Sunday, August 9, 2026

તેનીવાડા હાઇવેની હોટલ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઈસમને દબોચ્યો : એ...

છાપી, તા.૧૬ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરાને મળેલ બાતમી આધારે છાપી નજીક તેનીવાડા હાઇવેની એક હોટલ ઉપર રેડ પાડતા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઈસમ નાસી છૂટવામાં સફળ થયો હતો. વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર અસામાજિક પ્રવૃતિઓ વધવા સાથે હોટલો ઉપર આવતા જતાં ઓઇલ ભર...

કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિય...

ડીસા, તા.૧૬ શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર...

સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા

અમદાવાદ, તા.16 સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા...

પીએસઆઈ, કોન્સ્ટેબલ પર હુમલો કરનાર જીતોડાના શખ્સને 8 માસ કેદ, 25 હજાર દ...

પાટણ, તા.૧૭ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ત્રણ વર્ષ અગાઉ દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનાર શખ્સને પકડવા જતાં ચાણસ્મા પીએસઆઇ અને કર્મચારી પર હુમલો થતાં ઇજાઓ થઇ હતી. જે કેસ પાટણ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને 8 માસ સુધીની કેદ અને રૂ. 25000 દંડ વસુલ આવ્યે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 લૉ કોલેજના વિદ્યાર્થીઓની હાજરી વિવાદનું કેન...

રાજકોટ,તા:૧૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતી જામનગરની બે લૉ કોલેજના વિદ્યાર્થીઓ મુદ્દે વિવાદના વંટોળ સર્જાયા છે. સપ્ટેમ્બર મહિનામાં તમામ નીતિનિયમોને અવગણીને પૂર્વ શિક્ષણમંત્રીની ભલામણના આધારે જામનગરમાં બે લૉ કોલેજને મંજૂરી તો અપાઈ ગઈ, પરંતુ તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી ન થતી હોવા છતાં તેમનાં પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ગયાં છે. વિદ્...

રાજકોટમાં બીમારીથી કંટાળીને માતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત

રાજકોટ,તા:૧૬ નવા ખોરાળાના વિજયનગર ખાતે રહેતા પરિવારનાં માતા અને પુત્રએ પોતાની બીમારીની સ્થિતિથી તંગ આવીને ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. મોરબી રોડ પર નવા ઓવરબ્રિજ નીચે 40 વર્ષીય બ્લડપ્રેશરથી કંટાળેલી માતાએ માનસિક અસ્વસ્થ પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. ટ્રેન નીચે પડતું મૂકતાં ઘટનાસ્થળે જ માતા-પુત્રનાં મોત નીપજ્...

પોલીસની ધોંસ વધતાં અમરેલી જિલ્લાનાં વ્યાજખોરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા

અમરેલી, તા.16 અમરેલી જિલ્લા પોલીસ વડાને મળેલ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી., એલ.સી.બી. ટીમે અગાઉ સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્ટરલ, જીવતા કાર્તુસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથીયારો જપ્ત કર્યા હતાં. આ કેસમાં મકાન માલીક નરેન્દ્રલ ઉર્ફે નટુભાઈ સુરગભાઈ ખુમાણ, ગૌતમ નરેન્દ્રેભાઈ ખુમાણ સામે જે તે સમયે વંડા પોલીસ સ્ટેશન...

લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...

કેન્દ્રના રિપોર્ટ મુજબ ગુજરાતના પશુધનમાં ચોંકાવનારો ઘટાડો

ગાંધીનગર, તા.૧૬ કેન્દ્ર સરકારે પશુધનની વસતી ગણતરીના બહાર પાડેલા આંકડામાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં પશુધનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 0.95 ટકા પશુઓની ઘટ વર્તાઇ છે, જ્યારે દેશના બીજા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશમાં 11.81 ટકા, પશ્ચિમ બંગાળમાં 23.32 ટકા, બિહારમાં 10.67 ટકા તેમજ આંધ્રપ્રદેશમાં 15.79 ટકા પશુધન વધ્યું છે. ...

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...

અમદાવાદ,તા:૧૬ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે. ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...

ટ્રાફિક વિભાગે ચાર વર્ષમાં અમદાવાદીઓને 78 કરોડના ઈ-મેમો આપ્યા, માત્ર 2...

અમદાવાદ, તા.16 શહેર ટ્રાફિક વિભાગે છેલ્લા ચાર વર્ષમાં ટ્રાફિક સીગ્નલ જમ્પના 78 કરોડ રૂપિયાના દંડના ઈ-મેમો ઈસ્યુ કર્યા છે, પરંતુ વસૂલાત માત્ર 24 કરોડની જ થઈ શકી છે. ભૂતકાળમાં ઈ-મેમોની વસૂલાત માટે માધવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જો કે, આ વખતે ટ્રાફિક પોલીસે દંડની રકમ નહીં ભરનારા શખ્સોને એક મોકો આપી રહી છે. નોટિસ બ...

મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી અન્ય નોકરી કરતા 3000 ફાર્માસીસ્ટ્સને ...

ગાંધીનગર,તા.16 મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે. તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને તેઓને દંડ ફટકારવાનો નિર્...

હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂ...

અમદાવાદ, તા.16 એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલ...

ગાંધીજીએ સોનાનું કડું કાપીને ચોરી કરી કબુલી, પણ ગાંધીઆશ્રમમાં ચોરીનો ક...

આશ્રમની ચોરી અને ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ નિયુક્ત કરાયું તે પહેલાં શું ઘાટ ઘડાયો હતો અને શા માટે તપાસ પંચની જાહેરાત કરાઈ હતી તેની વિગતો જાણવા જેવી છે. ગૌશાળાના પૂર્વ અધ્યક્ષ સોમાભાઈ પટેલના જાહેર આરોપો બાદ તપાસ પંચ નિયુક્ત કરાયું હતું. ગાંધીજીએ પણ ચોરી કરી હતી. તેઓ શું માનતાં હતા તે પણ સમજવા જેવું છે. ગાંધીજીએ 1926માં તેમની આત્મકથામાં ચોરી કબૂલ ક...

સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...

અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે. પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...