Admin
70 હજારને ખાનગી ઉદ્યોગોમાં નોકરી માટે જોબ ફેર
જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી-ર૦૧૯ સુધી ૩૩ જેટલા મેગા પ્લેસમેન્ટ ફેર યોજાશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના વિદ્યાર્થીઓ માટે ૬૦ હજારથી વધુ રોજગારીની તકો પ્લેસમેન્ટ પૂરી પાડતા મેગા પ્લેસમેન્ટ ફેર નો પ્રારંભ થયો હતો. પ્લેડાયરેકટર ટેકનીકલ એજ્યુકેશન અને મારૂતિ મોટર્સ, CII સહિતના જૂથો સાથે સ્કીલ
ડેવલપમેન્ટ અને સેન્ટર...
અમિત શાહની ફિરકી પકડી વાઘાણીએ, રૂપાણી રાજકોટમાં
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના વાડજમાં મકરસંક્રાતિની ઉજવણી કરી હતી, શાહે નવા વાડજ ખાતે એક મકાન પર પતંગ ઉડાવવાની મજા લીધી હતી, આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી અને અમિત શાહે પતંગ ઉડાવવાની મજા માણી હતી, આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓએ ...
ભાજપની શિસ્તના ધજાગરા રેશ્મા પટેલે કર્યા
પાટીદાર આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે, ભાજપની સ્થિતિ તો એવી થઇ છે તે રેશ્માને બહારનો રસ્તો પણ બતાવાય તેમ નથી, રેશ્માએ એક મેસેજ બધાને મોકલ્યો છે, જેમાં તેમને લખ્યું છે કે મને આજે લોકો મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે, સાથે કોલ કરીને પૂછી રહ્યાં છે કે રેશ્માદીદી પવન કેવો છે ? તેમના આ સવાલ પર હું હસ...
અમિત શાહને ‘સુવરનો’ તાવ : સુવર સાથે સરખામણીથી વિવાદ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો છે અને તેઓ હાલમાં દિલ્હીની એઇમ્સમાં સારવાર લઇ રહ્યાં છે,ત્યારે તેમના પર કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ બી.કે.હરિપ્રસાદે વિવાદિત ટિપ્પણી કરી છે, શાહની બિમારી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેને સુવરનો તાવ’ આવ્યો છે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો શાહ કર્ણાટક સરકારને અસ્થિર કરવાના પ્રયાસ ચાલુ રાખશે તો તેમને ...
અદાણીએ 25 હજહાર કરોડ રોક્યા નથી ત્યાં બીજું 55 હજાર કરોડના એમઓયુ
ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ સમિટ- 2015માં જાહેર કરેલા 25 હજાર કરોડનું રોકાણ હજુ કાગળ પર જ છે ત્યાં ફરી એકવાર 55 હજાર કરોડ રોકવાની જાહેરાત કરી છે. મોદી PM બન્યા બાદની પ્રથમ વાઈબ્રન્ટ- 2015માં 25 હજાર કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છ-મુદ્રામાં સ્થાપવાની જાહેરાત કરી હતી. સૌથી મોટો સવાલ એ છે કે હજુ જુનું રોકાણ કર્યું નથી ત્યાં નવું રોકાણ ક્યા...
કોંગ્રેસે પાસના અતુલ પટેલનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું
પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા અને કોંગ્રેસ નેતા અતુલ પટેલ પર તેમના જ એક સમયના સાથી અને હાલના ભાજપ નેતા રેશ્મા પટેલે મોટું નિવેદન આપ્યું છે, જેને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, રેશ્માએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે કોંગ્રેસે પહેલા તો પાસના પ્રવક્તા અતુલ પટેલને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો અને બાદમાં તેમને હાંસિયામાં ધકેલી દીધા, થોડા દિવસો પહેલા કોંગ્ર...
ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરને સામેલ કરશે તો કોંગ્રેસને ટેકો – VH...
VHP તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો જાહેર સભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચામાં છે. આલોક કુમારે કહ્યું કે, જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મંદિર બનાવવાનો મુદ્દો સામેલ કરશે તો તેમને સમર્થન આપવા અંગે વિચારી શકાય છે. નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ...
હતાશ શંકરસિંહ NCPમાં જોડાશે
કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાશે, તેઓ 29 જાન્યુુઆરીએ અમદાવાદમાં શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાઇ શકે છે, છેલ્લા ઘણા સમયથી અટકતો હતી કે બાપુ ગુજરાતના રાજકારણમાં કંઇક નવું કરશે અને હવે સમાચાર આવ્યાં છે કે તેઓ એનસીપીનો હાથ પકડશે, અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસથી નારાજ શંકરસિંહે પાર્ટી છોડ...
ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત, ચિખલીની આક્રમક રેલી બાદ સરકારનો નિર્ણય
ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો સ્થગિત કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરવી પડી છે, આદિવાસીઓ અને ખેડૂતોની મોટી રેલી બાદ સરકારે ઝુકવું પડ્યું છે. ભાજપ સરકાર સામે ખેડૂતો અને આદિવાસીઓનો વિરોધ વધી રહ્યો છે, હવે પોતાની જમીન બચાવવા દક્ષિણ ગુજરાતના ચિખલીના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તા પર આવી ગયા છે, આ નજારો જોઇને જ જાણી શકાય છે કે સરકાર સામે...
સુઝુકીના ચાલુ પ્લાન્ટના ઉદધાટનની મુખ્યપ્રધાને જાહેરાત કરી
રૂપાણીએ માર્યો લોચો..! CM રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટ 2019ની સફળતાના ગુણગાન ગાવા માટે બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી એવી જાહેરાત કરી કે ગુજરાત સરકાર 27 નવા પ્રોજેક્ટનું માર્ચ સુધીમાં ઉદ્ધાટન કરશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ 27 પ્રોજેક્ટમાં મોટા ભાગના પ્રોજેક્ટ તો અગાઉથી જ કાર્યરત છે. તો રૂપાણી ઉદ્ધાટન કોનું કરશે ? ગોળગોળ વાતોમાં સાચી વાત એવી છે ...
કોંગ્રેસે જાહેર કરી નરસી પટોડિયાના સ્ટિંગની સીડી
રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નરસી પટોડિયા નામના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પહેલા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસે શુક્રવારે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ લગાવ્યો છે કે નરશી પટોડિયા પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને દબાણ ઉભ...
40 સભ્યોની માતા સિંહણનો કોલર આઈડી પટ્ટો દૂર કરાયો
સિંહપ્રેમીઓને ગર્વ છે કે રાજમાતા સિંહણ હવેગળામાં લટકતા બિનજરૂરી ભારથી મુકત થઈ છે. લીલીયા બૃહદગીરમાં વસતું 40 થી વધુ સાવજોનું ગૃપ આ ઘરડી સિંહણે વસાવ્યું છે. તેના ગળામાં 11 વર્ષ પહેલા વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટોટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા કોલર આઈડી લગાવાનો હતો. પરંતુ આઠ વર્ષ પહેલા તે બંધ પડી જવા છતાં તે પટ્ટો દુર કરાયો ન હતો. પરંતુ હાલ કેટલાક સમયથી આ સિંહણના...
સાવરકુંડલામાં મગફળીની 11 હજાર ગુણીઓ ખડકાઈ ગઈ
ટેકાના ભાવની મગફળીની ખરીદીને રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા સાવરકુંડલા ખેપીએમસી ખાતે થયા છે જેથી ખેડૂતોને ખેતજણસો કયાં રાખવી તે મુશ્કેલી સર્જાઈ છે. ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્લા ર0 થી રપ દિવસથી મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર0 વિઘાના વિસ્તારના એપીએમસીમાં કયાંય જગ્યા બાકી નથી. 4 હજાર આસપાસના ખેડૂતોના રજ...
વીજ વાયરથી ચાર પેલીકન- પેણ પક્ષીનાં મોત
મહુવામાં અનેક યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા મહેમાન બન્યા કે તો ઘણા ખરા સ્થાયી થયા છે, છતાં તેની જાળવણી માટે વન વિભાગ ઘ્યાન આપતું નથી. પરિણામે આવા પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ રહૃાા છે. પશુપંખીનાઅનેકવાર મોત થયા છે.વનવિભાગ ઘ્યાન આપતું નથી ત્યાં આજે એક સાથે ચાર પેલીકન પક્ષીઓના શોક લાગવાથી મોત થતા આક્ષેપો પુરવાર થયા હતાખુલ્લા તારો સાથે વીજ લાઈન પક્ષી...
5 લાખ મહિલાઓને 181ની મદદ મળી
181 હેલ્પલાઈનનો રાજયવ્યાપી વિસ્તરણ રેસ્કયુવાન સહિત સમગ્ર રાજયમાં ગત તા.8 માર્ચ ર01પ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાં રોજ કરવામાં આવ્યો હતો. આ રાજયવ્યાપી વિસ્તરણ બાદ માત્ર 4 વર્ષના સમય ગાળા દરમીયાનમાં જ પ લાખ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ, માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જયારે 1 લાખ કરતાં વધારે મહિલાઓને તાલીમબઘ્ધ કાઉન્...

English