કચ્છના નૂનધાતડ ગામે પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું હોવાના અહેવાલ છે. સવારે કાર્યવાહી: ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગા...
પવન અને વરસાદથી ઘઉંના પાકને નુકસાન
સાબરકાંઠા જિલ્લા માં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે મકાઈ, ઘઉં, વરીયાળી અને પપૈયા ના વાવેતર કરનારા ખેડૂતો ને તૈયાર મોલ ગુમાવવાનો વખત આવ્યો છે. ખેતીવાડી વિભાગે પણ સાબરકાંઠા જીલ્લામાં પાકમાં થયેલા નુકસાની ના અંદાજ મેળવવા માટે ના સર્વેના આદેશ આપ્યા છેરાજસ્થાન માં સર્જાયેલ અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ને ...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષ 4 લોકો ચલાવે છે
અમરેલીના સાવરકુંડલામાં ખઆતે સંવાદ ક્રાયક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્યા ગાંઠયા બે-ચાર વ્યકિતથી ચાલતું હોવાનું જણાવીને પક્ષની આવી એક તરફી કામગીરી માટે અફસોસ વ્યકત કર્યો હતો. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું ઘ...
ગુજરાતનું પહેલું ખાનગી હવાઈ મથક બે વિમાન સાથે સીલ
મહેસાણા હવાઈ મથક બે વિમાનો સાથે સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાનો વેરો ચૂકવેલો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું હોવાથી કંપનીના સંચાલક અમિત ચક્રવર્તી મહેસાણા નગર પાલિકા ખાતે દોડી ગયા હતા. અહીં હાલ 40 વિદ્યાર્થીઓ પાયલટની તાલીમ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષથી વેરા માટે વિવાદ ચાલી રહ્યો છે. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લાનું...
બુલેટ ટ્રેન ગેરકાયદેસર કોન્ટ્રકટ રદ કરવામાં આવ્યો
કરોડોના ભ્રષ્ટાચાર અને અધેર તંત્રના ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ બંધ. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરશ્રી વી.આર.ચીખલિયા દ્વારા ખાસ ઓર્ડર દ્વારા મેનેજીગ ડાયરેક્ટર ખોડલ કોર્પોરેશનન પ્રા. લીમીટેડને સયાજી બાગ ખાતે એડીશનલ બુલેટ ટ્રેનનું મોડેલ જેવી દેખાતી A.C. ટ્રેન અને ઝીપ લાઈન બાબતના તા. ૯ અને ૧૭ મી- મે ૨૦૧૮ના દિવસે કરવામાં આવ...
ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે. અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં ...
બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન ...
બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં...
વિડિયો કોનને વીજ મથક માટે આપેલી રૂ.2 હજાર કરોડની જમીન સરકારે પાછી લઈ લ...
રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો ઉદ્યોગો માટે ખરીદકરવામાં આવેલી હતી તે જમીનનો ઉપયોગ કરવામાં ન આવતાં 1400 વીઘા જમીન સરકારે પરત લઈ લીધી છે. જેની કિંમત રૂ.2000 કરોડ જેવી બજાર કિંમત પ્રમાણે થાય છે. પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન) પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલી તે પ્રોજેકટ સ્થાપેલો નહીં હોવાથી સરકારે આ પગલું લીધી છે.
...
જંગલ બહારના 202 વૃક્ષો સામે અસ્તિત્વનું જોખમ
રાજ્યમાં કરેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે રાજ્યમાં જંગલ સિવાયના વિસ્તારમાં કુલ 30.1 કરોડ વૃક્ષો છે. અગાઉ વર્ષ 2003માં એટલે કે 12 વર્ષ પહેલા કરાયેલી ગણતરી પ્રમાણે 25.1 કરોડ વૃક્ષોની સંખ્યા હતી. આ બંને આંકડા દર્શાવે છે કે 12 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 4.82 કરોડ વૃક્ષોનો વધારો થયો છે. છતાંયે 62 વૃક્ષો નિંકદનના આરે વન મહોત્સવ અંતર્ગત જાહેર કરાયેલી વિ...
ધારીના અભયારણ્યમાંતી ચંદનના 25 વૃક્ષો કાપીને લઈ ગયા
ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્ડના અભ્યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ જંગલની વિડીમાંથી ચંદનના 25 વૃક્ષો કોઈ કાપી ગયું છે. ચંદન ચોર ગેંગ અહીં ઘણા સમયથી સક્રિય છે. ગેંગ દ્વારા એકી સાથે 25 વૃક્ષો કાપીને લઈ જવાયા છે. વન વિભાગના અધિકારીઓ આ ગેંગ સાથે જોડાયેલાં હોય તેમ અગાઉ અહીં આ રીતે ચંદનના કિંમતી વૃક્ષ લઈ જવાયા હતા. ધારી વિસ્તારમાં સરસીયા, અમૃતપુર, હરીપરાન...
3200 યુવતીઓએ પ્રેમલગ્ન ન કરવા શપથ લીધા
અમરેલી જીલ્લામાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પટેલ સંકુલમાં સેમીનાર મુગ્ધા યોજાયો હતો. જેમાં 3200 વિદ્યાર્થીનીઓએ પોતાની મુગ્ધા અવસ્થામાં કોઈ ખોટા નિર્ણય ન લેવાના શપથ લીધા હતા. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અશ્વિનભાઈ સુદાણીએ કહ્યું હતું કે, કિશોર અને તરૂણ વય એટલે મુગ્ધાવસ્થા આ ઉંમરને પસાર કરતી વખતે સર્જાતા મનોભાવ વખતે જીવનનાં સમજદારી વ...
ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધ ઊભા થયા છે. ગુજરાતના દરિયા કિનારે ગમે ત્યારે સ્થિતી ખરાબ બની શકે તેમ છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે. 26 11 2008માં મુંબઈમાં બોંબ ધડાકા થયા ત્યારે ત્રાસવાદીઓ ગુજરાતની બોટ લઈને ગુજરાતના દરિયામાંથી મુંબઈ પહોંચ્યા હતા. કસાબ સહિતના આતંકીઓએ કચ્છ નજીકના દરિયામાંથી ઘુષણખોરી કરી હતી. ત્યાર બા...
સમદ્રની સપાટી વધતા વગર સુનામીએ દરિયો ફરી વળવાનો ખતરો
વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં જળ સ્તર વધવાની શક્યતા છે , જેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ગુજરાત સહિત મુંબઈના કાંઠા વિસ્તારોમાં સુનામીનો ખતરો વધુ છે. ભારતમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે. સમુદ્રની સપાટી વધતાં ભરતીના મોજાના કારણે ગુજરાતના કાંઠે જમીન ખવાઈ રહી છે. તેથી રૂ.450 કરોડના ખર્ચે 448 કિલોમીટ...
દરિયા કિનારે રોરો ફેરી સર્વિસે ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું ફર...
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મેન્ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં 6 ફેબ્રુઆરી 2019ના રોજ ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે કામ કરવા સામે ગુજરાત વડી અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. હવે ગુજરાત વડી અદાલતના આદેશનો અનાદર કરી આ કંપ...
મોટા ભંડારીયામાં પુર હોનારતની સહાયમાં ગોલમાલની તપાસ શરું
મોટા ભંડારીયા ગામના પુર્વ સરપંચ પુર્વ સરપંચના પતિ અને તત્કાલીન તલાટી કમ મંત્રી વિગેરેની ત્રિપટી દ્વાર બોગસ, ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવ ઉભા કરી તેમજ બોગસ લાભાર્થી ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયાનો ચુનો લગાડી ભ્રષ્ટાચાર કર્ય અંગેના દસ્તાવેજી પુરાવા મળી આવતા હાલની ગ્રામ પંચાયત દ્વારા તલ સ્પર્શી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. ...

English