Friday, August 14, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

6 ગણું પ્રદૂષણ કરતાં ઉદ્યોગ, 7 ઉદ્યોગ બંધ કરાયા

પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની નિયત માત્રાઓ જાળવવામાં નિષ્ફળ એવા સાત ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વાપી સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો અન્વયે સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો નું સઘન મોનીટરીંગ કરવા માટે CPCB તથા GPCB ને આ...

કામદારોને 64 ઈનામો અપાયા

તેમણે શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમશ્રી-શ્રમદેવી એવી વિવિધ કેટેગરીમાં ૧૩૫ શ્રમિકોને ૧૭.૬૦ લાખ રૂપિયાના પુરસ્કારો ૬૪ પારિતોષિક ગુજરાત સરકારે એનાયત કર્યાં હતા. બાંધકામ શ્રમયોગીઓને કામકાજના સ્થળે જઈને આરોગ્ય સેવા પૂરી પાડતી ૧૭ ધન્વતરી રથ-ડિસ્પેન્સરીનો શરૂ કરી છે. જેમાં નવ લાખથી વધુ શ્રમિકોને સારવાર આપી છે. નવા બીજા ૧૭ ધન્વન્તરી રથ શરૂં કરાયા છે...

 કિન્નર કલ્યાણ બોર્ડની રૂપાણીએ રચના કરી

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે કિન્નર વ્યકતિઓના સમુદાયને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે. કિન્નર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કિન્નર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. સામાજિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવા માટે કામ કરશે...

અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાની ધરપકડ

પાટીદાર અનામત  આંદલનના નેતા અલ્પેશ કથિરીયાની સુરત પોલીસે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો. મિત્રના લગ્નમાં તે હાજરી આપવા આવ્યા હતા. રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. ...

યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિ કેમ નિયુક્ત કરાતાં નથી ?

છેલ્લા અનેક વર્ષોથી રાજ્યની મોટા ભાગની સરકારી યુનિ.ઓમા ઉપકુલપતિની જગ્યા ખાલી છે. સૌરાષ્ટ્ર યુનિ.મા સરકારે કુલપતિ સાથે ઉપકુલપતિની પણ નિમણૂંક કર્યા બાદ હવે રાજ્યની તમામ સરકારી યુનિ.મા ઉપકુલપતિ સરકાર દ્વારા નિમણુંક કરવા માગે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યાં છે.  કુલપતિ સંપૂર્ણ સત્તા ભોગવે છે. ઉપકુલપતિ નિમાય તેવુ કુલપતિ ઈચ્છતા નથી. સ્ટેચ્યુટ-એક્ટ મુજબ કુલપતિ...

ગુજરાતની કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ સરકારનો લશ્કરના જવાનોને કેવા અન્યાય ...

ગુજરાત વિધાનસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મિરમાં મૃત્યુ પામેલા બીએસએફ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરાપણ હિંમત હારવાની નથી. શહીદો પર દેશને ગર્વ થાય છે. જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત...

ગુજરાતમાં વર્કિંગ સમિતિની બેઠકમાં પ્રિયંકા ગાંધી આવશે

૫૯ વર્ષ બાદ અમદાવાદમાં 28મી ફેબુ્રઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે જેમાં પક્ષ પ્રમુખ ઉપરાંત પ્રિયંકા ગાંધી આવશે. પ્રથમવાર સોનિયા, રાહુલ, પ્રિયંકા એક મંચ પર જોવા મળશે. અડાલજના ત્રિમંદિર ખાતે જનસભાને કોંગ્રેસના નેતાઓ સંબોધશે. લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા કોંગ્રેસનુ નેતૃત્વ ગુજરાતમાં, રાહુલ, પ્રિયંકા સહિતના ૫૫ નેતાઓ ગુજરાત આવશે. લોકસભાની...

આવસાન પામેલા 6 પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપતી ગુજરાત વિધાનસભા

૧૪મી વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને વિધાનગૃહના પૂર્વ સભ્યો સ્વ.પ્રવિણસિંહજી ગંભીરસિંહજી ગોહિલ, સ્વ. જીતસિંહ સોમસિંહ પરમાર, સ્વ.પ્રેમજીભાઇ શિવાભાઇ વડલાણી, સ્વ. ભગવાનસિંહજી રાયસિંહજી ચૌહાણ અને સ્વ. જ્યંતીલાલ પરષોત્તમભાઇ ભાનુશાળીના અવસાન અંગે શોક વ્યકત કર...

370 દૂર કરવા  #remove370article નું 10 દિવસ ટ્વિટ અભિયાન શરૂ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરને ભારતનાં બંધારણમાં ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે તે 370 કલામ રદ કરવા માટે ગુજરાતમાંથી 10 દિવસ સુધી ટ્વીટ આંદોલન શરૂ થયું છે. આતંકવાદને ખતમ કરવા, ભાજપ સરકારના વચનના અમલ માટે 370ની કલમને નાબૂદ કરવા પ્રધાનમંત્રીને આંદોલનની શરૂઆત સામાજિક નેતા પ્રવિણ રામ દ્વારા ટ્વિટ કરીને કરવામાં આવી છે. 10 દિવ...

ભાનુશાળીની હત્યાની પૂરી વિગતો, ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે ?...

બળાત્કાર અને હત્યાની ભૂમિ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બ...

કેમરામાં 4 વખત વઘ દેખાતા રાતના બહાર નિકળવા પર કડાણામાં પ્રતિબંધ

મહીસાગર અને કડાણા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નિકળવા કે બહારના લોકોએ રાજપા સમયે પ્રવેશ ન કરવા માટે વન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે, અહીં વન વિભાગના ટ્રેપ કેમેરામાં 4 વખત વાઘ દેખાયો હતો. તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે ...

લોકસભામાં ઉમેદવાર બનવાની વાત આવતાં જ અલ્પેશ ઠાકોરસામે વિરોધ

પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ઉભા રાખવાની તેમના સમર્થકોએ માંગ કરતા વિવાદ થયો હતો, આ વાત આવતા જ તેમના વિરોધી જૂથે હંગામો કર્યો હતો, અહીના ઠાકોર સમાજના લોકોનું કહેવું હતું કે બનાસકાંઠા જિલ્લા બહારના વ્યક્તિ આ શિબિરમાં જોડા...

જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ, ભાજપ વારંવાર કેમ હારે છે

ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર...

પંચાયતોની મધ્યસત્ર ચૂંટણીમાં કોઈની સામે પલગાં ન ભરાયા

અઢી વર્ષનુ શાસન પૂર્ણ થતાં 20 જૂન 2018ના રોજ રાજ્યની ૩૧ જીલ્લા અને ૨૦૦ તાલુકા પંચાયતોમાં ફરી એક વાર પ્રમુખ સહિતના હોદ્દા માટે મધ્યસત્ર ચૂંટણી યોજાઇ હતી. ચૂંટાયેલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતી. મહિલા સભ્યનુ વસ્ત્રાહરણ થયુ હતું. હોર્સટ્રેડિંગ થતાં કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતોમાં એવી બાજી પલટાઇ હતીકે,સત્તા પરિવર્તન થયુ હતું. તેમ છતાં તેમાં આજ સુધી સરક...

ભાજપમાં બળવાખોરીથી 10 બેઠકો ગુમાવી, હવે કોંગ્રેસ તેનો લોકસભામાં ફાયદો ...

બળવો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હત...