અમદાવાદ શહેરના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”, 24 રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ
કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે.
શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ દ્વારા કાલુપુર શાકમાર્કેટ ફ્રુટ માર્કેટ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરે છો.
લારી, દુકાનો પર વેચાણ બંધ રાખવાનું ફરમાવવામાં આવ્યુ છે.
ટ્રાન્સપોર્ટેશન માટેનો પાસ કરાવી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શાકભાજી વેચતા ફેરિયાઓનો મંજૂરી આપી છે.
ઈલેક્ટ્રીક રીક્ષા ફેરિયાઓને દૈનિક ધોરણે પૂરી પાડવામાં આવે છે જેનો કોઈ શુલ્ક ફેરિયાઓ પાસેથી વસુલ કરવામાં આવતો નથી.