- 3 જીવંત બોમ્બ મળ્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટ વજીરગંજ વિસ્તારમાં થયો હતો. આમાં ઘણા વકીલો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કોર્ટ પરિસરમાં 3 જીવંત બોમ્બ મળી આવ્યા છે. વકીલ સંજીવ લોધી પર હુમલો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંથી મળી આવેલા ત્રણ જીવંત બોમ્બને પોલીસે ઝડપી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોમ્બ હુમલો પરસ્પરના વિવાદને કારણે થયો છે. કોર્ટમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે હુમલો હરીફાઈના કારણોસાર કરવામાં આવ્યો હતો.
આ હુમલો બે વકીલો વચ્ચેના પરસ્પર વિવાદમાં થયો હતો. જીતુ યાદવ પર બોમ્બ ફેંકવાનો આરોપ છે. સ્થળ પર જીવંત બોમ્બ મળી આવ્યા છે. એક વ્યક્તિને વધુ ઈજા થઈ છે. બાકીના બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ કેસની તપાસ કરી રહી છે.