મોદીની કટોકટીથી ગુજરાતમાં 24 વર્ષથી પત્રકારોને ખતરો

મૂળ અહેવાલ 7 હજાર શહ્દોનો છે અહીં તેના ટૂંકાવીને મુદ્દા રજૂ કર્યા છે. મૂળ અહેવાલની લીંક https://allgujaratnews.in/gj/attack-press-freedom-gujarat/
દિલીપ પટેલ
અમદાવાદ, 27 જૂન 2025
મોદી રાજના 24 વર્ષમાં ગુજરાતમાં પત્રકારોની સ્વતંત્રતાને કચડી નાંખવા માટે અનેક હુમલાઓ થયા છે. જેમાં શારિરીક હુમલાઓ પણ થયા છે. કાયદાનો ભંગ કરીને મિડિયા સામે પરેશાની ઊભી કરી છે. ઈંડિરા ગાંધીએ કટોકટી દરમિયાન ગુજરાતમાં મુખ્ય ધારાના પ્રકાશ ન શાહ સહિત બે પત્રકારોને જેલમાં નાંખી દીધા હતા. પણ મોદી રાજમાં 200થી વધારે પત્રકારો અને મિડિયા સામે આફતો આવી છે. હુમલા થયા છે.
ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે ગુજરાતના પત્રકારો સામે મોદી રાજમાં ભારે કટોકટી
ઈંદિરા ગાંધીની કટોકટી કોઈ રીતે યોગ્ય ન હતી. પણ મોદીની ગર્ભિત અને છૂપી કટોકટી તેનાથી ખતરનાક
મોદી રાજની ઘોષિત કટોકટીમાં ગુજરાતના પત્રકારો પર જોખમ, ભય, હુમલા અને હત્યાના બનાવો
અનેક પત્રકારોના જીવ જોખમાયા, આર્થિક હુમલા મોદી રાજમાં થયા
સત્તાના બેફામ ઉપયોગથી અખબારો અને ટીવી ચેનલ બંધ કરાવી, પત્રકારોએ આંદોલનો કર્યા
અદાલતમાં આજે પણ અનેક પત્રકારો કેસ લડી રહ્યાં છે, મોદીની આલોચના કરતા એક પત્રકાર જેલમાં
અનેક વખત માહિતી મેળવવાના પત્રકારોને અધિકારો પર તરાપ આવી તેથી આંદોલનો થયા
મોદી સામે ન ઝૂકેલા અનેક પત્રકારોએ નોકરી ગુમાવવી પડી
2024ની લોકસભાની ચૂંટણીમાં ગૃહ પ્રધાન અમિત શાહની વિગતો જાહેર કરી તો પોલીસ મોકલી
ચૂંટણીની વરવી વાસ્તવિકતા જાહેર કરનારા પત્રકાર દિલીપ પટેલની વિડિયો હટાવી દીધી
સત્ય ડે ટીવી ચેનલ પરથી અમિત શાહ  આમેનો વિડિયો હટાવી દેવા સત્તાનો ગેરઉપયોગ કર્યો
મોદીના માનીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં દિલ્હીના પત્રકારો સામે કેસ કર્યા
સરકાર, સરકારી કંપનીઓ, સરકારી કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પત્રકાર સામે આર્થિક હથિયાર
સહકારી સંસ્થાઓ, એપીએમસી, ડેરી, સહકારી બેંકોની જાહેરાતોથી પત્રકારોને કાબુમાં કર્યા
નિયમો વિરૂદ્ધ જાહેરાતો આપે છે, માહિતી ખાતું પત્રકારો વચ્ચે ભેદભાવ રાખી રહ્યું
સ્વમાનના પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધવા સામે પત્રકારોએ વિરોધ કર્યા હતો
પત્રકારો પરના 20 હુમલામાં પગલાં ભરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ કરી હતી
અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મિડિયામાં થતાં હુમલાં અને સત્તાધીશોની હેરાનગતી અંગે રજૂઆત
2024માં કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહે પોલીસનું લાંચ કૌભાંડ બહાર પાડ્યું તો નોટિસ
2024માં અમરેલી જિલ્લાના  જાફરાબાદમાં કામ કરતા ટીંબી ગામના પત્રકાર સોહિલ બમાણી ઉપર હુમલો
ગાંધીનગરના પ્રદીપ રાવલ અને બોડેલીના પત્રકાર બરકતુલ્લાહ ખત્રીની સામે 2023માં ગુનો નોંધ્યો
2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ રાષ્ટ્ર દ્રોહનો ગુનો
મુખ્ય પ્રધાન બદલાશે એવું લખનારા પત્રકારે વિદેશ ભાગી જવું પડ્યું
2019માં નડિયાદના કનીપુરામાં પત્રકાર ગિરધારી ભાજપના નેતાના ઈશારે હુમલો કરવામાં આવ્યો
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ગિરધારી પર અનેક ખોટા ગુના નોંધાયા અદાલતે તમામમા નિર્દોષ જાહેર કર્યા
સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો
ભાજપના નેતાની આશ્રમશાળાનો અહેવાલ આપ્યા બાદ વદનસિંહે પત્રકારોનું અપહરણ કર્યું
પોલિસના દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદન આપ્યુ હતુ.
2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાનવીય રીતે લાઠીચાર્જ કર્યો
‘પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર’ દ્વારા પત્રકારો પરના હુમલા સામે આવેદનપત્ર અપાયુ
પત્રકારો પર સાયબર હુમલા ગુજરાતમાં વધી રહ્યાં છે
ચોક્કસ પક્ષ કે નેતાઓની ટીકા બદલ પત્રકારોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભદ્ર ભાષા
ન્યુઈન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો દિલીપ ક્ષત્રિય પર તેના સોશિયલ એકાઉન્ટ પર વારંવાર હુમલા કરાયા
પત્રકાર હરી દેસાઈ પર પણ સોશિયલ મિડિયા પર એટેક કરાય છે
આવા સેંકડો પત્રકારો છે કે જેમની ઉપર સોશિયલ મિડિયામાં હુમલા, જેથી તેઓ લખતા બંધ થાય
ગુજરાતની સરકારને પત્રકારોએ અન્ય રાજ્યો જેવો કાનૂની સુરક્ષા બનાવવા માંગ કરી તે ન સ્વીકારી
ગુજરાત વિધાનસભામાં પત્રકારોને કેમેરા લઈ જવાની મનાઈ ફરમાવી છે
2015માં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ રેલીના કવરેજ કરતાં 22 પત્રકારો પર પોલીસ કાફલાનો હુમલો
આમ છેલ્લાં 24 વર્ષમાં મોદી રાજમાં આવી અનેક ઘટનાઓ બની
ભાજપની મોદી સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, ન્યૂઝલોન્ડ્રી, દૈનિક ભાસ્કર પર દરોડા પાડ્યા
મોદી રાજમાં ભારત સમાચાર, કાશ્મીર વાલા, ધ વાયર વગેરેને દબાવવા માટે તપાસ એજન્સીઓના દરોડા
સાયકલ લઇને ફરતા રાજકીય નેતા 10 વર્ષમાં 500 કરોડના માલિક બની જાય તો દરોડા નહીં
તપાસ એજન્સી તૈનાત કરીને મીડિયા પર જાણી જોઈને અત્યાચાર ગુજારી મીડિયાનો અવાજ દબાવે છે
2023માં ભાજપના નેતા અને પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા પત્રકારોને ડરાવવા-ધમકાવેલા
ઈરાની અંગે એડિટર્સ ગિલ્ડ નારાજ થઈને કહેવું પડ્યું હતું કે, પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ન કરો
સરકાર વિરુદ્ધ બોલતા કોઈપણને શાંત કરવાના પ્રયાસમાં ડરાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરાય છે
હુમલાના વિરોધમાં પત્રકારોના સંગઠનોએ રાજ્યભરમાં વિરોધ નોંધાવી વારંવાર આવેદનપત્ર આપ્યા છે
ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા સ્વતંત્ર પત્રકારો પર જોખમ વધી રહ્યું છે
ગુજરાતમાં 3થી પત્રકારો સામે દેશદ્રોહના ગુના દાખલ થયેલા જેમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પ્રશાંત દયાલ હતા
2019માં ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી માટે જાહેર બેઠક મળી
ટીવી9 ને પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત થયું હોવાનું મોટાભાગના પત્રકાર માને છે
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકી
માહિતી ખાતા દ્વારા સમાચારોના વાહિયાત ખુલાસાઓ મોકલીને કરતી કનડગત
ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાઈ છે
પત્રકારો સવાલ કરે ત્યારે તેમને જોઈ લેવાની ધમકીઓ મળે છે
ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે. ફિલ્ડ પર પત્રકારોને સુરક્ષા નથી અપાતી
પત્રકારો અને પત્રકારોની સંસ્થાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની બાબતમાં 180 દેશોના સર્વેમાં ભારતનું સ્થાન 2022માં બે ક્રમ નીચે 142 પર
સરકારની ટીકા કરનારાની હેરાનગતિ કરવી અને બનાવોના અહેવાલો આપનારા સામે બીજા ગુના
એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ એક કેસમાં જણાવ્યું કે આ પોલીસ કેસ મીડિયાને ધમકાવવા કરે છે
કોઈ પત્રકાર સત્ય બોલે છે ત્યારે સત્તાધીશને તે પસંદ આવતું નથી. તેથી હુમલા કરાવે છે.
2022માં વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારમાં દારૂના અહેવાલ છપાયા તો ગુનો નોંધ્યો
2019માં 300 અખબારોના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં દેખાવો કર્યા તો પોલીસે પકડી લીધા
ગુજરાતમાં 4100 નાના અને મધ્યમ અખબારો અલગઅલગ કારણોસર બંધ કરી દેવાયા
2023માં ગાંધીનગર સમાચારની જાહેરાતો બંધ કરી દઈને અખબારની હત્યા ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી
ભાજપના નેતા અને ભાજપના ધારાસભ્યના ટેકાથી ગાંધીનગરમાં અખબાર ખરીદી લીધું
ગાંધીનગરના અખબારનું અને તેના પત્રકારોનું મોદી વારંવાર અપમાન કરતા હતા
ફૂલછાબ અખબારમાંરભાજપના ચાહીતા ઉદ્યોગગૃહે પ્રવેશ મેળવી દીધો, જેણે એનડીટીવી ખરીદી દીધું
2019માં ગુજરાતમાં પત્રકારો ઉપર 16 હુમલા થયા હતા અને અમદાવાદમાં ચીરાગ પટેલની હત્યા થઈ
20 સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના નેટવર્ક ન્યુઝ ગુજરાતની કચેરીમાં 200 પોલીસ ઘુસી ગઈ
મહિલા એંકરોની હાજરીમાં ગાળો બોલી હતી.  ચેનલ બંધ કરીવી દેવામાં આવી 300 લોકો બેકાર
નેટવર્ક ન્યૂઝ ટીવી ચેનલે ભાજપ સરકારના અનેક ગોટાળા જાહેર કર્યા હતા
2022માં અમદાવાદમાં કે ન્યુઝ ટીવી ચેનલને અમદાવાદ કલેક્ટરે લાયસંસ રદ કરી દઈને બંધ કરાવી
કે ન્યૂઝ ટીવી ચેનલ સરકારીન આકરી ટીકા કરતા અનેક અહેવાલો આપ્યા હતા
અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે. તેમની સામે તવાઈ વારંવાર આવતી રહી
વિનીત કુમાર શિક્ષકોની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે ભાજપ નજીકના લોકોએ હુમલો કર્યો હતો
22 જુલાઈ 2021માં ‘દૈનિક ભાસ્કર’ અને ‘દિવ્ય ભાસ્કર’ પર દરાડો પડાયા હતા
8 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના બોડકદેવના સમભાવ-વીટીવી પર આવકવેરાના દરોડા
જીએસટીવી પર 2025માં સતત 36 કલાક દરોડા ઈડીના અને આવકવેરાના પડ્યા હતા
વડોદરામાં ગણેશ વિસર્જનની રાતે વડોદરા પોલીસે GSTVના પત્રકાર પર હિચકારો હુમલો કર્યો
2018માં હળવદમાં પત્રકાર  પત્રકાર  જયેશ ઝાલા પર હુમલો કરનારને ઘણાં સમાય સુધી ન પકડ્યા
4 ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.
2022માં ડીસામાં કોર્ટની બહાર એક પત્રકાર પર રાજકીય પક્ષના ગુંડાઓએ હુમલો કર્યો
ગુજરાતમાં દિલ્હીના પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા સાથે ઘટેલી ઘટના દેશને હચમાચાવ્યો હતો
એક ઘટના સુરેન્દ્રનગરમાં ભાજપના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ ધમકી આપી
વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની મુંજપરાની ધમકી આપી
મુંજપરાએ અગાઉ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું
સુરેન્દ્રનગરમાં પાલિકાના પાણીનો પ્રશ્ન ઉભો કરનારા સામે હુમલા થયા
કિશોર દવે નામના જૂનાગઢના પત્રકાર પર તેની કચેરીમાં જ હત્યા કરી દેવામાં આવી