7 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાક વીજળી, ગુજરાતમાં 8 કલાક પણ પૂરી નહીં
ભારત સરકારના સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટીના રિપોર્ટને પ્રમાણે ગુજરાત કરતાં દેશના અન્ય 16 રાજ્યોમાં ખેડૂતોને 24 કલાકથી લઈ 9 કલાક સુધી વીજળી આપવામાં આવે છે અને તે પણ દિવસના સમયે. જ્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને માત્ર 8 કલાક વીજળી અને તે પણ દિવસ-રાતના રોટેશન પ્રમાણે આપવામાં આવે છે. રાજ્યનું નામ જાન્યુઆરી-2017માં ખેતી માટે વીજળી (કલાકમાં) પોંડિચ...
બુલેટ ટ્રેનના સરવે માટે ડુમરાલ આવેલાં અધિકારીઓને ભગાડ્યા
નડિયાદ – નડિયાદ નજીક ડુમરાલ ગામમાં બુલેટ ટ્રેનનો સરવે કરવા આવેલી 10 સભ્યોની એક ટૂકડીનો વિરોધ થતાં સ્થળ પરથી તેમણે ભાગી છૂટવું પડ્યું હતું. જમીન સંપાદન અને સ્થળ માર્કિંગ માટે આવ્યા હતા. ગ્રામજનોએ ગામને પાયાની સુવિધા અને રસ્તાઓ ન આપતાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જમીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ગામની પાસેથી નેશનલ હાઈવે બન્યા બાદ નડિયાદ આવતા ૩ જેટલા રસ્ત...
સરકાર ખેડૂતોને ડૂંગળીની રૂ.13 કરોડની ખોટ એક વર્ષથી ભરપાઈ કરી આપતી નથી
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી પાકે છે તે ભાવનગર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. 2017માં ડુંગળી આવી હતી કે તેના ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં હતા ત્યારે ગુજરાત સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું હતું. આવી 13 કરોડ રૂપિયાની રકમ હજુ સુધી સરકારે આપી નથી. ખેડૂતો છેલ્લા એક વર્ષથી માગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકાર તેમને સબસીડી આપતી નથી. ભાવ...
ખેડૂતોના વિરોધ વચ્ચે બુલેટ ટ્રેન માટે જમીન બળજબરીથી જપ્ત કરવા ભાજપ સરક...
અમદાવાદથી મુંબઇના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનો જપ્ત લેવા માટે તેની સંપાદનની કામગીરી પૂરી કરી દેવાશે, એવું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના આઠ જિલ્લાઓમાંથી ટ્રેન પસાર થાય છે અને તેમાં આણંદ અને ખેડા કે જે ખેડૂતોની અત્યંત કિંમતી જમીન આવેલી છે જમીનો સરકાર કાયદા હેઠળ પોતાના હસ્તક લઈ લેવા માટે આખરી તબક્કામાં છે. પરંતુ ખેડૂતો એનો વિરોધ કરી ર...
કેટલાં ખેડૂતોએ આત્મહત્યા કરી ?
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે. ખેડૂતો અને ખેત મજૂરોની સૌથી વધુ આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા...
એફ.પી.ઓ શું છે ?
સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ખેડૂત ઉત્પાદન સંગઠન (એફ.પી.ઓ ) ખેડૂતો માટે ઘણું ઉપયોગી છે એફ.પી.ઓ શું છે
નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એ...
સરગવાની ખેતી કરી શકાય છે
સરગવાનો દરેક ભાગ ખાવાલાયક છે. તેના પત્તાને પણ તમે સલાડ તરીકે ખાઇ શકો છો. સરગવાના પત્તા, ફૂલ અને ફલ તરેક ઘણા પોષક હોય છે.
ગરમ વિસ્તારોમાં સરળતાથી તેના ફૂલ મળી જાય છે. તેને વધુ પાણીની જરૂર રહેતી નથી. ઠંડા પ્રદેશોમાં તેની ખેતી બહુ પ્રોફિટેબલ હોતી નથી કાણ કે તેના ફૂલને ખિલવા માટે 25થી 30 ડિગ્રી તાપમાનની જરૂર રહે છે. ચિકાશવાળી માટીમાં તે સારો ગ્રોથ કરે...
સાવરકુંડલા માર્કેટયાર્ડનાં 12 ડાયરેકટરની ચૂંટણી માટે 24 ઉમેદવાર
સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે ચિત્ર સ્પષ્ટ થતા કુલ ર4 ઉમેદવારો મેદાનમાં રહૃાા છે. તેમાં યાર્ડનાં વર્તમાન ચેરમેન સહીત 11 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયેલ છે. આ ચૂંટણી જંગ દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્ચે જામશે અને બે ડીરેકટરો બીન હરીફ થવા પામેલ છે. આ અંગેનાં મળતા અહેવાલ એવા છે કે આગામી ત...
ચલાલામાં પશુ ચિકિત્સકન હોવાથી પશુઓના મોત વધી રહ્યા છે
અમરેલી જીલ્લાના હાર્દસમુ ચલાલા શહેર તેમજ આજુબાજુના અંદાજે 30 ગામો મોટા ઉદ્યોગો, આરોગ્ય, રોડ-રસ્તા, રેલ્વે, સુરક્ષા, શિક્ષણ, સિંચાઈ સહિત દરેક ક્ષેત્રે અતિઅલ્પ વિકસિત તથા અતિપછાત છે. ત્યારે અહીના લાખો લોકો ખેતી, ખેતમજુરી તથા પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે.
જયારે આ વિસ્તારના લોકોની આજીવિકા માત્રને માત્ર પશુઓ જ છે. ત્યારે ચલાલા તેમજ આજુબાજુના અ...
અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે
અમૂલ ડેરી એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા યુએસએમાં નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટર્સ દ્વારા યુએસની મુલાકાત લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ અમૂલ ડેરી દ્વારા એનઆરઆઇ સાથે કરાયેલા ત્રીપક્ષીય કરાર આધારિત ન્યુજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી ...
ફોસ્ફરસ ખાતરોના વધતા ખેડૂતો ફરી છાણીયા ખાતરના યુગમાં જઈ રહ્યાં છે
આંતરરાષ્ટ્રીય બજારોમા ડીએપી બનાવવા કાચામાલ તરીકે વપરાતા ફોસ્ફરીક એસિડ અને રોક ફોસ્ફેટ નાં વધી રહેલા ભાવોને કારને ફોસ્ફરસયુક્ત ખાતરોનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્રારા ડીએપી ખાતરમા ૨૦ થી ૫૦ રૂપિયાનો નવો ભાવ વધારો ઝીંકાયો છે પરિણામે ખેડુતો માટે હવે ખેતી ખૂબ જ ખર્ચાળ બની છે. છેલ્લા એક વરસમાં ડીએપી તેમજ તેનાં ઘટક તત્વોનું સંયોજન ધરાવતાં ખાતરોમાં થઈ રહેલા બે...
ગામતળાવ ભરવાની માંગ સાથે વાવના ખેડુતોનું આવેદનપત્ર
સામાન્ય વરસાદમાં ખેતી કરેલ પાક બળતો હોઇ વાવ તાલુકાના છેવાડાના રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ગામને રેગ્યુલર નહેરનું પાણી મળે તથા તળાવો ભરવાની પણ માંગણી કરવામાં આવી હતી. વાવ તાલુકાના છેવાડે આવેલા રાછેણા ગામના ખેડુતો દ્રારા શુક્રવારે થરાદની પ્રાંતકચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જ...
હાર્દિકના સમાધાનની રાહ ન જોઈ અને દેવું વધતાં ખેડૂત કુટુંબે આત્મહત્યા ક...
ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્લા 13 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે. ત્યારે ખેડૂતોએ લીધેલ લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્મહત્યા કરી રહયા છે. ત્યારે અમરેલી જિલ્લાના ચાંદગઢ ગામે રહેતા એક ખેડૂતના કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે અને લીધેલ લોન ભરપાઈ થઈ શકે તેમ ના હોવાના કારણે ગઈકાલે આપઘાત કરી લીધો હતો. જયારે તેમના ...
હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી, ભાજપ ખેડૂતોને સહાય કરે – ધારાસ...
ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, હાર્દિકના ઉપવાસ અંગે ભાજપના વીજળી પ્રધાન સૌરભ પટેલે કોંગ્રેસ પ્રેરિત કહીને સમગ્ર પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. હાર્દિકનો ઉપવાસ એ કોઇ કોંગ્રેસની માંગણી પુરી કરવા માટેનો નથી પરંતુ સમગ્ર પાટીદાર સમાજ, રાજયના ખેડૂતોના કૃષિ બજેટમાં તેમજ સબસીડીમાં વધારો કરવા, કૃષિ ઉપજને જીએસટી મુકત કરવા, કૃષિ ઓજારોને કરવેરા મુક...
વિદ્યાર્થીએ નૈસર્ગિક જંતુનાશક દવા બનાવી, દવાથી છોડનો વિકાસ 20 ટકા વધી ...
આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે માસ્ટર ઓફ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કરતા કપડવંજના વિદ્યાર્થી જીમીશ પરેશ પટેલે એક અદભુત નેચરલ પેસ્ટિસાઈડ્ઝની શોધ કરી છે. તેમની આ શોધ અંગે સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે નવી ઓર્ગેનિક પદ્ધતિ વિકસાવી છે. હાલ પેસ્ટીસાઈઝ જંતુનાશકો વપરાય છે, તેના સ્થાને કુદરતી દવા વાપરીને મબલખ ઉત્પાદન મેળવી શકાશે. ખે...

English