કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી છે કે મધ્ય વર્ગના 1.25 કરોડ લોકોને અનાજ આપો
બાબત એપીએલ કાર્ડ ધારક મધ્યમવર્ગને મફત અનાજ આપો મધ્યમવર્ગ કોઈને કહી પણ શકતો નથી અને શરમથી કોઈની સામે હાથ પણ લંબાવી શકતો નથી . સૌથી દયનીય , કફોડી હાલત મધ્યમવર્ગીય પરિવારોની છે .
રાજય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં ૩ . ૫ કરોડ ગરીબ – નિઃસહાય લોકોને રેશનીંગ દુકાનોમાંથી અંત્યોદય કાર્ડ ધારકો ( એએવાય ) તેમજ અગ્રતા ધરાવતા કાર્ડ ધારકો ( પીએચએચ ) તથા રેશનકાર્ડ વિહોણા પરપ્રાંતીય અને નિરાશ્રિતોને અન્ન બ્રહ્મ યોજના અન્વયે વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
લગભગ ૨ . ૭૫ કરોડ એપીએલ ( ૨ ) કાર્ડ ધારકો કે જેઓ અંશતઃ મધ્યમવર્ગના છે . હાલ દેશ આર્થિક મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો હતો તેવા વિકટ સમયે જ વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉનને કારણે મધ્યમવર્ગ ઉપર આકસ્મિક રીતે દુઃખનો મોટો આભ તૂટી પડયો છે . મધ્યમવર્ગ કોઈને કહી પણ શકતો નથી અને શરમથી કોઈની સામે હાથ પણ લંબાવી શકતો નથી . અત્યારે સૌથી દયનીય અને કફોડી હાલત મધ્યમવર્ગીય પરિવારોની છે .
રાજયના કુલ ૬ . ૨૫ કરોડ માંથી ૩ . ૫ કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપી દેવાતા હવે ૨ . ૭૫ કરોડ એપીએલ કાર્ડ ધારકો જ બાકી રહે છે . ૨ . ૭પ કરોડ એપીએલ કાર્ડ ધારકો પૈકી અંદાજે ૧ . ૨૫ કરોડ જેટલા લોકો સુખી , સંપન્ન સહિત શ્રેષ્ઠીદાતા પરિવારના છે કે જેઓ ગુજરાતના ગરીબ અને નિઃસહાય લોકોને આર્થિક મદદ દ્વારા દાન કરી રહ્યા છે . પરંપરાગત સંસ્કૃતિ મુજબ ગુજરાતીઓ આપત્તિના સમયે મફત માંગવાની નહી પરંતુ દાન આપવાની ધાર્મિક વૃત્તિ ધરાવે છે .
એટલે ૧ . ૨૫ કરોડ લોકો સ્વેચ્છાએ અનાજ નહીલે તે બાબત વિશ્વાસપૂર્ણ રીતે માની શકાય .
એટલે હવે અંદાજે ફકત ૧ . ૫ કરોડ જેટલા લોકોને જ અનાજ આપવાનું થાય માટે આજની અકલ્પનીય પરિસ્થિતિ અને મહામારીનો કામચલાઉ ધોરણે અંત આવે ત્યાં સુધી એપીએલ કાર્ડ ધારકોને પણ માનવતાના ધોરણે વિનામૂલ્ય અનાજ આપવા સરકાર સંવેદનશીલ નિર્ણય લે એવી મારી આપશ્રીને નમ્ર વિનંતી છે .