ધરોઈ બંધની પાઈપલાઈન હકલી નિકળી, 70 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપીંડી
રાજ્યમાં ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. એક તરફ પાક વિમા મામલે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી, દુષ્કાળની સ્થિતિ અને હવે વધુ એક છેતરપિંડી, સાબરકાંઠાના વડાલી પાસેના રહેડા ગામના ખેડૂતો સાથે રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડી થઇ છે. ગામની ખેતી માટે પાણીની સમસ્યા છે. જેને લઇને 70 જેટલા ખેડૂતોએ સાથે મળીને ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી લાવવા 3 કરોડ રૂપિયા ભેગા કર્યા...
સીરીયલ કિલરને ઓળખવામાં ગાંધીનગર પોલીસ ઉલ્લુ બની, રાણી નહીં બીજો કોઈ હત...
બહુચર્ચિત ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેના પર હત્યાઓની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે.તેની એટીએસે પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે હજુ પોલીસ પક્કડથી દૂર છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. મુંબઇમાં આ જ રીતે ટ્ર...
રાજકોટને 8 દિવસ ચાલે એટલું પાણી નબળી પાઈપલાઈનમાં ભંગાણથી વેડફાયુ
એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યાં બીજી તરફ લાખો લિટર પાણીનો બગાડ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે થયો હતો. રાજકોટ પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં 8 દિવસ ચાલે એટલું પાણી વેડફાઇ ગયું છે. ગૌરીદળ ગામ પાસે નર્મદાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લિટર બહાર આવી જઈને 3 હેક્ટર જેટલી જમીનમાં ભરાઈ ગયું હતું. ખેડૂતોની જમીનનું ધોવાણ થયુ...
કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...
ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર, કાર્ડીયોવાસ્ક્યુલર અને સાયટીકા પર ગાંધ...
ગાંધીનગર ખાતેના સેક્ટર-28ના પીસપાર્કના હોલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિઘાલય દ્વારા 19 મે 2019 રવિવારે સવારે 9થી11 સુધી વરિષ્ઠ નાગરિકોના સુખાકારી માટે ભ્રાતા ચિરાગ શરદકુમાર જાની દ્વારા સોસીયલ કોસ્ટ બેનીફીટ એનાલીસીસ ઓફ ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર એન્ડ કાર્ડીયોવાસ્ક્યુલર પર અત્યંત સફળતાપૂર્વક સંશોધન કરી મહાનિબંધ લખેલ છે. હાલ ડોક્ટર ઓ...
ભૂપેન્દ્રસિંહને જીતાડવામાં મદદ કર્યા બાદ, લોકસભા મતગણતરીમાં ચૂંટણી પંચ...
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠકની મત ગણતરી વખતે અધિકારીએ કરેલી ભૂલો ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાજ્યમાં રાખવા માટે આદેશ કરાયા છે. ગુજરાત વડી અદાલત દ્વારા મતગણતરી દરમિયાન ધોળકાના ચૂંટણી અધિકારી દખલગીરીના કિસ્સા બાદ મતગણતરી દરમિયાન આર.ઓ. હેન્ડબુટનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે. ધોળકામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે...
20 કરોડના પાણી કૌભાંડ બાદ હવે, રેલ નીર 4 કરોડ લીટર નર્મદાનું પાણી વાપર...
સાણંદના પ્લાન્ટમાં રોજ 1 લાખ પાણીની બોટલ અમદાવાદ સહિત રાજ્યના 20 રેલ મથકો પર રેલનીર બ્રાન્ડનું પાણી આપવાનો પ્લાંટ શરૂ કર્યો છે. જે પાણી ખેડૂતોના ભોગે આ કંપનીને આપશે જેમાં તે રોજ એક લાખ લિટર પાણી વાપરશે. વર્ષે 3.50 કરોડ લિટર પાણી નર્મદા નિગમનું વાપરે છે. આ પાણી ન વાપરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. ખેડૂત આગેવાન સાગર દેસાઈ કહે છે કે, સાણાંદમાં કોઈ પાણ...
રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાનના રબ્બર સ્ટેમ્પ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિયમો...
લોકોએ દાંડીયા રાસ લેવા માટે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભાડે લેવું હોય તો 2 હજાર ચોરસ મીટર જમીન માટે રૂ.10 હજાર ભાડું આપવું પડે છે. પણ અહીં રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે ક્રિકેટ રમાડે તો તેને 7 ગણી જમીન માત્ર રૂ.75ના રોજના ભાડેથી રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાએ આપી દીધી છે. તે પણ તમામ નિયમો મૂકીને. અમિત શાહના રબ્બર સ્ટેમ્પ રાજકોટના મુખ્ય પ્રધા...
વી. એસ. હોસ્પિટલને તાળા કરોડો કમાવી આપે એ મેડિકલ કોલેજ માટે ખેલ
અમદાવાદની ઐતિહાસિક વાડિલાલ સારાભાઈ - વી.એસ. હોસ્પિટલ બંધ કરવા ભાજપના સત્તાધીશો ઉતાવળા થયા છે. સરદાર પટેલે બનાવેલી અને ગાંધીજી દ્વારા જેના કામની પ્રશંસા થઈ હતી તે હોસ્પિટલ ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 1933માં મુલાકાતીઓની પોથીમાં ગાંધીજીએ લખ્યું હતું,‘સરદાર વલ્લભભાઈ પટેલની જય હો, આ ઈસ્પિતાલ જોઈ હું બહુ રાજી થયો છું.’ 1931ના સમયગા...
ભાવનગર-સોમનાથ સાગર રાષ્ટ્રીય માર્ગ હનુમાન મંદિર અને ખેડૂતોના કારણે ફરી...
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્ય...
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દ...
હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્ય...
કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા
ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું. આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCન...
અગ્ની શામક ન હોવાથી સુરતના 16 શોપીંગ કોમ્પલેકેસને તાળા
સુરતના કેટલાક શોપિંગ કોમ્પલેક્સોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે તપાસ શરૂ કરી હતી અને જે શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાઈ હતી, તેને લઇને શોપિંગ સેન્ટરના માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2018માં આગમ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી. જેમાં બાળકો અને શિક્ષિકાનું મોત થયું હતું. ત્યાર બાદ સુરતમાં 10 જેટલા અગ્નીશા...
અમદાવાદ હવે પશુનગરી નહીં રહે, પશુઓને દૂર કરવામાં આવી રહ્યાં છે
18 એપ્રિલ 2019માં લોકસભાના મતદાન પહેલાં અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ માલધારીઓની એક બેઠક મળી હતી. જેમાં ભાજપે માલધારીઓને ટિકિટ આપી ન હોવાથી તેમને મત આપવાના બદલે નોટામાં મત આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાનું મોત ગાયના કારણે થતાં અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં રહેતા પશુઓને બહાર કાઢવા માટે ઝૂંબેશ શરૂ કર...
તુવેર ખરીદીમાં કૌઈ કૌભાંડ થયું નથી, પણ ખરાબ માલ પકડાયો – અન્ન પ્રધાન
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પણ હવે સરકાર કહે છે કે, 22 હજાર બોરીમાંથી 3 હજાર બોરીમાં જ ખરાબ માલ મળી આવ્યો છે. કોઈ કૌભાંડ થયું નથી. એવું અન્ન ...

English