વેજલપુર વિસ્તારમાં એસઓજીની સઘન કાર્યવાહી : આનંદનગર પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ મકાન માલિકો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદો
શહેરમાં ભાડાના મકાન આપનાર મકાન માલિકે ભાડુઆતોના ઓળખ પત્ર સહિત સંપૂર્ણ હકિકતો સાથેનું નજીકના પોલીસ મથકમાં ભરવું ફરજિયાત છે. ઓળખ પત્રો લીધા વગર મકાનો ભાડે આપતા હોવાથી પગલાં ભરવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વેજલપુર પોલીસ મથકે 10 મકાન માલિક સામે કાર્યવાહી કરી છે.
તમામ મકાન માલિકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આનંદનગર પોલીસ અને વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાડાનું મકાન લઈ આવી પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃતિ અટકાવવા માટે એસઓજી દ્વારા રવિવાર ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખાનગીરાહે તપાસ કરતા સંખ્યાબંધ મકાન માલિકો પાસે ભાડુઆતની કોઈ વિગતો નહી હોવાનું જાણવા કાર્યવાહી શરૂ કરી હતી.
આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વેજલપુર કષ્ણધામ ઔડાના મકાનમાં એસઓજીએ વ્યાપક પ્રમાણમાં તપાસ શરૂ કરતા અનેક મકાન માલિકોએ કાયદાનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. કષ્ણધામમાં આવેલા બ્લોક નં.૬ર માં રૂમ નં.૯૬પના મુળ માલિક મોતીભાઈ મીઠાભાઈ છે અને હાલમાં તેઓ માનસી સર્કલ રણુંજાનગર ખાતે રહે છે.
મોતીભાઈએ કષ્ણધામનું આ મકાન કમલેશ બારીયા નામના એક વ્યક્તિને ભાડેથી આપ્યું હતું પરંતુ તેની પાસેથી કોઈ દસ્તાવેજા લીધા ન હતા આજ રીતે આ બ્લોકમાં ૯પ૭ નંબરના રૂમના માલિક દિનેશભાઈ નાનજીભાઈ છે અને તેઓ પણ રણુંજાનગર માનસી સર્કલમાં રહે છે દિનેશભાઈએ તેમનું આ મકાન વિકાસ સરગરા નામના યુવકને છેલ્લા ૧ વર્ષથી ભાડે આપેલુ હતું પરંતુ દિનેશભાઈએ ભાડેથી રહેતા વિકાસ પાસેથી કોઈ પુરાવા મેળવ્યા ન હતા
આ ઉપરાંત આજ બ્લોકમાં ર૦પ૧ નંબરની રૂમના મુળ માલિક ગણપતભાઈ નરસિંહભાઈ સોલંકી છે અને તે પોતે પણ માનસી સર્કલ રણુંજાનગર ખાતે રહે છે. ગણપતભાઈએ પોતાની આ રૂમ કરૂણાબેન ધનજીભાઈ વાઘેલાને ભાડેથી આપેલી છે. પરંતુ ગણપતભાઈએ આ મહિલા પાસેથી કોઈ દસ્તાવેજા લીધા ન હતાં.
કષ્ણધામના બ્લોક નં.૬પમાં રૂમ.ર૦૬૬ ના માલિક લાલભા વિક્રમસિંહ ઝાલા જે હાલમાં થલતેજ ખાતે રહે છે પરંતુ તેમણે આ રૂમ દેવીબેન ઝાલા નામની મહિલાને ભાડે આપી હતી. લાલભાઈ આ મહિલાના કોઈ દસ્તાવેજ મેળવ્યા ન હતા અને પોલીસમાં પણ કોઈ જાણ કરી ન હતી આ જ બ્લોકમાં રૂમ નં.ર૦પપના માલિક વસંતભાઈ વણકર સેટેલાઈટ ખાતે રહે છે અને તેમણે પોતાનું મકાન હિરેનકુમાર દોડીયા ભાડે આપેલું છે આ તમામ ભાડુઆતો છેલ્લા એક થી બે વર્ષથી રહે છે
આ તમામ મકાન માલિકોએ મકાન ભાડે આપતી વખતે ભાડુઆતોના કોઈ આઈડી પ્રુફ લીધા ન હતા અને સ્થાનિક આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફોર્મ પણ ભર્યું ન હતું આવી ગંભીર બેદરકારી દાખવનાર તમામ મકાન માલિકો વિરૂધ્ધ એસઓજીના પીએસઆઈ એમ.એન.સોલંકીએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તમામની વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાડુઆતોના દસ્તાવેજ નહી રાખનાર મકાન માલિક વિરૂધ્ધ ગઈકાલથી શરૂ થયેલી કાર્યવાહીથી મકાન માલિકોમાં ફફડાટ ફેલાયેલો છે. એસઓજીની ટીમોએ ગઈકાલે વેજલપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરી હતી કષ્ણધામ ઉપરાંત એસઓજીએ વેજલપુર વિસ્તારમાં આવેલા શિવાલય એપાર્ટમેન્ટમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ એપાર્ટમેન્ટમાં પાંચ મકાનોના માલિકોએ મકાનો ભાડે આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજીએ આ તમામ મકાન માલિકોને બોલાવી ભાડુઆતોના દસ્તાવજા માંગ્યા હતાં પરંતુ મકાન માલિકો આ દસ્તાવેજા રજુ કરી શકયા ન હતાં. શિવાલય એપાર્ટમેન્ટ વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતા હોવાથી એસઓજીના અધિકારીએ જાતે ફરિયાદી બની આ પાંચેય મકાન માલિકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.