લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી ભારતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, છેલ્લા 7 દિવસમાં કોવિડ-19ના નવા 61 હજાર કેસ નવા નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, વધુ 294 લોકોનાં મોત થયા છે, ઇટાલીમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યાં 2 લાખ 34 હજાર આસપાસ છે, જ્યારે ભારતમાં 2 લાખ 36 હજાર જેટલા કેસ થઇ ગયા છે, કુલ 6600 લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે અને 1 લાખ 14 હજાર લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
ઇટાલીની સ્થિતી ભયાનક છે અને હવે ભારતમાં પણ કેસ વધી રહ્યાં છે. કોરોનાના કેસમાં દુનિયામાં ભારત છટ્ઠા નંબર પર આવી ગયું છે, મોટા શહેરો મુંબઇ અને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે ચિંતાજનક છે, લોકડાઉનમાં છૂટ આપ્યાં પછી લોકો બહાર નીકળી રહ્યાં છે, કેટલાક કિસ્સાઓમાં બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 80 હજાર જેટલા છે. દિલ્હી, તમિલનાડુ અને ગુજરાતમાં પણ કોરોનાથી હડકંપ છે.