રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર કર્યો

ગાંધીનગર, તા. 01

સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે. આ અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું કે, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક થઈ શકતો જ નહોતો. આ સંજોગોમાં સરકારે આ કંપની જે વિસ્તારને આવરી લે છે તે વિસ્તારના ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી હોવાનો દાવો કર્યો છે.