માતા દૂધ બેંકથી વર્ષે 5 હજાર નવજાત બાળક દૂધ મેળવે છે

Every year 5 thousand newborns get milk from Mother Milk Bank in Guj गुजरात – हर साल 5 हज़ार नवजात शिशुओं को मदर मिल्क बैंक से मिलता है दूध

અનેક બાળકોના જીવન બચાવી લેતી ગુજરાતની 6 દૂધ બેંક

અમદાવાદ, 31 ઓક્ટોબર 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓ માટે મધર્સ  મિલ્ક બેંક ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે. રાજ્યમાં ભાવનગર, સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે મિલ્ક બેંક છે. વધારાની ૩ મિલ્ક બેંક ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોવિંદ સિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં 2024-25 સુધીમાં 20 હજાર બાળકોને દૂધ મેળવી શક્યા છે. 22 હજાર માતાઓ દૂધ આપી ચૂકી છે. એક વર્ષમાં સામાન્ય રીતે 5 હજાર માતા 5 હજાર લિટર દૂધ આપતી હોય છે.

બાળકોનો જન્મ – મોત
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે. 2021ના સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 70 હજાર નવજાત શિશુઓ મોતને ભેટ્યાં હતાં. દર મહિને સરેરાશ હજાર શિશુઓના મોત થઈ રહ્યાં છે. 2021માં ગુજરાતમાં 11,815 શિશુઓના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 2608 બાળના મોત, સુરતમાં 1336, રાજકોટમાં 1185 અને વડોદરામાં 1073 બાળમૃત્યુ નોંધાયા હતા. શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુદર 90 ટકા ઓછો છે.

નવજાત શિશુના મૃત્યુ
ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે. માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2447 નવજાતનાં મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ 1 એપ્રિલથી 30 જૂન 2023માં એનીમિયાની ગંભીર બીમારીથી પીડિત 2132 પ્રસૂતાના કેસ સામે આવ્યા હતા. છે. જ્યારે ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રાજ્યમાં “વધારે પડતું ઓછું વજન-અતિ ઓછું વજન” ધરાવતા અતિ કુપોષિત 24,121 બાળકો છે. હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા 7, ભરૂચ 3 અને નર્મદામાં 1 માતાનું પ્રસૂતા માતાઓનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું છે.

સૌથી વધુ 215 નવજાત શિશુના મૃત્યુ દાહોદ જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. જે બાદ અમદાવાદ કોર્પોરેશનમાં 199, બનાસકાંઠામાં 166, કચ્છ 165, મહેસાણામાં 142, આણંદ 113, સાબરકાંઠા 105, વડોદરા 73, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત 46, કોર્પોરેશન 58, ભરૂચ 69, અમદાવાદ 64 નોંધાયા છે. સ્મીમેરમાં જન્મતા 100 બાળકે 31 કુપોષિત, ચાર ટકા નવજાતનાં મોત થયા હતા.

ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય હતા. પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે. એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14,191 હતા. નર્મદામાં 12,673 હતા.

જો આવા બાળકોમાંથી ઘણાં બાળકોને માતાનું ધાવણ સમયસર મળ્યું હોત તો તે બચી ગયા હોત.

પંપ  દ્વારા દૂધ
માતાનું દૂધ લેવા માટે ઇલેક્ટ્રિક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. શારીરિક નુકસાન કે દર્દ થતું નથી. કોઈપણ સ્વસ્થ અને નિરોગી પ્રસૂતા માતા પોતાનું દૂધ દાન કરી શકે છે. દૂધ દાન પછી માતાના બાળકને દૂધની કમી નથી થતી. દૂધ દાનથી માતાઓને દૂધનો ભરાવો, પાક, અથવા રસી જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

વર્ષે 5 હજાર લીટર દૂધ
રાજ્યમાં વર્ષ 2024-25માં 5537 માતાઓએ 5,036 લીટર દૂધ આપ્યું હતું. બેંક દ્વારા 2092 લીટર દૂધ આપીને 7829 બાળકોને અપાયું છે. ધાવણનું દાન આપનારી માતાઓના કારણે ગુજરાતમાં અનેક બાળકો જીવીત રહી શક્યા છે. માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં સુધારો જોવા મળ્યો છે. આશા વર્કર બહેનોના કારણે આમ બન્યું છે.

દૂધની તપાસ
દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયા લોજીકલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમનું દૂધ લેવાય છે. દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ માટે મોકલાય છે. ડીપ-ફ્રિજમાં 18થી 20 ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરી છ મહિના સુધી સાચવી શકાય છે.  સામાન્ય રીતે 125 MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે.

મહત્વ
નવજાત શિશુ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુ માટે માતાનું દૂધ મળી રહે તે માટે મધર મિલ્ક બેંક કામ કરશે. કુપોષણથી પીડાતા, ઓછા વજનવાળા (800 ગ્રામથી 1 કિલોગ્રામ), અને સ્તનપાન ન કરી શકતા બાળકો માટે માતાનું ધાવણ પૂરું પાડે છે. ધાવણ આવતું ન હોય અથવા જેમની માતા નથી.
માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. તે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શારીરિક-માનસિક વિકાસમાં મદદ કરે છે. જોકે, ઘણી માતાઓ ગંભીર બીમારી, ધાવણની ઉણપ, અથવા અન્ય કારણોસર પોતાના બાળકને સ્તનપાન કરાવી શકતી નથી. આવા બાળકોને અગાઉ પાવડર દૂધ આપવામાં આવતું, જે પોષણની દૃષ્ટિએ અપૂરતું હોય છે.

સ્તનપાન કરી શકતા નથી એવા બાળકો માટે ઉપયોગી છે. નિયોનેટલ ઇન્ટેસિવ કેર યુનિટ માંથી ઝડપથી રજા મેળવી શકે છે. માનવ દૂધ બેંક, સ્તન દૂધ બેંક અથવા લેક્ટેરિયમ એ એક સેવા છે જે સ્તનપાન કરાવતી માતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલા માનવ દૂધના નિર્ધારિત જથ્થાને એકત્રિત કરે છે, તેનું વિશ્લેષણ કરે છે, પ્રક્રિયા કરે છે, પેશ્ચયૂરાઇઝ કરે છે અને વિતરણ કરે છે.

પેશ્ચરાઇઝ્ડ દાતા
પેશ્ચરાઇઝ્ડ દાતાના સ્તન દૂધ એક અસરકારક આહાર છે. જૈવિક માતા સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય ત્યારે પહેલો વિકલ્પ અન્ય સ્ત્રોતોમાંથી માનવ દૂધનો ઉપયોગ છે. દૂધ નિઃશુલ્ક રૂપે જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે.
શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે મદદ મળશે. મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ. જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને. બાળક તંદુરસ્ત બને.

અમદાવાદ
ઓગસ્ટ 2025માં શરૂ થયેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ મિલ્ક બેંકમાં નોંધણી માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે. દરેક લાભાર્થીને યુનિક આઈડી અપાશે. બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે. જ્યાં એકત્રિત દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી સુરક્ષિત બનાવાય છે. દૂધ સંગ્રહ માટે 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 45 લિટર છે.
મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાનમાંથી બનાવવામાં આવી છે. દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન છે. પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાએ દાન માટે મહત્વનું કામ કર્યું હતું.
અમદાવાદની માતાના દૂધની બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24×7 ટીમ કાર્યરત છે. વધુમાં, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટરીલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ છે.

સૌરાષ્ટ્ર
રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સૌરાષ્ટ્રની પ્રથમ મધર મિલ્ક બેન્ક એપ્રિલ 2024માં શરૂ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં રહેતા જનકબેન ભવ્યભાઈ શાહ દ્વારા મધર મિલ્ક બેંકમાં સૌપ્રથમવાર મધર મિલ્ક ડોનેટ કરવામાં આવ્યું છે. જનકબેને શાહે જણાવ્યું હતું કે,  આ મિલ્ક અન્ય કોઈ બાળકોને ઉપયોગી થશે. તેના આશીર્વાદ મને મળશે. જનકબેને સૌરાષ્ટ્રમાં આ બીજી વખત મધર મિલ્ક ડોનેટ કર્યું છે.

ગાંધીનગરમાં 2021થી બેંક ચાલે છે. એક વર્ષમાં 946 માતાઓએ 300 લિટર દૂધ દાન આપીને 994 બાળકોને દૂધ આપે છે. ભારતની શ્રેષ્ઠ કંપનીના ફુલ્લી ઓટોમેટિક સાધનો છે.

ગુજરાતની એસ.એસ.જી હોસ્પિટલ ભારતની પ્રથમ છે જેને વડોદરાને ઉચ્ચ ગુણવત્તા યુક્ત માપદંડોનું પ્રમાણપત્ર મળ્યું છે.

ઇતિહાસ
ભારતમાં પહેલી માનવ દૂધ બેંકની સ્થાપના 1989માં મુંબઈમાં કરવામાં આવી હતી. જે વિશ્વમાં બનેલી પહેલી બેંકના 80 વર્ષ પછી શરૂ થઈ હતી. 2012માં શરૂ થયેલી ઉદયપુરની આરએનડી બેંક ઉત્તર ભારતની પહેલી છે.
ગુજરાતમાં 2021થી શરૂ થઈ છે. ગુજરાત ઘણું પાછળ રહી ગયું છે.
ચિતોગગઢની આંચલ મધર મિલ્ક બેંક 2017થી દેશની શ્રેષ્ઠ બેંક છે. 7 વર્ષમાં સાત પુરસ્કારો મળ્યા હતી.
વિશ્વમાં 1909માં એસ્ચેરિચે પ્રથમ માનવ દૂધ બેંક ખોલી. પછીના વર્ષે, બોસ્ટન ફ્લોટિંગ હોસ્પિટલમાં બીજી એક દૂધ બેંક ખોલી, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ દૂધ બેંક હતી.
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્ય માટે 1થી 7 ઑગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર કરવા માટે જાગૃત કરાય છે.
માનવ દૂધ બેંકોની માંગ અને ઉપયોગ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ મિલ્ક બેંકિંગ ઇનિશિયેટિવ (IMBI) ની સ્થાપના 2005માં ઇન્ટરનેશનલ HMBANA કોંગ્રેસ ખાતે કરવામાં આવી હતી. જેમાં 33 દેશો જોડાયેલા છે.
સ્તન દૂધ દાનનો ઇતિહાસ એવું કહે છે કે, માતાના દૂધની વહેંચણી અંગેના નિયમોનો પ્રથમ રેકોર્ડ બેબીલોનીયન કોડ ઓફ હમ્મુરાબી (1800 બીસી)માં જોવા મળે છે.
11મી સદી સુધીમાં, યુરોપિયન સંસ્કૃતિ સ્તનપાનને અભદ્ર માનતી હતી. પણ ભારતમાં મહિલાઓ બીજાના બાળકને સ્તનપાન કરાવતી રહી છે.
વિયેના યુનિવર્સિટીના થિયોડોર એસ્ચેરિચે 1902થી 1911 દરમિયાન વિવિધ પોષણ સ્ત્રોતો અને નવજાત શિશુઓ પર તેમની અસરોનો અભ્યાસ કર્યો.
દાતા માતાનું દૂધ માતાના દૂધનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એચઆઈવી રોગચાળા સાથે દૂધ બેંકિંગની પ્રથામાં વધુ ઘટાડો થયો. કડક પરીક્ષણની જરૂરિયાતોને કારણે દૂધ બેંકો ચલાવવાનો ખર્ચ વધ્યો, જેના કારણે કેટલાકને તેમના દરવાજા બંધ કરવા પડ્યા.