પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ઉભા રાખવાની તેમના સમર્થકોએ માંગ કરતા વિવાદ થયો હતો, આ વાત આવતા જ તેમના વિરોધી જૂથે હંગામો કર્યો હતો, અહીના ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડાઇ શકે નહીં, તેઓએ આડકતરી રીતે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો, અહી ચિંતન શિબિરમાં સ્થાનિક નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોર સહિતના આગેવાનોએ અલ્પેશ સામે વિરોધ નોંધાવ્યો હતો, આ મામલે ઠાકોર સમાજ અને ઠાકોર સેના વચ્ચે હોબાળો મચ્યો હતો, નોંધનિય છે કે અલ્પેશ ઠાકોર પર સમાજના લોકોએ આરોપ લગાવ્યો છે કે તેઓ સમાજના નામે સમાજનો ખોટો ઉપયોગ કરે છે અને પોતાનો અંગત સ્વાર્થ માટે તેઓ કઇ પણ કરી શકે છે, અગાઉ નક્કિ થયું હતુ કે ઠાકોર સેનાના સભ્યો રાજકારણમાં નહી જાય તેમ છંતા તેઓએ સમાજના નામે રાજનીતિ કરી છે.