રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે

પાલનપુર, તા.૧૦

પાલનપુરમાં ગુરુનાનક રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરાનાર છે. જેને લઈ રેલવે ઓવરબ્રિજની એક સાઈડ દિવાળી આસપાસ બંધ કરાશે. પુલ નીચેથી હવે નિયમિત ડબલ ડેકર ટ્રેન નીકળનાર હોઇ પુલ 80 સે.મી. ઊંચો કરવામાં આવશે. જોકે સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે તેવામાં રેલવે અધિકારીઓએ જે વૈકલ્પિક રસ્તાઓ સૂચવ્યા છે. તેનું મરામત કાર્ય ઝડપથી કરવા કલેકટરે સૂચના આપી છે.