અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે અનેક કૌભાંડો જાહેર કર્યા છે. તેઓ રાજકીય નેતાઓના કૌભાંડોમાં વધું રસ છે પણ પ્રજાના કામમાં રસ નથી એવું લાગતાં અને નારણ કાછડિયા પાસે ફ્રંટી હતી અત્યારે તેમણે કરોડોની મિકલત છે. બાંકડા પાછળ રૂ.4.50 કરોડ ફાળવેલા છે. સોલાર, રમતગમત, ખેતતલાવડીઓમાં કરોડોના કૌભાંડ થયા છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ પ્રજાનો અવાજ બની શક્યા નથી. ખેડૂતોની વાત સરકાર સાંભળતી નથી. તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેઓ રાજનેતાઓના કાળાકામો બહાર પાડશે. માથામાં વાળ લાવવા બે લાખ રૂપિયઆ અહીંના નેતાઓ ખર્ચ કરે છે. પણ પ્રજા માટે પૈસા ઘર સુધી લઈ જાય છે. તેથી હવે અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડશે. 3 માર્ચ 2019 ઉમેદવારી કરવાના છે. મારી પાસે કાગળમાં પૂરાવા છે તે હવે પ્રજાની વચ્ચે લઈ જઈશ. નારણ કાછિયા પ્રજાની વચ્ચે ક્યારેય આવતા નથી.
પાલિકા કમિશનરે શરૂઆતમાં તત્કાલીન પ્રમુખ અલ્કાબેન ગોંડલીયાને નોટીસ પાઠવીને ખુલાશો પુછયા બાદ બાકીનાં રપ નગરસેવકોએ પણ ઠરાવમાં મંજુરી આપી હોવાનું બહાર આવતાં કમિશનરે વર્તમાન પ્રમુખ જયંતીભાઈ રાણવા, તત્કાલીન પ્રમુખ નટુભાઈ સોજીત્રા સહિત રપ નગરસેવકોને આગામી મંગળવારે ખુલાશો કરવા તાકીદ કરતાં શહેરનાં રાજકારણમાં હઠકંપ મચી ગયો છે.
અમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ લોકસભાનાં ચુંટણી જંગમાં ઉતરવાનું નક્કી કરીને આજે ઉમેદવારી પત્રક પણ ઉપાડતાં ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારને ભ્રષ્ટાચારની કથા અને વ્યથાનો સામનો કરવો પડે તો નવાઈ પામવા જેવુ નહીં રહે.
આજથી 7 વર્ષ પહેલા યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભ્રષ્ટાચારની કથા કરીને નામનાં મેળવનાર સુખડીયાએ આગામી દિવસોમાં ભાજપનાં ઉમેદવાર વિરૂઘ્ધ ભ્રષ્ટાચારની કથા કરવા માટે જ ઉમેદવારી કરવાનાં હોવાનું બહાર આવતાં જિલ્લાની જનતાને ભાજપ- કોંગ્રેસનાં ઉમેદવારની કરની-કથની અંગે જાણવા મળશે તેવુ લાગી રહ્યું છે.
તેમણે અધિકારીઓ અને નેતાઓના કરોડો રૂપિયાના અનાજ અને માર્ગ કૌભાંડ પકડી પાડ્યા હતા.
21 માર્ચ, 2018 દિવસે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ. 12,000 કરોડનું રેશનિંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કાર્યકર નાથાલાલ સુખડીયાએ આ કૌભાંડ પકડ્યું હતું. ત્યાર બાદ માર્ચ 2018 કરતાં એપ્રિલ 2018મા 9.22 લાખ કિલો ઘઉં, 3.7 લાખ કિલો ખાંડ અને 33,544 કિલો ચોખા અને 2.89 લાખ લીટર કેરોસીનની બચત એક જ મહિનામાં થઈ છે. ગુજરાતના એક જાગૃત નાગરિક નાથાલાલ સુખડિયા કે જે માહિતી અધિકાર એક્ટીવિસ્ટ છે તેમના કારણે દર મહિને સમગ્ર રાજ્યમાં રૂ. 50થી 100 કરોડનો માલ ઓછો ઉપડવા લાગ્યો હતો. એટલી બચત કરી હતી. ગુજરાતના એક જાગૃત્ત નાગરિકે કરોડો રૂપિયા બચાવી આપ્યા હતા. પણ રાજનેતાઓએ સમગ્ર પ્રકરણ રફેદફે કરી કાઢ્યું હતું. 3 વર્ષમાં આ કૌભાંડમાં રૂ. 3,000 હજાર કરોડનું ગરીબોનું અનાજ બજારમાં જતું રહ્યું હતું. આ પ્રકરણમાં CM વિજય રૂપાણીએ કોઈ જ પગલાં ભર્યા નથી અને પરેશ ધાનાણી પણ ત્યાર પછી મૌન બની ગયા છે. એ તો ઠીક, જે લોકો અનાજ લઈ રહ્યા હતા તેના નામ ઓનલાઇન મૂકવામાં આવ્યા હતા. જે કોઈ પણ જોઈ શકતું હતું પણ તે ડેટા જ રૂપાણી સરકારે હવે ગાયબ કરી દીધા છે. જેથી તે કૌભાંડ રાજ્યમાં અન્ય જગ્યાએ જાહેર ન થાય. આમ ગાંધીનગરથી જ આ કૌભાંડ દાબી દેવામાં આવ્યું છે. આ કૌભાંડમાં 200 જેટલા મામલતદારો કે જેમણે બોગસ કૂપન કાઢી આપ્યા હતા તે ઝપટમાં આવી શકે તેમ છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ તથા બીજા કર્મચારીઓ સામે પગલાં ભરવા પડે તેમ હતા. આટલું મોટું કૌભાંડ રાજકીય નેતાઓની મદદ વગર શક્ય ન બને. તેથી તેમના નામો પણ ખૂલી શકે તેમ હતા. તેથી આ મહા કૌભાંડ પર પડદો પાડી દેવાયો છે. સરકાર સાચી હોય તો અગાઉ ઓનલાઇન નામો હતા તે ફરીથી મૂકે. શા માટે યાદી હટાવી લેવાં આવી છે?
દેશનું સૌથી મોટું ડિજિટલ કૌભાંડ
દેશનું સૌથી મોટું ડિજિટલ કૌભાંડ ગુજરાતનું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. 1.26 કરોડ લોકો સરકારનું સસ્તા ભાવનું અનાજ ઊઠાવે છે. જેમાં માત્ર 94 હજાર ખરા ગરીબ લોકોને જ સિસ્ટમમાં મેસેજ મોકલીને જાણ કરવામાં આવતી હતી. બાકીના બધા નકલી છે અને તેનું અનાજ અધિકારીઓ અને રાજકીય લોકો જમી જતાં હતા. આમ ગુજરાતનું આજ સુધીનું સૌથી મોટું અનાજ કૌભાંડની સમગ્ર રાજ્યમાં તપાસ કરવાના બદલે થોડા જિલ્લાઓમાં તપાસ કરીને ફીંડલું ભાજપ સરકારે વાળી દીધું છે. લાલુ પ્રસાદના ઘાસચારા કૌંભાંડ કરતાં પણ મોટું ભાજપની CM વિજય રૂપાણી સરકારનું અનાજ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. જેમાં તલાટી, મામલતદાર, કલેક્ટર અને ગાંધીનગરના રાજનેતા જો સંડોવાયેલાં ન હોત તો આ અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં જ આવ્યું ન હોત. તેથી કૌભાંડને દાબી દેવા માટે જિલ્લાના કલેક્ટરો પર દબાણ થયું હતું.
2016મા ગુજરાત સરકારે અન્નપૂર્ણા યોજના જાહેર કરી હતી. તેમાં પારદર્શીતા માટે રાજ્ય સરકારે વેરિફિકેશન સિસ્ટમ બનાવી હતી, જેમાં લાભ મેળવનાર વ્યક્તિ રેશન કાર્ડ નંબર, અંગૂઠાની છાપ, આધાર કાર્ડ નંબર એમ ત્રણ વાર વેરિફિકેશન કરાવીને અનાજ ખરીદી શકે. સરકારે આ માટે E-FPS એપ્લિકેશન પણ વિકસાવી હતી જેમાં રેશનનો લાભ મેળવનાર લોકોના નામ હતા. તેમાં તેમના વેરિફિકેશન પછી જ તેમને સસ્તા ભાવે અનાજ અપાતું હતું. તેનું સોફ્ટવેર હેક કરી કે ચોરી કરીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રેશનનો લાભ મેળવી શકે તેવા લોકોનો બાયોમેટ્રિક ડેટા મેળવીને અનાજની ચોરી કરવામાં આવતી હતી. જેમાં બોગસ રેશન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા, વિદેશ રહેતાં અને કરોડપતિ લોકોને ગરીબ બતાવી સસ્તું અનાજ ઉપાડીને બજારમાં 10 ગણા ભાવે વેચી મારવામાં આવતું હતું.
મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ પકડાયા હતા. સુરતમાં 51,000 હજાર બોગસ રેશન કાર્ડ પકડાયા હતા.
ડેટા હેક કરી કૌભાંડ થયું પણ બધું દબાઈ ગયું
11 ફેબ્રુઆરી 2018મા NFSA હેઠળ રેશનકાર્ડની નોંધણી કરાવીને તેમના ફિંગર પ્રિન્ટના ડેટા હેક કરીને દર મહિને કૂપનો કાઢીને સરકારી અનાજ લેવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો. RTI એક્ટીવિસ્ટ અજય જાગીડે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કર્યો. કુલ એક કરોડથી વધારે લોકોના ડેટા ચોરી થયા હતા. રેશન ઉપડે ત્યારે મેસેજ આવે છે. પરંતુ માત્ર 94 હજાર રાશનકાર્ડના ડેટાનો જ સરવે થયો છે. બાકીના કૂપન ધારકને મેસેજ મોકવામાં આવતાં ન હતા. બાયો ન્યુમેરિકલ કોડથી રેશન ઉપડે છે. નકલી દસ્તાવેજને આધારે વોટર કાર્ડ બનાવી બોગસ રાશન કાર્ડ બની ગયા છે. સામાન્ય રીતે લાભાર્થી રેશનિંગ કાર્ડ લઈને આવે અને અંગુઠાનું નિશાન આપે તો અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ દુકાનદારોએ ભેગા મળીને સિસ્ટમનો દુરુપયોગ કરીને જે કાર્ડ ધારકો અનાજ લેવા આવતા નહોતા, તેના નામે પણ પુરવઠો ઉપાડી લીધો હતો. આવા 8 દુકાનદારોના પરવાના હાલ મોકૂફ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કાર્ડધારકોના ડેટા હેક કરી સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. NFSA કાર્ડધારકોના સોફ્ટવેરની મદદથી ડેટા હેક કરાયા હતા. મયુર શર્મા નામના આરોપીએ અગાઉ ધરપકડ થયેલા રાહુલ નામના આરોપી પાસેથી રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કર્યા હતા. બાદમાં તેના જેવું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વર બનાવી રાહુલ સહિત અન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને આપ્યું હતું. ગુજરાતના ઘણાં દુકાનદારોને તેણે રૂ. 9,000થી રૂ. 15,000માં આપ્યું હતું. અમદાવાદના મણિનગરની રણજીત સોસસિટીમાં રહેતા કલ્પેશ શાહની ભૂમિકા પણ આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની હતી. કલ્પેશ શાહે ટેરા સોફ્ટ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા 7 લાખમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ડેટા મેળવ્યા હતા અને બાદમાં આ ડેટા રાહુલને આપ્યા હતા. તેની પાછળ ડેટા કલેક્ટ કરતી એજન્સીઓ સામે તપાસ થઈ નથી. અમદાવાદ અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીયર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ નામના આરોપી પાસેથી ડેટા મેળવ્યા બાદ મયુર શર્માએ નવું સોફ્ટવેર બનાવ્યું હતું. જેના દ્વારા બોગસ ઇલેક્ટ્રોનિક કૂપન જનરેટ કરવામાં આવતી હતી. બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ સોફ્ટ ટેરા, દેવકીશન, સિલ્વર ટચ અને JIL જેવી કંપનીઓને સોંપવામાં આવ્યું હતું.
સુરતમાં મહિને 12 લાખ કિલો અનાજનું કૌભાંડ
સુરત શહેરમાં 2018ના માર્ચ મહિનામાં એવું બહાર આવ્યું હતું કે બે વર્ષમાં 84 કરોડનું અનાજ કાળાબજારમાં વેચી મરાયું હતું. જેમાં સાંસદ, ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ તેમજ માલેતુજારોના નામે રેશનકાર્ડ પર દર મહિને 12.50 લાખ કિલો સરકારી અનાજ લઈ બારોબાર વેચી મારવાના ષડ્યંત્ર બહાર આવ્યા બાદ 2.50 લાખ લોકોના 51,881 કાર્ડ રદ કરાયા હતા. મહિને રૂ. 3.50 કરોડનો જથ્થો બહાર નીકળી જતો હતો. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 32,908 રેશનકાર્ડ નોન NFSAમાં બદલ્યા છે.
ભાજપના નેતા અનાજ કૌભાંડમાં
29 જાન્યુઆરી 2018મા ગરીબ પ્રજાનું કરોડો રૂપિયાનું અનાજ વિદેશ મોકલીને ભાજપના નેતાનું કચ્છ ભૂજમાં કૌભાંડ બહાર આવ્યું હતું. ભૂજ ખાતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ગરીબ નાગરિકોને આપવાનું અનાજ પગ કરી દઈને તેને ગુજરાત, દેશ અને વિદેશમાં અન્ય ભાગોમાં વેચી દેવામાં આવતું હતું. પર્દાફાશ કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ કર્યો હતો. તેમણે સ્ટિંગ ઓપરેશન કરીને ઘીરેન ભાનુ ઠક્કર કે જેમનો ભાઈ હીરેન ઠક્કર છે, જે ભાજપના ભૂજ નગરપાલિકાના પ્રમુખ છે. જ્યારે સ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે અનાજનો જથ્થો બહાર ગેરકાયદે કાઢવામાં આવી રહ્યો હતો. તેનો વીડિયો પણ તે સ્ટિંગમાં લેવામાં આવ્યો હતો. અનાજના જથ્થાનું નોંધણી પત્રક પણ રખાતું નથી. ભાજપના આગેવાનનું ગોડાઉન ભાડે રખાયું હતું અને તેમાં સસ્તા અનાજનું અનાજ ભરેલું હતું તે ગોડાઉન ભાડે રાખવા માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. જેની તપાસ આજ સુધી ભાજપ સરકારે કરી નથી.
જસદણ અનાજ કૌભાંડ
13 મે 2016મા રૂ. 45 લાખનું રેશનિંગ અનાજ કૌભાંડ પકડાતાં પાંચ આરોપીઓ સામે ફોજદારી – ત્રણ રેશનિંગ દુકાનદારોના લાઇસન્સ રદ કરાયા હતા. જસદણ-વિંછીયા વિસ્તારમાંથી 70થી 80 દુકાનદારોમાંથી 55 સસ્તા અનાજના દુકાનદારોની પાવતી મળી આવી હતી.
કચ્છમાં કૌભાંડ
18 ફેબ્રુઆરી 2018ના રોજ કચ્છમાં 47 લાખનું અનાજ પકડી પાડવામાં આવ્યું હતું. મહેન્દ્ર રણછોડ સોની સામે ફરીયાદ નોંધાઈ હતી. જેમાંથી રૂ. 18 લાખનો માલ સરકારી સસ્તા અનાજની દુકાનોનો હતો. માત્ર વાગડ-રાપર જ નહીં પણ કચ્છ વ્યાપી અનાજ કૌભાંડ ચાલી રહ્યું હતું.
એલીગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ લિ નામની પેઢીમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને સરકારી અનાજ કૌભાંડના પર્દાફાશ બાદ મામલતદાર ટીમ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કૌભાંડ પણ તપાસ જ ન થઈ
અમદાવાદમાં કૌભાંડ પણ સમગ્ર જિલ્લામાં કોઈ તપાસ થઈ ન હતી. જો તપાસ થાય તો તેમાં હજારો રેશનકાર્ડ બોગસ મળી શકે તેમ હતા. 23 ફેબ્રઆરી 2018મા અમદાવાદના પોલીસે મથુરદાસ મહેશ્વરીની મહાલક્ષ્મી અને સરસ્વતી ફેક્ટરીએ દરોડો પાડી રૂ. 8.10 લાખનો 3,200 કિલો ઘંઉ અને 17,920 કિલો ચોખાનો જથ્થો પકડી પાડ્યો હતો. મઝહર શેખ અને મથુરદાસ મહેશ્વરીની ધરપકડ કરી હતી. જો તપાસ થાય તો સુરત અને વડોદરા કરતાં પણ અહીં વધુ બોગસ રેશનકાર્ડ મળી શક્યા હોત.
(દિલીપ પટેલ)