781 વ્હેલ શાર્ક ગુજરાતના માછીમારોએ બચાવી

781 Whale sharks rescued by Gujarat fishermen

વ્હેલ શાર્ક માછલીને ચરણ કુમાર, જે વ્યવસાયે મરીનબાયોલોજીસ્ટ(સમુદ્ર જીવ વિજ્ઞાની) છે, તેમણે અત્યાર સુધીમાં કુલ ૮ વ્હેલશાર્કને જીપીએસટેગલગાવ્યા છે. માછીમારોની જાળમાં ફસાયેલા ૫ જેટલા બેબી વ્હેલશાર્કનેરેસ્ક્યૂ કરીને સમુદ્રમાં છોડી છે.
હમ્પબેકવ્હેલબાલીનવ્હેલ વિશ્વની મોટી પ્રજાતિઓ પૈકીની એક છે. લાંબી પાંખો, વિશાળ છાતી અનેઅણિયાળી માથું વહેલના શરીરને એક વિશિષ્ટ આકાર આપે છે. તે ખરબચડી સપાટી તથા તરવાની વિશિષ્ટ વર્તણૂકો માટે જાણીતી છે. પુખ્ત વયનીવ્હેલની લંબાઈ 12-16 મીટર (39–52 ફૂટ) અને વજન 25-30 મેટ્રિકટન જેટલું હોય છે.

હમ્પબેક વ્હેલ સામાન્ય રીતે દર વર્ષે 25,000 કિમી (16,000 માઇલ) સુધી સ્થળાંતર કરે છે. વ્હેલ માછલી ઉષ્ણકટિબંધીય અથવા સમસિતોષ્ણકટિબંધીયવિસ્તારોનાપાણીમાં પોતાના બચ્ચાનેજન્મ આપે છે, તથા ધ્રુવીય વિસ્તારના ઠંડા પાણીમાં બેબી વ્હેલશાર્કને ફીડીંગ કરાવે છે.

તેમના આહારમાં મોટાભાગે ક્રિલ અને નાની માછલીઓ હોય છે. જયારે ભોજન મળે ત્યારે ભોજન કરે છે અન્યથા ઉપવાસ કરે છે. તે દરમ્યાન શરીરમાં રહેલી ચરબીનો ઉપયોગ કરીને જીવે છે. અન્ય વ્હેલની જેમ હમ્પબેક વ્હેલનો ઉદ્યોગો માટે મોટા પ્રમાણમાં શિકાર થતો હતો. માનવીનાઅવિચારી અને બેફામપણાનેલીધે કરવામાં આવતા વહેલનાશિકારને કારણે તેઓ લુપ્ત થવાની અણી પર આવી ગઈ હતી.

વર્ષ 1966 પહેલાં તેની વસ્તી અંદાજિત 90% જેટલી ઘટી ગઈ હતી. વિશ્વભરમાં શિકાર ઉપરાંત જ્યારે ફિશિંગ ગિયરમાં ફસાવાથી, વહાણો સાથે અથડામણ અને ધ્વનિ પ્રદૂષણના કારણે આવી પ્રજાતિઓના લુપ્ત થવાનાકારણો જવાબદાર છે.
હિંદ મહાસાગરમાં કુદરતી રીતે બનેલા વ્હેલ અભયારણ્યમાં વ્હેલની ઘણી પ્રજાતિઓનું ઘર છે. વ્હેલ શાર્ક એક લુપ્તપ્રાય પ્રજાતિ છે, અને જે સૌથી મોટી કરોડરજ્જુ ધરાવતી વ્હેલની સૌથી મોટી પ્રજાતિ છે.

હિંદ મહાસાગરના ગરમ સમશિતોષ્ણ વિસ્તારમાં તથા ગુજરાતમાં કચ્છનાઅખાતમાંમરીન નેશનલ પાર્કની આસપાસ તે પોતાનો વસવાટ ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતનારાજ્યોમાંજોવા મળે છે, જ્યારે બંગાળની ખાડીમાં તેના અસ્તિત્વના પુરાવાઓ મળી આવ્યા છે.

જે પૈકી ગુજરાતમાં માંગરોળ, વેરાવળ, સુત્રાપાડા અને ધામળેજના દરિયા કિનારાઓના નજીકના વિસ્તારોમાં વ્હેલ શાર્ક જોવા મળે છે. ગુજરાતના માછીમાર  લોકો શાર્ક વ્હેલ માછલીને પોતાની દીકરી ગણે છે. જે પોતાના બચ્ચાંને જન્મ આપવા માટે ગુજરાતના કિનારે આવે છે.

ગુજરાત રાજ્યનું વનવિભાગ, ાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ટાટા કેમિકલ, પૂજ્ય મોરારી બાપુ સહિતની સામાજિક સંસ્થા, ધાર્મિક વ્યક્તિઓના સહયોગ અને સ્થાનિક લોકોનો સહયોગ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે.

માછીમારોની જાળમાં જ્યારે આવી વિશાળ માછલી ફસાઈ જાય તો જાળ કાપવામાં આવે તો માછીમારોને મોટું નુકશાન થાય છે જેની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર ૨૫૦૦૦ રૂ. જેટલી રકમ ચૂકવે છે. જ્યારથી આ સ્કીમ ચાલુ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૭૮૧ શાર્ક વ્હેલ ેબચાવવામાં આવી છે.

વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાંમરીનબાયોલોજીસ્ટ (સમુદ્રી જીવવિજ્ઞાની) તરીકે ફરજ બજાવી રહેલા શ્રી શરણ કુમારે જણાવ્યું હતું કે, હાલમાં હું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્ષ 2016 થી વ્હેલ શાર્કના સંરક્ષણ માટે કામ કરી રહ્યો છું. લોકોમાં જમીન પર દેખાતા વન્ય જીવો અને પક્ષીઓ અંગે જાગૃતતા પ્રવર્તે છે, પરંતુ દરિયાઈ જીવોનું પણ એક ક્ષેત્ર છે કે જેમાં જાગૃતતાની તાતી જરૂર સમગ્ર દેશ અને વિશ્વભરમાં છે. ગુજરાતના દરિયાકાંઠા પર વર્ષ 2001 પહેલા વ્હેલશાર્કનો શિકાર કરવામાં આવતો હતો.

ગુજરાત સરકારના વનવિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટાકેમિકલનાસહિયારાપ્રયાસોના ભાગરૂપે વિશ્વભરમાંથી અહીં પોતાના બચ્ચાઓને જન્મ આપવા તથા ફીડીંગ કરાવવા માટે ગુજરાતના દરિયા કાંઠે આવતી વ્હેલશાર્કનું સુપેરે સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

વર્ષ ૨૦૧૧ થી લઈને ૨૦૨૦ સુધીમાં કુલ ૦૮ વ્હેલશાર્કને બચાવવાની સાથે જીપીએસટેગિંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૩ માં ૧ નર વ્હેલશાર્કનેબચાવવામાં આવ્યો હતો,જેણે 41 દિવસમાં ૨૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. વર્ષ ૨૦૧૩ માં ૧ માદા વ્હેલશાર્કનેબચાવવામાંઆવી હતી,જેણે ૦૭ દિવસમાં ૨૮૭ કિમીનું અંતર કાપ્યું હતું.

વર્ષ ૨૦૧૫ દરમ્યાન કુલ ત્રણ વ્હેલશાર્કનેબચાવવામાં આવી હતી ૨ માદા અને ૧ નર વ્હેલશાર્કનો સમાવેશ થાય છે. જે પૈકી નર વ્હેલશાર્કે૮૦૦ કિમીનું મહત્તમ અંતર કાપ્યું હતું,

વર્ષ ૨૦૧૬ માં બચાવાયેલી ૨ માદા વ્હેલ શાર્ક પૈકી એક વ્હેલશાર્કે ૬૦૦૦ કિમીકરતાં વધુનું અંતર કાપીનેમાલદીવ થઈને છેક સોમાલિયાના દરિયા કિનારા સુધીનું અંતર કાપ્યું હતું.

જ્યારે વર્ષ ૨૦૧૭ માં બચાવાયેલ એક નર વહેલ શાર્ક દ્વારા ૧૩૫ દિવસમાં ૨૦૦૦ કિમી કરતાં વધુનું અંતર કાપીને ઓમાનના દરિયા કિનારા સુધી જઈને પરત આવી હતી.

ઉપરોક્ત માહિતી વ્હેલ શાર્ક પર લગવાયેલાજીપીએસટેગના કારણે આસાનીથી મળી આવે છે. જે માટે બનાવવામાં આવેલી એપ્લિકેશનનું નામ “VhaliWhatcher” રાખવામાં આવ્યું છે, જેના થકી વ્હેલશાર્કનું જીવંત લોકેશન આસાનીથી મળી આવે છે.
બેબી વ્હેલશાર્કનુંરેસ્ક્યુ કરીને વિશ્વની જળ અને જીવ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરીને પ્રકૃતિનેજાળવી રાખવામાં વૈશ્વિક કક્ષાએ ગુજરાતે સારું યોગદાન આપ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી), ભારત સરકાર (સીએમએસ) મંત્રાલય અને ગુજરાત સરકારના (એમએમસીસી), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ -૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન વિચરતીપ્રજાતિઓનાં સંરક્ષણ અને સંવર્ધનનીપર્યાવરણલક્ષી ૧૩ મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ((સીએમએસ-સીઓપી)માં  કુલ ૧૩ મુખ્ય ઇવેન્ટયોજાઈ હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો સહિત ૩૧ એજન્સીઓ દ્વારા કન્વેન્શનઓફ માઇગ્રેટરીસ્પિસિસ પર કુલ ૨૮ જેટલા સેમિનારોયોજવામાં આવ્યા હતા.