Wednesday, July 8, 2026

Admin

13477 POSTS 0 COMMENTS

જુનાગઢ અને મહેસાણામાં વરસાદથી ફરી એક વખત ખેડૂતોની તારાજગી

સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસન...

જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?

દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી ...

9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં

ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે. જર્મની અને ઓસ...

સોમવારથી ફાસ્ટટેગ ફરજીયાત, પણ સ્ટીકર ન હોવાથી નાકા પર લાંબી લાઈનો થશે

ફોર્મ ભરી લેવાય છે સ્ટિકર અપાતા નથી; બેંકોનો FASTAG માટે ગ્રાહકોને ફોન, મેસેજ અને ઇ – મેઇલનો મારો રાજકોટ : ગુજરાતના લોકોને કતારમાં ઉભી રાખવા માટે જાણીતી મોદી અને રૂપાણીની સરકારમાં હવે વાહનચાલકોને લાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા તમામ ટોલ નાકા પર આગામી 15મી ડિસેમ્બરથી ‘ફાસ્ટટેગ’ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. સોમવારથી...

ભાજપ સંગઠનમાં જૂથ, સગા અને જ્ઞાતિવાદની યાદીનું ફીંડલું વાળી દેવાયું

ઘોચમાં પડેલી નિમણૂકમાં ‘મારા-તારા’ની ગોઠવણ હવે દિલ્હીથી થશે : ભાજપ છાવણીમાં ભારે સસ્પેન્સ ભાજપના જિલ્લા પ્રમખોની નિમણૂંકો એક મહિનાથી ઘોંચમાં પડી છે. ગુજરાત ભાજપમાં જિલ્લા પ્રમુખોની પસંદગીનું ગુંચવાયેલુ કોકડું ઉકેલવા દિલ્હી દરબાર પોતાના માણસો ગોઠવી દેશે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલા જુથવાદ, જ્ઞાતિવાદે  ભરડો લીધો છે. અમિત શાહને પરેશાન કરેલી તેવી ચોક્...

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાનો ગેરેજ સંચાલક પર તલવારથી હુમલો

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ એક ગેરેજ સંચાલક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી ગેરેજના માલિક દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં રહેતા મયુરધ્વજ ગોંડલ રોડ પર જે.કે.મોટર્સ નામનું કાર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. 2 વર્ષ પહેલા મયુરધ્વજ કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટર વિજય વાંકની માઇક્રો કારમાં બોડીકામ ...

કુદરતી પાકતાં ભાલિયા ઘઉં સામે ખતરો

અમદાવાદ : કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં હવે ખરેખર ઓર્ગેનિક રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થતાં ભાલિયા ઘઉં સજીવ રાખવા સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે કે, કુદરતી રીતે ઓર્ગેનિક પાકતાં ભાલિયા ઘઉંને પાણી પિવડાવવાથી 40 ટકા ઉત્પાદન વધે છે. તેને રસાયણ યુક્ત ખાતર આપો, જંતુનાશક દવાનો છં...

દેશની અર્થવ્યવસ્થા આઇસીયુમાં જઈ રહી છે, – પૂર્વ આર્થિક સલાહકાર અ...

પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદી તરફ આગળ વધી રહી છે. તેમણે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા આઇસીયુમાં જઈ રહી છે. ડબલ બેલેન્સશીટની સમસ્યા તરફ ધ્યાન દોરતાં તેમણે સરકારને આડકતરો સહન કરવાની ચેતવણી આપી હતી. સુબ્રહ્મણ્યને હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના ડ્રાફ્ટ વર્કિંગ પેપરમ...

હું છું ગાંધી: ૬૮ મહાસભામાં

મહાસભા ભરાઈ. મંડપનો ભવ્ય દેખાવ, સ્વયંસેવકોની હાર, માંચડા ઉપર વડીલવર્ગ વગેરેને જોઈ હું ગભરાયો. આ સભામાં મારો પત્તો શો લાગી શકે એ વિચારમાંથી હું અકળાયો. પ્રમુખનું ભાષણ તો એક પુસ્તક હતું. તે પૂરું વંચાય એવી સ્થિતિ જ નહોતી. તેમાંના કોઈ કોઈ ભાગ જ વંચાયા. પછી વિષયવિચારિણી સમિતિના સભ્યો ચૂંટાયા. તેમાં મને ગોખલે લઈ ગયા હતા. સર ફિરોજશાએ મારો ઠરાવ લ...

વિદેશ 150 વન ઔષધીનો ઉપયોગ, તેમાંથી ભારતની માત્ર 15 કેમ ?

ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્ક શોપમાં ઔષધીય વનસ્પતિઓના ખેત ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાને મજબૂતી આપવાની દિશામાં ઉપસ્થિત નિષ્ણાતોએ પોતાનાં અનુભવપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. કૃષિ બજાર અને ગ્રામ અર્થતંત્રના નિય...

3200 યુગલોએ જ્ઞાતિ છોડી લગ્ન કરી લીધા

આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અમલી ૨૦ જેટલી યોજનાઓ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન ક...

અમદાવાદમાં રૂ. ૩૩પ કરોડના 7 પુલ બનશે, 60 પુલ હયાત છે

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી હતી. વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2...

મેનેજમેન્ટ કવોટાની 25 ટકા બેઠકોની મર્યાદા વધારીને 50 ટકા

ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ - પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું. પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ કવોટાની હાલની રપ ટકા બેઠકોની મર્યાદા વધારીને પ૦ ટકા કરવામાં આવી છે. રાજયની ખ...

મોડાસા નગર પાલિકાનું નવું મકાન બનશે

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા નગરમાં નગરપાલિકાને નગર સેવા સદનના નિર્માણ માટે રૂ. બે કરોડ ફાળવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યની ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને નવા નગર સેવા સદન માટે રૂ. બે કરોડની સહાય રાજ્ય સરકાર આપે છે. નવા નગર સેવા સદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા-જવામાં થતી મુશ્કેલી દૂર થશે.

સુરત શહેરમાં ૮ પુલ માટે રૂ.38 કરોડ, પુલોનું શહેર

સુરત શહેરમાં 8ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ બનાવવાના કામો માટે આ વર્ષે 39 કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરમાં 10 ફલાય ઓવર રેલ્વે અંડરબ્રીજ નિર્માણ માટે મહાપાલિકાએ રૂ. ૭૧૩ કરોડની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી. સુરતમાં નવા ૮ ફલાય ઓવર બ્રીજ, રેલ્વે અંડરબ્રીજના કામો માટેના કુલ ૩૯૦ કરોડના પ્રોજેકટ પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૯ ક...