Admin
ઉદયપુરમાં ગુજરાતી વેપારી કુટુંબની આત્મહત્યામાં તેની દીકરી રહસ્ય ખોલે છ...
ઉદયપુરમાં હર્ષ પેલેસ હોટલમાં ગુજરાતી વેપારી, તેની પત્ની અને બે બાળકો સહિત ઝેર પી લીધું હતું. સામૂહિક આત્મહત્યામાં મોડાસાના વેપારી મિનેશ(50), પત્ની દામિની(49)નું હોટલમાં મોત થયું હતું. તો દીકરો નંદ(17) અને દીકરી કૃતિ(15)ની હાલત થોડા દિવસ પહેલ ગંભીર હતી.
ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીનારા ગુજરાતી પરિવારના બંને બાળકોનો જીવ ડૉક્ટરે બચાવી દીધો છે. પોલીસ...
નકલી સોનાના ઘરેણા બનાવવાથી ખેતરોમાં પ્રદૂષણ
વલસાડના ઉમરગામમાં આવેલા તુંબ ગામના લોકો ઉદ્યોગોથી પ્રદુષિત થયેલી હવા વચ્ચે શ્વાસ લે છે અને ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવેલા કેમિકલ વાળું પાણી પી રહ્યા છે. લોકોના ઘરમાં પીળા કલરનું પાણી આવે છે. GPCBના અધિકારીઓ કંઈ કરવા તૈયાર નથી.
કંપની આવેલી તે કોઈપણ રોકટોક વગર ધુમાડો અને કેમિકલવાળું પાણી બેફામ રીતે ગામમાં છોડે છે. કેટલીક વાર તો ખેડૂતોના ખેતર...
એસ ટીની 35 ટકા બસોમાં ખામી મળી આવી
8 હજાર ST બસોનું અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ST નીગમના એન્જિનીયર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી કરવામાં આવતા 35% બસો ખામીયુક્ત હોવાનું જાણવા મળ્યું હતું. 200 બસની તપાસ કરવામાં આવી હતી અને આ 200 બસમાંથી 62 બસમાં અલગ-અલગ પ્રકારની ખામીઓ સામે આવી હતી. જેમાં બારીના કાચ વગરની 11 બસ, તૂટેલી બારી અને લોક વગરની 14 બસ, સીટ તૂટેલી હોય તેવી 3 બસ, ફલોર...
વિદ્યામંડળ સાથે ચરોતરમાં 5 યુનિવર્સિટીઓ થઈ, 10 લાખ વિદ્યાર્થીઓ ભણ્યા
ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે.
ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિ...
ગંગા શુદ્ધ કરવા રૂ.7700 કરોડ વપરાયા
કેન્દ્ર સરકારે 2015-20 દરમિયાન જ્યાંથી ગંગા નદી પસાર થતી હોય તેવા રાજ્યોમાં નદીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં તેમજ અવિરત આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે રૂપિયા 20,000 કરોડની ફાળવણીનું વચન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં, રૂપિયા 7700 કરોડ ખર્ચ થઇ ગયા છે જેમાં મુખ્યત્વે નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણમાં ખર્ચ થયો છે.
નમામી ગંગે અને અર્થ ગંગા અં...
રમેશભાઈ કહે તેમ ખેડૂતો કરે તો રૂ.750 કરોડનો ફાયદો થાય
અમરેલી : અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢી...
હું છું ગાંધી: ૬૯ લૉર્ડ કર્ઝનનો દરબાર
મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઑફ કૉમર્સ ઇત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટેલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી ‘ઇન્ડિયા ક્લબ’માં રહેવાનું ગોઠવ્યું. એ ક્લબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો; તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. ...
મોદી સરકારની એલપીજી ગેસ યોજનામાં કૌભાંડ – CAG
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકારના દાવા મુજબ દેશના 8 કરોડ પરિવારોને લાભ મળી ચૂક્યો છે. જોકે, હવે નિયંત્રક અને કેગની આ યોજનાને લઇને સવાલ ઉભા કર્યા છે.
કેગના અહેવાલ મુજબ ઉજજ્વલા યોજનાનો વ્યાપક દુરઉપયોગ થઇ રહ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિ...
દુર્લભ વિન્ટેજ કારને નંબર, પણ રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી નહીં ! જાણો કે...
વિંટેજ મોટર વાહનો રાજ્ય સમિતિની મંજૂરી પછી, વિંટેજ મોટર વાહનો ગુજરાત રાજ્ય નોંધણી સત્તામંડળ વિન્ટેજ વાહનોને નોંધણી નંબર (નોંધણી નંબર) પ્રદાન કરશે. આ નોંધણીનું પ્રમાણપત્ર 10 વર્ષ માટે માન્ય રહેશે.
વિંટેજ કાર રજિસ્ટ્રેશન નિયમ:
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (MoRTH) એક જાહેરનામું બહાર પાડ્યું છે કે દેશમાં વિંટેજ ગાડીઓ ખૂબ જ જલ્દી નવી વિશેષ નંબ...
સોશિયલ મિડિયા કીંગ પ્રશાંત કિશોર મોદી પછી, કેજરીવાલ માટે કામ કરશે
દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે પ્રશાંત કિશોરની રાજકીય સલાહકાર કંપની 'આઈ-પેક' તેમની સાથે હાથ મિલાવી ચૂકી છે અને આ ચૂંટણીમાં તેમની સાથે કામ કરી રહી છે. કરવા જઇ રહ્યો છે આ પહેલા આઈ-પેક અનેક રાજકીય પક્ષો સાથે કામ કર્યું છે અને સફળતા પણ મેળવી છે...
ખોરાક પછી હવે દવાઓ 50 ટકા મોંઘી થશે!
બાળકોની રસી, એન્ટિબાયોટિક્સ સહિત 21 આવશ્યક દવાઓના ભાવમાં 50% વધારોની મંજૂરી
ભારતના ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર દ્વારા હાલમાં ભાવ નિયંત્રણ હેઠળ 21 દવાઓના મહત્તમ છૂટક ભાવમાં 50 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આવું કરી રહ્યું છે.
ખાવાપાવાની ચીજવસ્તુ પછી દવાઓ પણ મોંઘી પડે છે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોર...
મોબ લિંચિંગ અંગેના કાયદાને લઈને રાજ ભવન અને મુખ્યમંત્રી વચ્ચે પત્ર યુદ...
ચાર મહિનાથી રાજ્યપાલે બિલને કડક સજા, રાજભવન અને મુખ્યમંત્રી વચ્ચે લેટર વોર રાખ્યું છે
ધનખરે રાજ્યપાલ પદ સંભાળ્યાના એક મહિના પછી, 30 ઓગસ્ટે પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. બિલમાં ફાંસીની સજાની જોગવાઈ છે. રાજ્યપાલે હજી આ બિલને મંજૂરી આપવાની બાકી છે.
ચાર મહિનાથી રાજ્યપાલે બિલને કડક સજા, રાજભવન અને મુખ્યમંત્રી વચ્ચે લેટર વ...
જુનાગઢ અને મહેસાણામાં વરસાદથી ફરી એક વખત ખેડૂતોની તારાજગી
સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસન...
જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?
દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા
જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી ...
9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં
ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે.
જર્મની અને ઓસ...
ગુજરાતી
English