કાંકરેજમાં કોંગ્રેસના 8 સભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા
કોંગ્રેસના જુથવાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કાંકરેજ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ધારાસભ્ય કી...
દેશની સૌથી મોટી ગેસ LPG પાઈપલાઈન ગુજરાતથી શરૂં થશે
દેશની સૌથી મોટી LPG પાઈપલાઈનનો પ્રોજેક્ટ ગુજરાતથી શરૂં થઈ રહ્યો છે. પાઈપલાઈન દેશની ચોથા ભાગની વસતીને રાંધણગેસનો પુરવઠો પૂરો પાડશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ગુજરાતના દરિયાકિનારાથી ઉતરપ્રદેશના ગોરખપુર સુધી આ ગેસ પાઈપલાઈન પાથરશે. આ પાઈપલાઈનનું નિર્માણ અંદાજે રૂ. 9000 કરોડના ખર્ચે થશે. આ પાઈપલાઈનમાંથી દર વર્ષે મિલિયન ટન ગેસ પાસ થશે. GAIL અત્યારે...
વૃધ્ધ પેનેશન યોજનામાં ધાંધિયા
આજથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત 15,000થી ઓછી આવક ધરવતા શ્રમિકોને 60 વર્ષ પછી માસિક 3 હજાર રૂપિયાના પેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા જોવા મળ્યા હતા. અમદાવાદની RTO કચેરી ખાતે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રીક્ષા ચાલકોની રજિસ્ટ્રેશન માટે લાંબ...
જૂનાગઢના મીની કુંભમાં સંતોની રેલીમાં હાથી, ઘોડા, બેન્ડવાજા અને બગી નહી...
જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તમામ અખાડાના સાધુ-સંતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સંતોએ શિવરાત્રીના કુંભના મેળાને સાદગીથી ઉજવવા માટે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના કુંભમેળાને લઘુકુંભ જાહેર કરવામાં આવ્યો છે. કુંભના મેળાની તૈયારી માટે સરકાર દ્વારા 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં...
ગુજરાતના એક માત્ર વાઘનું મોત થયું
મહિસાગર જિલ્લાના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવતા ગુજરાતમાંથી વાઘનું નામોનિશાન મટી ગયુ છે. આ ઘટનાની જાણ વન વિભાગને થતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. વન વિભાગના અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ જે વાઘ નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો હતો, તે વાઘનો જ મૃતદેહ છે. વાઘનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલ...
દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે
ભ્રષ્ટાચારનો સાગર - દિલીપ પટેલ – ખાસ અહેવાલ મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને ર...
ભાભરમાં ભ્રષ્ટાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે ચાની કીટલી ચલાવતાં બાંધક...
ભ્રષ્ટાચાર અને સદાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ભાભર એક એવી નગરપાલિકા છે, કે જ્યાં એક પણ વિરોધ પક્ષના સભ્ય ચૂંટાયા નથી. 20 માર્ચ 2016માં ભાજપના તમામ સભ્યો ચૂંટાતા પ્રમુખ ભાજપના બન્યા હતા. વિરોધ કરનાર કોઈ ન હોવાથી અહીં બેફામ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી 19 સભ્યોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દબાણ આવતા પ્રમુખે પોતે રા...
બનાસ ડેરીના કરોડોના કૌભાંડની તપાસ શંકર ચૌધરીએ કેમ ન કરી ?
શંકરભાઇ ચૌધરી જવાબ આપશે ખરા ?? 27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુ...
તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે. ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં. 1 સપ્ટેમ્બર...
ઉત્તર ગુજરાત ભાજપ ગુમાવશે
ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર...
વિમા કંપનીએ રૂ. 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરી
ગુજરાતના ખેડૂતો માટે વિમા કંપનીએ રૂપિયા 2600 કરોડની પાકવિમા રકમ મંજુર કરેલ છે અને આ પાક વિમા રકમ ખેડૂતોના ખાતામાં માર્ચ મહિનાના અંત સુધીમાં તેમના ખાતામાં જમા થઇ જશે. અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન
માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,4...
વિશ્વ ઉમિયા મંદિરની ઈંટ રાખવા મોદીનો વિરોધ કેમ થઈ રહ્યો છે ?
મહાશિવરાત્રીના દિવસે એટલે કે 4 માર્ચ 2019માં પાટીદારોના સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન છે, જેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ભાજપને કઠણાઈ બેઠી છે. ભાજપનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. માંડ માંડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ મ...
પાંચ બેઠક પર જન નેતા હાર્દિકની માંગ, આખરે ક્યાંથી લડી શકે ચૂંટણી
હાર્દિક પટેલ હવે કોઈ એક જાતિના નેતા રહ્યાં નથી. તેમણે કરેલાં અનામત આંદોલન અને પછી તે જન આંદોલમાં ફેરવાઈ ગયા બાદ હતે તે જનનેતા બની શક્યા છે. એપ્રિલ – મે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડશે. તે અમરેલી, સુરત, મહેસાણા, પોરબંદર, જામનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેમ કહેવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર પણ રહ્યું ...
14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ
ગત વર્ષે ચલાવવામાં આવેલા અભિયાનની સફળતાનો આલેખ આપતા રૂપાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે ૧૩ હજાર તળાવોની સામે ૧૪ હજાર તળાવોમાંથી કાંપ કાઢવામાં આવ્યા આવ્યા હતા. ૧૧ હજાર લાખ ઘનફૂટ માટી કાઢવાના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લાખ ઘન ફૂટ માટી કાંઢવામાં આવી હતી. જો તમે જ હોય તો પછી 2019ના ઉનાળામાં અત્યારથી જ શા માટે પાણીની તંગી લોકોને અનુભવવી પડે છે. હવે પાણીન...
અમદાવાદ મેટ્રોનું 1.72 કિલોમીટર કામ પૂરું થયું
અમદાવાદના એપરલ પાર્કથી કાલુપુરને જોડતી ભોંયરાનું 1.72 કિલોમીટર કામ પુર્ણ થઈ ગયું છે. અમદાવાદામાં મેટ્રો માટે 60 ફૂટ ઊંડે બની છે. અમદાવાદમાં 6.50 કિલો મિટર ભોંયરામાં મેટ્રો દોડશે. સરસપુર બોગદાની કામગીરી પણ 60 ટકા પુરી થઈ છે. બોગદાનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ બોગદાનું કામ ચાલુ છે. તે કામ પણ 60 ટકા જેટલ...

English