મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા

Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता
8 સપ્ટેમ્બર 2024
ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવા માટે લખું છું. એવું તેઓ કહેતાં હતા. મહેતા પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી લેખન શૈલી સાથે સંકળાયેલા રહ્યા હતાં તેઓ પોતાના એક-એક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 12-12 કલાક કામ કરતા હતાં.

ગુજરાતી વેપારી સમુદાય અને મુખ્ય વેપારીઓ ઉપરાંત અલગ-અલગ સમયગાળા દરમિયાન ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવન પર તેમની અસર વિશે મકરંદ મહેતાનું લખાણ ઇતિહાસકારોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

મકરંદ મહેતાએ “સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજીક ચેતના: સ્વામીનારાયણ સંપ્રદાયનો એક અભ્યાસ 1800-1840” શિર્ષક સાથે એક રિસર્ચ પેપર પ્રસ્તુત કર્યુંઇમેજ સ્રોત, RIZWAN KADRI
ઇમેજ કૅપ્શન,મકરંદ મહેતાએ સ્વામીનારાયણ સંપ્રદાય પર એક રિસર્ચ પેપર પણ પ્રસ્તુત કર્યું
જોકે, 1980ના દાયકાના અંતે તેમને સ્વામીનારાયણ સંપ્રદાય પર લખેલા એક લેખને કારણે ગુજરાતની સિવિલ સોસાયટી અને રાજકારણમાં એક વિવાદ થયો હતો.

તેમણે 1986ની શરૂઆતમાં એક સેમિનારમાં ‘સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજિક ચેતના: સ્વામીનારાયણ સંપ્રદાયનો એક અભ્યાસ 1800-1840’ શિર્ષક સાથે એક રિસર્ચ પેપર સોશિયલ સાઇન્ટિસ્ટ અને ઇતિહાસકારો સામે પ્રસ્તુત કર્યું.

‘અર્થાત્’ નામની એક સામાજિક વિજ્ઞાનની પત્રિકાએ પોતાના ઑક્ટોબર-ડિસેમ્બરના અંકમાં આ રિસર્ચ પેપરને પ્રકાશિત કર્યું હતું.

આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે સ્વામીનારાયણને તેમના અનુયાયીઓ ભગવાન કૃષ્ણનો અવતાર માને છે. જોકે, તેઓ માત્ર એક સમાજસુધારક હતા અને તેમણે પોતાના અનુયાયી સાથે મળીને પોતાને ભગવાન તરીકે દર્શાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.

આ લેખ આર્કાઇવલ દસ્તાવેજો પર આધારિત હતો અને તેમાં કઠોર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જોકે, સંપ્રદાયના બે ભક્તોએ લેખની ટિકા કરતા એક નોટ લખી અને મકરંદ મહેતાના લેખને કચરો ગણાવ્યો. પત્રિકાએ આ પ્રતિક્રિયાને પણ પ્રકાશિત કરી હતી.

કેટલાક ભક્તોનું માનવું હતું કે લેખને કારણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ કારણે ભક્તોએ લેખકને ગાળો આપી. કેટલાક ભક્તોએ લેખક અને પત્રિકાના સંપાદકોને ધમકીઓ પણ આપી. આ ભક્તો આ મામલાને અદાલતમાં લઈ જવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો.

ગુજરાત સરકારે લેખક, પત્રિકાના સંપાદક ને પ્રકાશક પર કેસ ચલાવવા માટે પરવાનગી આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ સમયે સેંકડો શિક્ષાવિદોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને લેખક તથા પ્રકાશકને સમર્થન આપ્યું.

જોકે, આ પ્રકરણે ગુજરાતના શિક્ષાવિદોને શક્તિશાળી હિતોથી સાવધાન રહેવાની ચેતવણી પણ આપી.
મકરંદ મહેતાનો જન્મ 25 મે 1931 ના રોજ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

દલિતો
મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ, સામાન્ય જીવનમાં છૂત-અછૂત અને ભેદભાવની પ્રથા અને કથિત ઊંચી જાતિઓ વિરુદ્ધ દલિતોના સંઘર્ષ વિશે લેખોની એક શ્રૃંખલા લખી હતી.મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ પર લેખોની એક શ્રૃંખલા લખી હતી. મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ, સામાન્ય જીવનમાં છૂત-અછૂત અને ભેદભાવની પ્રથા અને 19મી સદીના અંતથી કથિત ઊંચી જાતિઓ વિરુદ્ધ દલિતોના સંઘર્ષ વિશે લેખોની એક શ્રૃંખલા લખી હતી.
હિન્દુવર્ણ વ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો’ શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું.
અનેક સ્રોતોના આધારે તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, સવર્ણ હિન્દુઓ એ દલિતોનુ કેવું યોજનાપૂર્વક અને મુત્સદ્દીગીરીથી શોષણ કર્યું હતું અને દલિતોએ કેવી મક્કમતાપૂર્વક તેની સામે આંદોલનો કર્યાં હતાં.
ગુજરાતમાં દલિત અને કથિત ઊંચ જાતિના રાજકારણને સમજવા માટે એક મહત્ત્વપૂર્ણ પુસ્તક છે.
છેલ્લો નિબંધ “મધ્યકાલીન ગુજરાતમાં સમાજ અને ચેતના” પર આપ્યો હતો.

લાયકાત
તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ઍમેરિટ્સ પ્રોફેસર હતા. મકરંદ મહેતા આ પહેલાં દિલ્હીસ્થિત શ્રીરામ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બિઝનેસ હિસ્ટ્રી, પુણેસ્થિત ગોખલે ઇન્સ્ટ્યૂિટ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ, આઈઆઈએમ અમદાવાદ અને અમેરિકાની યુનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયા સાથે જોડાયેલા હતા. તેઓ ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસના મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી વિભાગના અને ગુજરાત હિસ્ટ્રી કૉંગ્રેસના અધ્યક્ષ હતા.
તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

નિવૃત્તિ પહેલાં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

પુસ્તકો
મકરંદ મહેતા એક પ્રચુર સર્જન કરનારા લેખક હતા. તેમણે 20થી વધારે પુસ્તકો, સેંકડો લેખો અને સેંકડો સમાચારપત્રોમાં કટારલેખો લખ્યા.

ગુજરાતના કવિ અને લેખકો કથિત આધુનિકતા અને બ્રિટિશ શાસન પહેલાં ભક્તિ સાહિત્ય અને દુન્યવી ભૌતિકવાદ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા હતા.

મકરંદ મહેતાએ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સાથે મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ પર લખેલાં પુસ્તકો સૌથી વધારે પ્રસિદ્ધ છે.

તેમનાં પુસ્તકો, ‘અમદાવાદના નગરશેઠ : ગુજરાતમાં અર્બન ઇન્સ્ટિટ્યૂશનો ઇતિહાસ’ (1978) તથા ‘ક્લાસ કૅરેક્ટર ઑફ ગુજરાતી બિઝનેસ કૉમ્યુનિટી’ (1984) અભ્યાસલક્ષી છે.

આ અભ્યાસ પશ્ચિમ સાથે જોડાયેલા વેપારી વર્ગના ચરિત્રની તુલનામાં ગુજરાતી વેપારીઓના સામાજિક ચરિત્ર પર વધારે ભાર આપે છે.

આ ચરિત્ર ધર્મ અને જાતિની સીમાઓથી પણ ઘણું આગળ છે. આ અભ્યાસ દર્શાવે છે કે 18મી સદી દરમિયાન સ્થાનિક રહેવાસીઓ મુધલ શાસનના પતનને કારણે ચિંતિત હતા ત્યારે વેપારી વર્ગે લોક કલ્યાણની જવાબદારી પોતાની માથે લીધી હતી.

કેટલાક ઇતિહાસકારોએ આ વિશ્લેષણને આધારે બીજા ઇતિહાસકારોએ શહેરી ગુજરાતમાં નગરશેઠની પ્રથાના ઉદય વિશે અનુમાન લગાવ્યું.

મકરંદ મહેતાનાં બીજા પુસ્તકો પૈકી ‘અમદાવાદ કૉટન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી’ (1984) અને ’17મી સદીથી 19મી સદીમાં ભારતીય વેપારીઓ ખાસ કરીને ગુજરાતના શ્રૉફ (બૅન્કર)નું ઐતિહાસીક દૃષ્ટિએ મહત્ત્વ.’ આ પુસ્તકો રાજ્યના આર્થિક વિકાસ અને સામાજિક ઇતિહાસને સમજવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગુજરાતના ઘડવૈયા અને મહાજનોની યશગાથા જેવાં પુસ્તકો ગુજરાતના વેપારી સમુદાય વિશે જાણવા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ શ્રૃંખલાનાં વર્ણનો, વ્યક્તિગત ડાયરીઓ, સમાચારપત્રોના અહેવાલો અને આર્કાઇવલ સામગ્રી પર આધારિત હતાં.

અમદાવાદના ઇતિહાસ અંગે તેમણે ખૂબ સંશોધન કર્યું. તેમનો પીએચ. ડી. થીસિસ ‘અમદાવાદ કોટન ટેક્સટાઇલ ઇન્‍ડસ્ટ્રી: જિનેસિસ એન્‍ડ ગ્રોથ’ શીર્ષક હેઠળ 1991માં પ્રગટ થયો.
‘અર્બનાઇઝેશન: અ હિસ્ટોરિકલ પરસ્પેક્ટિવ, બિઝનેસ હાઉસીસ ઇન વેસ્ટર્ન ઇન્‍ડિયા: અ સ્ટડી ઇન એન્‍ટરપ્રિન્‍યુઅરિયલ રિસ્પોન્‍સ 1850-1956’ (સહ લેખક). ‘રિજિયોનલ રૂટ્સ ઓફ ઇન્‍ડિયન નેશનલિઝમ, મરચન્‍ટ એન્‍ડ પોર્ટ્સ’, ‘ઇન્‍ડિયન મરચન્‍ટસ એન્‍ડ એન્‍ટરપ્રિન્‍યુર્સ ઇન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ: વિથ સ્પેશિયલ રેફરન્‍સ ટુ શ્રોફ્સ ઓફ ગુજરાત, ( 17 ટૂ 19 સેંચ્યુરીઝ)’, ‘મર્ચન્‍ટ્સ એન્‍ડ પોર્ટ્સ ઓફ ગુજરાત’, ‘હિસ્ટરી ઓફ ઇન્‍ટરનેશનલ ટ્રેડ એન્‍ડ કસ્ટમ્સ ડ્યૂટીઝ ઇન ગુજરાત’, ‘ગુજરાતનો રજવાડી વારસો (ગુજરાતી)’ વગેરે ઐતિહાસિક ગ્રંથોનું આલેખન કર્યું. આ ઉપરાંત તેમણે અમદાવાદ પર અનેક સંશોધન લેખ જેવા કે, ‘હિંદ છોડો આંદોલનમાં મિલ મજૂરો2, ‘ગાંધી યુગ પહેલાંનાં સ્ત્રી સામયિકો’, ‘અમદાવાદ લેડિઝ ક્લબ’, ‘ડૉ. આંબેડકરની અમદાવાદ મુલાકાત’, ‘અમદાવાદ પૂર્વેની બે નગરીઓ: આશાપલ્લી અને કર્ણાવતી’, ‘પોળૉનો ઇતિહાસ’ અંગે વર્ષો સુધી અનેક લેખ લખ્યા. તેમણે ‘દર્શક ઇતિહાસનિધિ સંસ્થા’ની આર્થિક સહાયથી ‘ગુજરાતીઓ પૂર્વ આફ્રિકા: ગુજરાતીપણાની શોધમાં’ ગ્રંથ લખ્યો. આમ તેઓ ડાયોસ્પોરિક ઇતિહાસલેખનના નિષ્ણાત સંશોધક છે. ડાયોસ્પોરિક ઇતિહાસમાં તેમનો આ ગ્રંથ મહત્ત્વનો ગણાય છે.’ આ ગ્રંથ દ્વારા તેમણે ડાયસ્પોરિક ઇતિહાસ નામનું ઇતિહાસ સંશોધનનું નવું ક્ષેત્ર ખોલ્યું હતું. મકરંદ મહેતા દૃઢપણે માનતા કે સાલવારી તથા બનાવો ગોખવાનો વિષય નથી. સાચા અર્થમાં તો ઇતિહાસ માનવ અનુભવોની એવી પ્રયોગશાળા છે જેમાં માનવીની સિદ્ધિઓ તથા તેની ત્રુટિઓનું આલેખન થવું જોઈએ. ગુજરાતના ઇતિહાસને જો આગળ ધપાવવો હોય તો તેના વૈચારિક માળખાને લક્ષમાં લઈ ઇતિહાસનું નવેસર સંશોધન કરવાની જરૂર છે. ગ્રંથો અને લેખોની સંખ્યા મહત્ત્વની નથી, પણ એની ગુણવત્તા જ વધુ મહત્ત્વની છે. આ રીતે ઇતિહાસકારોએ વિદ્વાનો ઉપરાંત સામાન્ય માનવી સુધી પહોંચવાની જરૂર છે. તેમણે ગુજરાતના સામાજિક આર્થિક ઇતિહાસને સંશોધનનું વિશેષ સંશોધન ક્ષેત્ર બનાવી ગુજરાતના ઇતિહાસલેખનને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કર્યું છે. ઇતિહાસ લેખનમાં વૈવિધ્યસભર સામગ્રીનો ઉપયોગ, ક્ષેત્ર કાર્યો, સાક્ષાત્કાર અને સાદી સરળ ભાષામાં રજૂઆત એ ડો. મકરંદ મહેતાના ઇતિહાસ લેખનની વિશેષતાઓ હતી.
મહત્ત્વની કૃતિ
અમદાવાદ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ : જિનેસિસ અને ગ્રોથ
અર્બનાઇઝેશન : અ હિસ્ટોરીકલ પરસ્પેક્ટીવ
બિઝનેસ હાઉસીસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા : અ સ્ટડી ઇન્ એન્ટરપ્રેન્યુરિયલ રેસ્પોન્સ ૧૮૫૦-૧૯૫૬ (સહ લેખક)
રીજીયોનલ રૂટ્સ ઑફ ઇન્ડિયન નેશનાલીઝમ
મરચન્ટ્સ એન્ડ પોર્ટસ
ઇન્ડિયન મરચન્ટ્સ એન્ડ એન્ટરપ્રેન્યુર્સ ઇન હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ : વીથ સ્પેશ્યલ રેફરન્સ ટુ શ્રોફ્સ ઑફ ગુજરાત, (૧૭ ટુ ૧૯ સેન્ચ્યુરીઝ)
મરચન્ટ્સ એન્ડ પોર્ટ્સ ઓફ ગુજરાત
હિસ્ટરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ્ એન્ડ કસ્ટમ્સ ડ્યુટીઝ ઇન ગુજરાત
ગુજરાતનો રજવાડી વારસો (ગુજરાતી)
ગુજરાત અને દરિયો (ગુજરાતી)
કસ્તુરભાઇ લાલભાઇ (ગુજરાતી)
ગુજરાતના ઘડવૈયા: સ્વવિકાસની પ્રાયોગશાળા (ગુજરાતી)
ઇતિહાસ, સમાજ એ સાહિત્ય ગુજરાત (ગુજરાતી)
હિન્દુ વર્ણવાવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો (ગુજરાતી)
અંગત જીવન
તેમણે ઈતિહાસકાર શિરીન મહેતા સાથે લગ્ન કરેલા.