ડુમસ બીચ દેશનો ત્રીજા નંબરનો બિચ જાહેર થયો
9 જાન્યુઆરી, 2020
નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (એનસીસીઆર) ના અહેવાલ મુજબ શહેરનો ડુમસ બીચ ભારતનો ત્રીજો સૌથી સફળ છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઓડિશામાં સૌથી સ્વચ્છ બીચ છે, જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી પ્રદૂષિત દરિયાકિનારા છે. ખરા અર્થમાં તો ડુમસ બિચ તો કાદવથી ભરેલો સૌથી વધું ગંદો બિચ છે. છતાં તેમને કઈ રીતે સ્વચ્છ જાહેર કરાય...
કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારૂ માહિતી અધિકાર કાર્યકર્તા પર હુમલો કરના...
અમદાવાદ: બોટાદ જિલ્લાના સ્થાનિક વહીવટ પર દલિત અધિકાર અને માહિતીના અધિકાર ઉપરના ઘાતકી હુમલા અંગેની પોલીસ ફરિયાદ પરત લેવા દબાણ કરવા બદલ કોંગ્રેસના ગઢડાના દલિત ધારાસભ્ય પ્રવિણ મારૂએ સિવિલ સોસાયટીની તથ્ય શોધતી ટીમે કડક અપવાદ લીધો છે. કાર્યકર અમિત પરમાર, ખોપાલા ગામનાને મદદ કરવાને બદલે કોંગ્રેસના ધારાસભ્ય હુમલાખોરોનો પક્ષ લે છે, પરમારના પરિવારના સભ્યો...
ઓએનજીસીએ હજીરામાં સૂર્ય ઉર્જા માટે ઠેકો જાહેર કર્યો
સુરત, 9 જાન્યુઆરી, 2020
સરકારની માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) ગુજરાતના સુરતમાં હજીરા ખાતે 15 મેગા વોટ સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટનો ઠેકો આપવાની જાહેરાત કરી છે. બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી, 2020 છે, જ્યારે પૂર્વ-બિડ કોન્ફરન્સ 20 જાન્યુઆરી, 2020 ના રોજ યોજાશે. આ પ્રોજેક્ટ્સ ઓએનજીસીમાં સાત વર્ષના સંચાલન અન...
મોદીના મિત્ર અદાણીને અમદાવાદ હવાઈ મથકે સુરક્ષાની મંજૂરી, કબજો માર્ચમાં...
એરપોર્ટ પર અદાણી ગ્રુપ માટે સુરક્ષા મંજૂરી
અમદાવાદ, 9 જાન્યુઆરી, 2020
દેશના છ વિમાનમથકો મોદીના મિત્ર ગૌતમ અદાણીને સોંપી દેવાયા બાદ કેન્દ્ર સરકારે તેમને સલામતી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અદાણી જૂથને શહેરમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ચલાવવા સુરક્ષા વિભાગની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ-એરપોર્ટના ખાનગીકરણના ભાગરૂપે, જે જાહ...
રૂ. ૧૦૫૪ કરોડની સિંચાઈ યોજના સાડા ચાર મહિના વહેલી પૂર્ણ થઈ
ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-૨૦૨૦ આપવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને નક્કી કરેલા સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરી દેવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા ઊભી કરનારી યોજના તરીકે ભારત સરકારના સ...
હડતાલમાં ગુજરાતની તમામ મજૂર અદાલતો અને પંચ બંધ રહ્યાં, 35 સેવાઓને અસર
બંગાળથી મુંબઇ અને કેરળથી કચ્છ સુધી ભારત બંધનો પ્રભાવ, ટ્રાફિક અને બેન્કિંગ સેવાને અસર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની 'લોકવિરોધી' રાજકારણના વિરોધમાં આ રાષ્ટ્રવ્યાપી ઔદ્યોદગીક હડતાલ થઈ છે. ગુજરાતમાં મોટી અસર જોવા મળી હતી. બેંકિંગ, પરિવહન અને અન્ય સેવાઓએ તેની અસર દર્શાવવાનું શરૂ કર્યું છે. સરકાર માટે સૌથી મોટી ચિ...
ઊંચી ફી લેતી કોલેજોના કારણે સરકાર પર રૂ.780 કરોડનું ભારણ
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 ગુજરાત સરકાર પોતાની કોલેજો ઊભી ન કરી શકતાં ખાનગી કોલેજો વધી જતાં તેની ફી ઊંચી થઈ ગઈ છે. તેથી 6 લાખની આવક ધરાવતા અને પછાત વર્ગોના વિદ્યાર્થી માટે લોન આપવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે તો છે પણ તેમને નોકરી મળતી નથી. તેથી યુવાનો રોજગારીની માંગણી સાથે સરકારી નોકરી આપવાની અને ભણતર સસ્તું કરવા આંદોલનો કરી રહ્યા છે. ગ...
શિકારી પક્ષી રેવીદેવી અંધશ્રદ્ધાનો શિકાર
અમદાવાદ, 8 જાન્યુઆરી 2020 પુરાણો અને લોકકથામાં જે પક્ષી અપશુકન પ્રતીક તરીકે વગોવાયેલુ રેવીદેવી ઘુવડ માનવમિત્ર છે, ખેડૂતોનું મિત્ર પ્રાણી છે. ઉંદરનો શિકાર કરનાર ઘુવડ ન હોય ઊંદરોની વસતી એટલી હદે વધી જાય કે તે ખેતરનો પાક અને ઉત્પાદન સાફ કરી નાંખે. ઉંદરડી વર્ષે 880 વચ્ચાને જન્મ આપીને વસતી વિસ્ફોટ કરે છે. રેવીદેવી ૭૦ ટકા ખોરાક ઉંદર હોય છે. જેથી એક રી...
સમાજ સુધારક 100 વર્ષના સંત સદારામ બાપુ
બનાસકાંઠા જીલ્લાના થરાથી બનાસનદીના કાઠે 9 કો.મી.ના અંતરે આવેલા ટોટાણા ગામે માતા લખુબાઈને ત્યાં જન્મેલા સંત સદારામ બાપુને ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યા હતા. જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જે સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા. જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા રહ્યું છે. ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. પછાત
કાંકરેજ આપસાસ શૈક્ષણિક સામાજીક ...
માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેત...
દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અ...
હુમલાના વિરોધમાં રાજ્યમાં કોંગ્રેસના દેખાવો – જયરાજસિંહ
અમદાવાદ 8 જાન્યુઆરી 2020 ગુજરાતમાં અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો પર ભાજપ, આરએસએસ, એબીવીપી, વિશ્વ હિંદુ પરિષદના ગુંડાઓએ કરેલા હુમલામાં NSUI, યુથ કોંગ્રેસ, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો જાહેર સ્થળોએ 8 જાન્યુઆરી 2020ના દિવસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. ભાજપ સરકારની આ ડર અને ભયની રાજનીતિ સામે લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે ગાંધીજીના મુલ...
તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી
તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...
વિદ્યાનગરમાં બનાવટી ગુણપત્રકથી વિદેશ મોકલવાનું કૌભાંડ
વિદ્યાનગર પોલીસે બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા બાકરોલ સ્ક્વેરમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટમાં છાપો મારીને બોગસ ગુણપત્રકના આધારે વિદેશ મોકલવાનું વ્યાપક કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગુજરાતની અને ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજોના ગુણપત્રકો અને પ્રમાણપત્રો બનાવી આપવામાં આવતાં હતા. જોબ વર્ક બહાક કરાવવામાં આવતું હતું. અગાઉ પોલીસને જાણ કરી હોવ...
ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમારને ટીકટોક વીડિયોથી ધમકી
નડિયાદ કોર્ટ બહાર થયેલ હુમલાનો વીડીયો ‘ટીકટોક’ પર વાયરલ : ‘આ તો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે ગીત થકી ધમકી અપાઈ ભરવાડ સમાજના લોકો દ્વારા ધારાસભ્ય પર કરાયેલ હુમલાનો વીડીયો ઓડીયો મીક્ષ કરી કોઇ સંગ્રામ ભરવાડ ૦૭ નામના આઇડીથી ટીકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડીયોમાં અપલોડ એકાઉન્ડ સ્પષ્ટ જોઇ સકાય છે. વળી ૦૭ એટલે નડિયાદનો આરટીઓ કોડ છે. ...
પંચાયતના એસી દૂર કરાયા, તો સચિવાલયના કેમ નહીં ?
રાજયની તમામ પંચાયતોના અધિકારીઓની ચેમ્બર-સરકારી વાહનોમાંથી એ.સી. દૂર કરવાનો આદેશ
આ પ્રકારની સગવડો માટે વીજ બીલ-ઇંઘણ ખર્ચ જે-તે અધિકારી પાસેે વસૂલાતનો વિકાસ કમિશ્નરનો હુકમ કર્યો છે. પણ પ્રજાના નાણાં બચાવવા જે પણ કચેરીમાં એસી હોય તે રદ કરવા માટે છેલ્લાં 20 લર્ષથી કોઈ આદેશ અપાયા નથી. ગુજરાત રાજયના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી ૧પ દિવસમાં પંચાય...

English