હાલ દેશમાં કોરોનાની ચોતરફ મારામારી છે. ત્યારે મોરબી જિલ્લો કોરોનાની મહામારીથી બાકાત છે અને બાકાત જ રહે તેવા આશયથી મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોવેલ કોરોના વાયરસ (Covid – 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid – 19) ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં એકમાત્ર પોઝિટિવ કેસ હોય અને તે પણ હાલ સ્વસ્થ થઈ ગયા છે. અને બીજા કોઈ લોકો આના સંક્રમણમાં ના આવે તેવા ઉદેશ મોરબી સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ સિનિયર સિટિઝનોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઘનશ્યામ પેડવા