. આમ તો તેઓ સાયકલ ચલાવે છે. પણ તે દિવસે ચાલતાં નિકળેલા હતા. અસારવાના કોર્પોરેટર અને હાઉસિંગ કમિટીના ચેરમેન બીપીન પટેલ સાઇકલ લઇ મહિનામાં એક દિવસ પોતાના નિવાસ સ્થાનેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે.

પ્રજાના પૈસે ખરીદાયેલી આ કારમાં બેસી નેતાઓ આવે છે. પણ બીપીન તે પૈકીના નથી. તેઓ સમાન્ય માણસની તકરારમાં પણ સમાધાન કરાવવા દોડી જાય છે. જેમાં આવી મારામારીની ઘટના બની જાય છે.

ગુબર્ગ હત્યાકાંડમાં નિર્દોશ

2001માં અમદાવાદમાં થયેલા ગુલબગ હત્યાકાંડ કેસમાં 3 જુન 2016માં નિર્દોષ છૂટેલા બીજેપીના કોર્પોરેટર બિપીનચંદ્ર પટેલનાં પત્ની વર્ષા પટેલે બ્રહ્માણી માતાજીની એવી બાધા રાખી હતી કે તેમના પતિ આ કેસમાં નિર્દોષ છૂટશે તો તેઓ ચાલતાં-ચાલતાં મંદિરે દર્શન કરવા જશે. કોર્પોરેટર બીપીનચંદ્ર પટેલનો નિર્દોષ છૂટકારો થતાં માણસા પાસે આવેલા પડુસના બ્રહ્માણી માતાજીના મંદિરે બાધા પુરી કરવા અમદાવાદથી ચાલતાં નીકળ્યા હતાં. વર્ષા પટેલે એવું માને છે કે, પતિ બીપીન પટેલ પોતે નરસિંહ મહેતા જેવું કામ કરે છે. આ કેસમાં તેઓ નિર્દોષ હતાં. બીપીન પટેલે પણ બાધા રાખી હોવાથી ઊંઝાનાં ઉમિયા માતાજીના મંદિરે અને આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.