જીંગા પેદા કરવા ગૌચરની જમીન પર દબાણ
જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામે બની રહેલ જીંગા ઉછેર કેન્દ્ર માટે સરકાર દ્વારા જગ્યાની મંજૂરી મળેલ હોય પરંતુ જેમાં આજુબાજુ આવેલ વધારાની સરકારી જમીન સર્વે નં.4અને પ તથા ગૌચરનું ઈસમો દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. તેમજ અમારૂ ગામ દરિયા કાંઠાના વિસ્તારમાં આવેલ હોય તેમજ ગામના આગળના ભાગમાં બંધારા બાંધવાને લીધે અને ઉપરના વિસ્તારોમાંથી જેવા કે, સામતે...
વન વિભાગમાં બોગસ વાઉચર કૌભાંડની તપાસ
સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા અલગ કામથી થતાં ખર્ચના વાઉચર મૂકવામાં આવતાં હોય છે. જેમાં મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનું વન વિભાગ સમક્ષ ફરિયાદ થતાં તપાસ શરૂં થઈ છે. ધારી વન વિભાગની સરસીયા રેન્જમાં વર્ષોથી બોગસ વાઉચર બનાવી ઉચાપત કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે અંગેની ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકમાં તપાસ ચ...
ટ્રાફિકના નિયમો સામાન્ય લોકો માટે કંપની માટે નહીં
રાજુલા તાલુકાનાં વીકટર ગામે આવેલી કંપની ઘ્વારા પીપાવાવધામ, કથીવદર, ખેરા, ચાંચ, ચેરાઈ સહિતના ગામમાં મઠું ઉત્પાદન કરી સુત્રાપાડા સ્થિત સોડા એશ પ્લાન્ટમાં મીઠું મોકલવામાં આવે છે. કંપની ઘ્વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ન પડતાં હોય તેમ ભરેલા ટ્રકોમાં નિયમો મુજબ તાલપત્રી ઉપર બાં...
કૌભાંડી ચંદા કોચરનો પત્ર પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત સરકારે રદ નથી કર્યો
પદ્મભૂષણ ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ હતાં ત્યારે તેમણે પોતાની પુત્રી આરતીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. અત્યંત લાગણીસભર અને જીવનની ફિલસૂફીને વણી લેતી નાની-નાની વાતો ધરાવતો આ પત્ર 2016માં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. ગુજરાતની ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ તો આ આખી ઘટનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે અંગ્રેજી મિડિય...
પદ્મશ્રી બિમલ પટેલની સાબરમતિ રિવરફ્રંટની ડિઝાઈન ખામી યુક્ત
સાબરમતી રિવરફ્રન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને પદ્મશ્રી તો આપવામાં આવ્યો છે પણ નિષ્ણાંતો માને છે કે રિવરફ્રંટની ડિઝાઈન ખામી ભરેલી છે. ઉપરવાસમાં જ્યારે ભારે પૂર આવશે ત્યારે સાબરમતી નદી શહેરને બરબાદ કરી શકે તેમ છે. કારણ કે પાણીનો પ્રવાહ ઓછો સમાય તે પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં સાબરમતિ નદી પર ડેમ બન્યો ત્યારે ત્યાં પાણીનો આવરો વતાવેલ...
હાઉસિંગ કૌભાંડમાં અમદાવાદના ધર્મદેવ બિલ્ડરની સંડોવણી
કોબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં ભારતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપની DHFLના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિજય માલ્યા-નીરવ મોદીના કૌભાંડથી પણ મોટુ કૌભાંડ સામે આવ્યું છે, કુલ રૂ. 31,000 કરોડનું લોન કૌભાંડમાં DHFLએ ફર્જી કંપનીઓ ઉભી કરી હતી, DHFLના માલિકો કપિલ અને ધીરજ વાઘવાએ આ લોનની રકમ પાછલા બારણે પોતાની પાસે જ...
વન પ્રધાન ગણપતે સરકારને રૂ.9 કરોડ મંદિર બનાવવા વાપર્યા
અગાઉથી જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ સરકારના પર્યટનમંત્રી ગણપત વસાવા ફરી એક વખત ફસાયા છે, તેમને સરકારી ગ્રાન્ટમાંથી 8.80 કરોડ રૂપિયા પોતાના ગામમાં રામજી મંદિર અને ભાથીજી મહારાજના મંદિરમાં વાપરી નાખ્યાં છે અને આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે, મંત્રીએ તમામ નિયમો નેવે મૂકીને ગ્રામસભાની મંજૂરી લીધા સિવાય બારોબાર મોટી ર...
અમદાવાદની મણિનગર બેંકમાં હેકર્સે રૂ 10 લાખ ઉપાડી લીધા
ઓનલાઇન બેંકિંગ જેટલું સરળ છે તેટલું હવે ખતરનાક પણ બની રહ્યું છે, અમદાવાદની કાંકરિયા મણિનગર સહકારી બેંકના કંપની એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે, અજાણ્યા ઠગબાજે એકાઉન્ટ હેક કરીને ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બે એકાઉન્ટ મિસમેચ થતાં 20 લાખ રૂપિયા બચી ગયા હતાં, જ્યારે 10 લાખ ર...
ભાવનગરના ભેજાબાજ તોફીક શેખે માલ વિના 107 કરોડનું કૌભાંડ કર્યું
GSTનું રૂપિયા 100 કરોડનું કૌભાંડ, જાણો ભાવનગરનો ભેજાબાજ કોણ રાજ્યમાં ટેક્સના નામે સરકારને ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, શેલ કંપનીઓ ઉભી કરીને સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવવાનો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે, ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે માલની હેરાફેરી કર્યા વિના જ 107 કરોડ રૂપિયાના ખોટા બિલો આપીને 25 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક...
કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલને ડરાવવા દરોડો ?
કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખ રૂપિયાની રેતી ચોરી કરી હોવાથી તેમને દંડ કર્યો છે. જો નહીં ભરે તો જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ રાજકારણ પણ છે. ધંધુકામાં ભાજપને લોકસભામાં મતો મેળે તેમ ન હોવાથી અહીંના કોંગ્રેસના મજબૂત ધારાસભ્યને ડરાવવા માટે દરોડા પડાયા હતા. હળવદના ભાજપના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હોવા છતાં તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરા...
ગુજરાતના સૌથી મોટા હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ
કોબ્રાપોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સના સૌથી મોટા કોંભાડનો પર્દાફાશ થયો છે. કોંબ્રાપોસ્ટના ઇન્વેસ્ટીગેશનમાં DHFL કોંભાંડમાં ગુજરાતના ધર્મદેવ બિલ્ડરનું નામ ખુલ્યું છે. ધર્મદેવના ઉમંગ ઠક્કર અને DHFLએ મળીને રૂ 1160 કરોડનું કૌભાંડ કર્યું છે. ધર્મદેવ બિલ્ડરે ફર્જી કંપની બનાવી DHFL પાસેથી રૂ 1160 કરોડની લોન લીધી. ધર્મદેવ બિલ્ડ...
અમદાવાદમાં AMTSની 100 બસ અને ખાનગી 700 બસ
એમદાવાદ શહેરી બસ સેવા AMTS પ્રાયવેટ ઓપરેટરોની બસોનું મોટાપ્રમાણમાં ફ્લીટ હોવાથી હવે મૂળ કામ પ્રાયવેટ બસોનું નિયમિત સંચાલન થાય, તેનું યોગ્ય મોનીટરિંગ થાય એ જ રહેવા પામેલ છે. આનો સીધો અર્થ એ થયો કે ખાનગી કોન્ટ્રાકટરોની બસોનું સંચાલન કરવા સિવાય એએમટીએસ જેવી એક જમાનાની નમૂનારૃપ સંસ્થા પાસે બીજું કશું જ કરવાનું રહેતું નથી. એક સમયે જે શહેરમાં સિટીબસ શ...
મગફળીમાં ફરી એક વખત ભાજપે ભ્રષ્ટાચારનું તેલ કાઢ્યું
રાજ્યમાં અછતની સ્થિતિ હોવાથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. અપુરતા વરસાદ અને અછતની સ્થિતિને લીધે આ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ 23થી 25 લાખ ટનનો દર્શાવવામાં આવ્યો હતો. તેની સામે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ જતાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં જૂની મગફળી પણ પધરાવી દેવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતુ...
વાંચન અને વાંચનાલય ઘટતા સાહિત્યની ઉઠાંતરિ વધી
વાંચનની ટેવ તો ઘટી જ રહી છે પરંતુ, સામાન્ય નાગરીકો પણ પોતાના ઈતિહાસ ગ્રંથોથી દૂર થઈ રહ્યા છે. કટ કોપી અને પેસ્ટની વૃત્તિ વધતા ગુજરાતી જનમાનસ મૌલિક સર્જનને બદલે સાહિત્યિક ઉઠાંતરી પ્લેજિયારિઝમ વધી રહ્યુ છે. એટલું જ નહીં, રાજ્યના શિક્ષણ વિકાસનો આંક પણ ૮માં સ્થાને સરકવા પાછળનું એક પરીબળ પણ સ્કૂલોમાં ગ્રંથપાલોની ગેરહાજરી છે. રાજ્યની સેંકડો સ્કૂલો, કોલેજ...
એકજ વીમા કંપની પાસેથી વીમો લેવા દબાણ થાય છે
મોટર વાહન અધિનિયમ મુજબ નાગરિકો જ્યારે નવું વાહન ખરીદે તે સમયે વાહન માલિક પોતાની રીતે, પોતાની પસંદગીની માન્ય વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે. વાહન માલિક તરીકે ગ્રાહક કોઇપણ માન્ય કંપની પાસેથી વીમો લેવા સ્વતંત્ર છે. વાહનના ડીલર વાહન માલિક પાસે અમુક જ કંપનીનો વીમો લેવાનો આગ્રહ રાખી શકશે નહીં તેમ, વાહન વ્યવહાર કમિશનરે જણાવાયું હતુ .
વાહન ખરીદનાર ગ્...

English