[:gj]ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર્તે છે[:hn]भरतसिंह ने अपनी दूसरी पत्नी के खिलाफ सार्वजनिक नोटिस जारी कर कहा कि वह मनमानी कर रहा है[:]

[:gj]Bharat Solanki issued a public notice against his second wife

ગાંધીનગર, 13 જૂલાઈ, 2021

ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત મા. સોલંકીએ તેમના વકીલ મારફતે પોતાની પત્ની સામે સમાચારપત્રમાં જાહેર નોટિસ છપાવી છે. તેમાં પત્ની રેશમા છેલ્લા ચાર મહિનાથી તેમનાથી અલગ રહેતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાથે જ આ નોટિસમાં ભરતસિંહ સોલકીએ કોઈ પણ વ્યક્તિએ તેમની પત્ની સાથે તેમના નામ પર કે ઓળખાણ પર નાણાકીય કે કોઈ પણ જાતનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ જાહેર નોટિસમાં ભરતસિંહ સોલંકીના વકીલ દ્વારા લખવામાં આવ્યું હતું કે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વહેરા ગામમાં આવેલી બેવર્લી હિલ્સમાં રહેતા ભરતસિંહ સોલંકીની સુચનાથી આ જાહેર નોટિસ આપવામાં આવે છે કે, અમારા અસીલની પત્ની રેશ્માબેન તે પ્રકાશચંદ્ર મણીલાલ પટેલના દીકરી છે અને તે હાલ તેઓ વડોદરાના અર્પીતા સોસાયટીમાં રહે છે અને છેલ્લા 4 મહિનાથી તેઓ સાથે રહેતા નથી. તેઓ અલગ રહીને મનસ્વી રીતે વર્તતા આવેલા છે.

સોલંકી રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે. અને તેઓના નામ તથા ઓળખાણનો દુરુપયોગ કરીને  પત્ની સાથે કોઈ પણ ઇસમે નાણાકીય તેમજ કોઈ પણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. તેમજ તેણીનીએ પણ મારા નામ તથા ઓળખાણનો દુરુપયોગ કરીને કોઈ પણ ઇસમ સામે નાણાકીય તેમજ કોઈ પણ પ્રકારનો લેવડ-દેવડનો વ્યવહાર કરવો નહીં. જો તેવું કર્યાનું મારા ધ્યાનમાં આવશે તો તેણીની સામે  કાયદેસરની કાર્યવાહી કરાશે. તેની જાહેર જનતાએ નોંધ લેવી.

આ બાબતે ભરતસિંહ સોલંકીએ જાહેર કર્યું હતું કે, મે છૂટાછેડા લેવા પણ કહ્યું હતું. પણ તે બાબતે તેમણે સંમતિ આપી નથી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી અને માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે તેવી સગવડ કરી આપી છે. પણ આની તેમના પર કોઈ હકારાત્મક અસર થઇ નથી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી ગઈ, તેથી મેં આમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકશાન થવાનો ભય છે. પણ મારા માટે જે ઓછું નુકસાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો. તેથી મેં આ નોટિસ મોકલી છે.

સોલંકીએ જાહેર કર્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતા હતા. મારા ઘરે આવીને રહે તો પણ કોઈ વાતચીત કરતા નહોતા. શરૂઆતમાં મેં આ બાબતે સમજાવટથી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો. પણ તેમ થયું નહીં. એ પછી કૌટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ કઈ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માટે માંગે છે. મને કઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાના હોય તેવો મને ભય છે.

આ પણ વાંચો

કોંગ્રેસના બંધુઓનો ઠાકોર-ક્ષત્રિય વાદ ફરી એક વખત ચરમસિમાએ

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

https://allgujaratnews.in/gj/even-after-the-death-of-ahmed-patel-the-monster-of-factionalism-remains-in-the-congress/[:hn]Bharat Solanki issued a public notice against his second wife

गांधीनगर, 13 जुलाई, 2021

डॉ. रेखा सोलंकी पहली पत्नी थीं। अहमदाबाद में डॉक्टर के रूप में उनकी अच्छी प्रतिष्ठा है। माधव सिंह सोलंकी ने रेखा से शादी की पुष्टि की थी। लेकिन रेशमा से शादी को वैध माधवसिंह नहीं मानते थे। क्योंकि वे अचानक विदेश भाग गए और शादी कर ली। नई पत्नी के साथ 4 साल से विवाद चल रहा था।

वयोवृद्ध कांग्रेस नेता और गुजरात कांग्रेस के पूर्व अध्यक्ष भरत मां. सोलंकी ने अपने वकील के जरिए अपनी पत्नी रेशमा के खिलाफ अखबार में सार्वजनिक नोटिस छापा है। इसमें यह भी जिक्र है कि उसकी पत्नी रेशमा पिछले चार महीने से उससे अलग रह रही है। वहीं इस नोटिस में भरतसिंह सोलकी ने उल्लेख किया है कि किसी को भी अपनी पत्नी के साथ अपने नाम या अपनी पहचान पर आर्थिक या किसी भी तरह का लेन-देन नहीं करना चाहिए.

सार्वजनिक नोटिस में, भरतसिंह सोलंकी के वकील ने लिखा कि आणंद जिले के बोरसाड तालुका के वेहेरा गांव के बेवर्ली हिल्स निवासी भरतसिंह सोलंकी के निर्देश पर सार्वजनिक नोटिस जारी किया गया था कि हमारे मुवक्किल की पत्नी रेशमाबेन की बेटी है। प्रकाश चंद्र मणिलाल पटेल रहते हैं और वे पिछले 4 महीनों से एक साथ नहीं रहते हैं। वे अलग-थलग हैं और मनमाने ढंग से व्यवहार कर रहे हैं।

मेरी राजनीतिक के साथ-साथ सामाजिक प्रतिष्ठा भी है। और अपने नाम और पहचान का दुरुपयोग कर किसी को भी अपनी पत्नी के साथ आर्थिक या किसी भी तरह का लेन-देन नहीं करना चाहिए। साथ ही, वह मेरे नाम और पहचान का दुरुपयोग करके किसी भी आईएसएम के खिलाफ कोई वित्तीय या किसी भी तरह का लेनदेन नहीं करेगी। अगर मेरे संज्ञान में आता है तो उसके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। जनता को संज्ञान लेना चाहिए।

इस संबंध में भरतसिंह सोलंकी ने घोषणा की कि उन्होंने तलाक भी मांगा है। लेकिन वह इसके लिए राजी नहीं हुए। मैंने उन्हें एक बंगला, एक कार और 1.5 लाख रुपये की मासिक आय प्रदान की है। लेकिन इसका उन पर कोई सकारात्मक प्रभाव नहीं पड़ा है। हमारे रिश्ते में दरार और बढ़ गई, इसलिए मैंने इससे निकलने का रास्ता निकालने की कोशिश की। मैं व्यक्तिगत रूप से इससे डरता हूं। लेकिन मुझे लगा कि इसके बारे में जाने का यह सही तरीका था। इसलिए मैंने यह नोटिस भेजा है।

सोलंकी ने कहा, “हमारे बीच लंबे समय से झगड़ा चल रहा था और वे मनमाने ढंग से व्यवहार कर रहे थे।” अगर वह मेरे घर भी आता तो कोई उससे बात नहीं करता। शुरू में मैंने मामले को समझाने का प्रयास किया। लेकिन वैसा नहीं हुआ। परिजनों की मध्यस्थता के बाद भी कोई नतीजा नहीं निकला। मुझे नहीं पता कि वे भविष्य में क्या करना चाहते हैं। मुझे डर है कि वे मुझे चोट-नुकसान पहुँचाने के लिए कुछ करने जा रही हैं।[:]