ગાંધીનગર, તા. 26
કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે.
આ નિર્ણય અનુસાર સંબંધિત સત્તાધિકારીશ્રીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઈને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે જેની અમલવારી શરૂ થઈ ચૂકી છે.
રાજ્યની જેલમાં મહિલાઓની સંખ્યા
હાલમાં જ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા દેશનો ક્રાઈમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જે પ્રમાણે રાજ્યમાં કુલ 13011 કેદીઓ છે. જે પૈકી માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.