ભરૂચમાં બાળકોએ પતંગદોરીના ગુચ્છા એકઠા કરી પક્ષીઓ બચાવ્યા
જૂના ભરૂચમાં આવેલી બીઈએસ યુનિયન સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્તરાયણ બાદ લોકો અને પક્ષીઓની સુરક્ષાને લઈ જાહેર માર્ગો ઉપર તથા વાયરો ઉપર લટકતી પતંગની દોરીના ગુચ્છા એકત્ર કરી શાળામાં એકઠા કર્યા હતા. ગુચ્છા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અને આવા બિન ઉપયોગી પતંગની દોરીના ગુચ્છામાં પક્ષીઓ ફસાઈ જવાના કારણે ઈજાગ્રસ્ત બનતા હોય છે અને મોતને પણ ભેટતા ...
માં કાર્ડ અને અમૃતમ આરોગ્ય કાર્ડમાં ગરબડ કોણ કરે છે ?
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનામાં અમદાવાદ મહાનગર પાલિકા -અમપા- વિસ્તારમાં વી.એસ.હોસ્પીટલ, એલ.જી. હોસ્પીટલ, શારદાબેન જનરલ હોસ્પીટલ સહિત કુલ ૧૦ સરકારી હોસ્પીટલોમાં અને ૯૬ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ૧-૪-૧૯ થી ૩૧-૧૦-૧૯ સુધીમાં ૧,૧૩,૦૭૮ ક્લેઈમ થયેલ છે જેના પેટે રૂ.ર૯૭.૩૧ કરોડ ચુકવેલા છે. અમદાવાદમાં 4 લાખ ગરીબ લોકો માટે આ કાર્ડ આપવાં આવ્યા છે. ...
શિક્ષણમાં વેઠીયા પ્રથા આવી, શિક્ષણ સિવાયના 22 કામ શિક્ષકો કરે છે
પતનના માર્ગે ગુજરાત ગાંધીનગર, 20 જાન્યુઆરી 2020 allgujaratnews.in@gmail.com ગુજરાતના શિક્ષકોને ભાજપની ભૂપેન્દ્ર ચૂડાસમા વિચિત્ર જવાબદારી સોંપતાં આવ્યા છે. અભણ ગુજરાત બનાવવામાં સંઘના સંવયંસેવક ભૂપેન્દ્ર ચૂડાસમાં ગુજરાત સામે ષડયંત્ર રચીને ગુજરાતના લોકો અભણ રાખવાનું કામ કરી રહ્યાં છે. 53 લાખ બાળકો ગુજરાતમાં છે જેમાં 11 વર્ષમાં 6.17 લાખ બાળકો સર...
સાયરા નિર્ભયા કેસમાં PI એન.કે. રબારીને કમને સસ્પેન્ડ કરતાં ઝા
પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા જેમને છાવરવા માંગતા હતા તે મોડાસાના પી.આઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા એન.કે. રબારી સામે કમને પગલાં ભરવા પડ્યા છે. મોડાસા ગેંગરેપ મર્ડર કેસમાં એન.સી.એસ.સી રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ ફટકારતા પોલીસતંત્ર હરકતમાં મોડાસાના સાયરા (અમર...
ભ્રષ્ટ કારકુનની કરોડોની મિલકતો શોધવા લોકોને પોલીસે અપીલ કરી
ભરૂચ નગરપાલિકાના કારકુન ચેતન બાબુ મોદી રૂ.૨૫૦૦ની લાંચ લેતા પકડાઈ ગયો હતો. આ કેસના સાક્ષી-પુરાવાને નુકશાન કરે અથવા તો કરાવે તેવી પ્રબળ શકયતા રહેતી હોવાથી આરોપીને અન્ય જગ્યા બદલી કરવા માટે માટે લખાણ કરવામાં આવેલું હતું. બાદ ભરૂચ નગરપાલિકાના મહેકમ ઉપર નિમણૂક પામેલ ન હોય. આરોપી તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક ફિકસ પગારથી ફરજ બજાવતા હતા. જેથી ભરૂચ નગર પાલિક...
મોદીએ વોલમાર્ટનો વિરોધ કર્યો, પહેલું થાણું નાંખવાની મંજૂરી આપી, હવે મં...
અમદાવાદ, 19 જાન્યુઆરી 2020 ભારતમાં ખોટમાં ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી રિટેલર અમેરીકન વોલમાર્ટ ઇન્ડિયાને મંદી નડી છે. ગુરુગ્રામના હેડક્વોર્ટરમાં ટોચના 56 અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત 56 સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે. ભારતમાં બીટુબી કેશ એન્ડ કે...
શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ
ગ્રીન વોલ ઓફ ઓલ જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષક હરિભાઈ આર. પટેલને ગ્રીન મેન્ટર એવોર્ડ-૨૦૨૦થી સન્માનવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સમી તાલુકાના જયરામનગર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરિભાઈ આર. પટેલને 'ગ્રીન મેન્ટર એવોર્ડ' એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્વાયત અધ્યક્ષ કુલભૂષણ શર્માના હસ્તે શાળા મંડળના નેશનલ બાલભવન, નવી દિલ્હી ખાતે પટેલને સન્માનિત કરવામાં ...
પોરબંદર ખાતે કુટિર હસ્તકલા મેળો
ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ દ્વારા પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ મેદાન ખાતે ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ દરમિયાન "કુટિર હસ્તકલા મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૧૦૦થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.
આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ ...
જલારામ સદાવ્રતના 200વર્ષ પૂર્ણ, ઐશ્વર્યા આવશે
થતાં ઉજવણી માટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવાશે
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્યસંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્રદ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત વીરપુરમાં મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુંછે. અમરેલીના ફતેહપુરગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્ર...
કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરની હત્યા
કચ્છના નાના રણની અંદર કુડા કોપરણી ગામ નજીક ત્રણ ઘુડખરની હત્યા નોંધાતા તંત્રએ ગંભીર નોંધ લીધી છે. ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ વડે આ ઘાતકી કૃત્ય થયું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. અભ્યારણ્યના અધિકારી, પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી પોસ્ટમોર્ટેમની કાર્યવાહી કરી હતી.
નાયબ વન સંરક્ષક એ...
અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ...
અરવલ્લીમાં રવિ પાક ની સીઝન માટે જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે. માઝૂમ જળાશયમાંથી પચાસક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભમળશે, તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પચાસ જેટલા ગામડાના ખેડૂતોન...
કેસર આંબા પર કાતીલ ઠંડીની વીપરીત અસર
કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલા આંબાવાડીયામાં કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ચીંતાતુર બન્યા છે . અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદની આફત પણ આ પંથકના ખેડૂતોએ વેઠી છે, ત્યાં ગીરપ્રદેશમાં આંબાના ઝાડ ઉપર મોર બળીજવાની ઘટના સામે આવે છે.
આંબામાં મોર ફુટવાની પ્રક્રીયા શર...
RSSનું ભારતનું નવું બંધારણ કેવું છે ? પુસ્તક નરી કલ્પના, ભાગવતે અગાઉ ક...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા દિનેશ વાળાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કહ્યું કે 16મી તારીખે વ્હોસ્ટ્સપ મારફતે સોશ્યલ મીડિયામાં “નયા ભારતીય સંવિધાન”ના હેડિંગ સાથે સંઘ અલગ પ્રકારનું નવું સંવિધાન બનાવવા માંગે છે. એવું પુસ્તક જાહેર કરાયું છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતના ફોટો મૂકવામાં આવ્યો છે. તેનો દૂરઉપયોગ કરીને સંઘ...
એક વર્ષમાં 4 લાખ બાળકો કેમ ઘટી ગયા ? લકવાની રસી પીવડાવો
પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થતાં. પોલિયો વાયરસથી થતો રોગ છે. પોલિયોની રસી આપી હોય તેવા બાળકોને આ રોગ થતો નથી. રસી પછી વિશ્વભરમાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી. 2019માં 84 લાખ બાળકોને પોલીયોની રસી અપાઈ હતી. આ વર્ષે 80 લાખ બાળકોને રસી આપવાની છે એવું મુખ્ય પ્રધાને જાહેર કર્યું છે. આમ 4 લાખ બા...
ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે
રાજકોટ પાસે ખીરસરા ખાતે ગુજરાત ઔદ્યોગિક વસાહત – જીઆઇડીસીમાં ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંત રાજપુતે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્...

English