ત્રાસવાદીની જેમ ખેડૂતો પર પોલીસ ત્રાટકી
આ કોઈ આંતકવાદીઓ સામે ઓપરેશન માટેની તૈયારી નથી. પરંતુ કચ્છના માંડવી તાલુકાના નાના ભાળિયાં અને તરગાડી ગામમાં આવેલાં ખેડૂતોની જમીનો છીંનવવા માટેની કચ્છ જિલ્લા કલેકટરના વહીવટી તંત્રની કામગીરી છે. આ જમીનો છીંનવીને ઉદ્યોગકારોને આપવાનું નક્કી કરવામાં આવેલું છે.
જ્યારે હકીકત એ છે કે આ જમીનો 1966માં સરકાર દ્વારા 35 જેટલા ખેડૂતોને આપવામાં આવેલી હ...
મરચાંનો પાક નિષ્ફળ, વરસાદના અભાવે પાક સુકાયો
ચાલુ વર્ષે પાછોતરા વરસાદના અભાવે ખેડૂતોને ભારે માર પડી રહ્યો છે. ત્યારે ગોંડલ પંથકમાં મરચાનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોએ મરચાંના મોંઘા બિયારણો, ખાતર દવાના ખર્ચાઓ કર્યા બાદ મરચાંનો પાક સૂકાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ પુરતો પાક ન થવાના કારણે મરચાંનો ભાવ પણ ઊંચો જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં મેઘર...
અપૂરતાં વરસાદનાં કારણે બનાસકાંઠામાં મગફળીનાં પાકમાં ઘટાડો
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે અને ગત વર્ષ કરતા આ વર્ષે મગફળી ઓછી થઈ હોવાના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ જ...
મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...
બનાસ ડેરીનું ખાદ્યતેલ પણ બજારમાં મુકવામાં આવશે
બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાઓની દૂધ મંડળીના ચેરમેન/મંત્રીઓ સાથે સીધો સંવાદાત્મક ચિંતન શિબિરનું ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શંકરીભાઈ ચૌધરીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, હાલના સમયમાં દુધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી ચાલે છે. છતાં પણ બનાસ ડેરી દૂધના ભાવ સૌથી વધારે ચૂકવે છે. આ ચિંતન શિબિરમાં બનાસ ડેરી હજુ સ...
રાસાયણિક ખેતી પદ્ધતિથી છોડી હવે આધ્યાત્મિક
ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનુ બીડું ઝડપ્યું છે.
કહેવત છે કે જેવું અન્ન તેવું મન...
ખેડૂતો માંગે પાણી, ધારાસભ્યોને પગારની લ્હાણી
ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસભા...
મોરબીના ડેમી બંધના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદી વિરોધ
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું છ...
ભ્રષ્ટાચારથી બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર નહેરમાં ગાબડું
બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ ર...
દેવભૂમિ દ્વારકાનાં ખેડૂતોએ જમીન માપણીનાં વિરોધમાં ઉતારી આરતી
જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી જગતનાં તાત માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. છેલ્લાં 22 વર્ષથી ભાજપનાં શાસન દરમિયાન ખેડૂતોને પારાવાર તકલીફો સહન કરવાની નોબત આવી ગઈ છે. ખેડૂતોનાં દેવાં માફીની વાત હોય, કે પછી પાણી માટે તાતનો પોકાર હોય કે પછી જમીન માપણીનો વિવાદ હોય. આ તમામ મુદ્દાઓમાં ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. રાજકીય પક્ષો પણ પોતાનો રાજકીય ર...
ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જતાં અમરેલીનાં યુવા ખેડૂતે કરી આત્મહત્યા
ગુજરાતનાં તાતનાં માથે ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં દેવા માફી અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી, ત્યાં બીજી બાજુ અમરેલી જિલ્લામાં પાક નિષ્ફળ જવાના ડરે વધુ એક ખેડૂતે આત્યહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં વાવડી ગામનાં 35 વર્ષીય અનકભાઈ ગભરૂભાઈ જેબલિ...
લોટા દ્વારા પાણી ભરી ખેડૂતોએ સિંચાઈનો કર્યો વિરોધ
મોરબી પંથકમાં જળ માટે જંગ કરી રહેલાં ખેડૂતોનાં આંદોલનને આજે સાતમો દિવસ છે. આ પંથકનાં 20 ગામોનાં ખેડૂતો દ્વારા પોતાનો પાક બચાવવા માટે પાણીની માંગણી કરવામાં આવી રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે મતો મેળવવાની લ્હાયમાં ભાજપ સરકાર દ્વારા પાણીની વિવિધ યોજનાઓને અમલી કરવામાં આવી હતી અને ખાસ કરીને સૌની યોજના અમલી કરીને મોટા પાયે પાણીનાં વધામણાં કરવામ...
લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ
ખેડૂતોની હામી કહેવાતી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને કારણે દિવસે દિવસે ખેડૂતો દ્વાર વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યમાં ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યાં છે. થોડાં સમય પહેલાં હાર્દિક પટેલે ગુજરાતનાં ખેડૂતોનાં દેવાં માફીને લઈને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉપાડ્યું હતું. પરંતુ, રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા પણ આ...
દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂ...
દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરતી વખતે દૂધ ઢોળાવવાનો વીડિયો વાયરલ
એકબાજુ ખેડૂતોને તેમનાં પાકનાં પોષણક્ષમ ભાવ ન મળતાં જગતનો તાત દેવાંનાં ડૂંગરતળે દબાતો જઈ રહ્યો છે, અને તાતનાં આપઘાતનાં કિસ્સા પણ વધી રહ્યાં છે. તેવી જ રીતે જ્યારથી ભાજપની સરકાર દ્વારા સહકારી દૂધ મંડળીઓમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દેવાયા બાદ પશુપાલકોને પણ...
ફિશિંગનાં ખર્ચ સામે માછલીનાં યોગ્ય ભાવ ન મળતાં માછીમારોમાં નારાજગી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરમા માછીમારીની સિઝન પૂરજોશમાં ચાલુ થઈ છે. પરંતુ માછલીનો યોગ્ય ભાવ ન મળતાં માછીમારોની નારાજગી જોવા મળી છે. જેને લઈ માછીમારો પાયમાલ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
દેશ અને દુનિયાને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતાં વેરાવળ બંદરમાં આમ તો સુવિધાના નામે મીંડુ છે. પરંતુ માછીમારોને પણ યોગ્ય ન્યાય મળતો નથી. ત્યારે વા...

English