દિલ્હી, 16 ઓગસ્ટ 2020
ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો
કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે
ભારતની ગણના વિશ્વભરમાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં થઈ, ભારતમાં મૃત્યુદર ઘટીને 2%ની નીચે પહોંચી ગયો જે સતત ઘટી રહ્યો છે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ, આજે સરેરાશ દર વધીને 72% નોંધાયો, કોવિડના પરીક્ષણોનો આંકડો 3 કરોડની નજીક પહોંચ્યો
કોવિડ-19ના કેસોના મૃત્યુદરમાં સતત થઇ રહેલા ઘટાડા તરફ આગળ વધતા, ભારતમાં નોંધાયેલો મૃત્યુદર દુનિયાભરમાં સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે. આજે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93% સુધી પહોંચી ગયો છે.

ભારતમાં હાલમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 72% થઇ ગયો છે જે વધુને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થતા હોવાનું સુશ્ચિત કરે છે. છેલ્લા 24 કલાકમાં 53,322 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

English



You must be logged in to post a comment.