Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat
તેનું ઘર હયાત છે
મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા.
મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી અને ઝીણાના વતન વચ્ચે 100 કિલોમીટરનું અંતર નથી. ગામ ઝીણાના ગામ તરીકે ઓળખાય છે. હર્ષદ મહેતા પણ આ ગામના જ હતા, તેથી હર્ષદ મહેતાનું ગામ એ નામે તથા ઉદ્યોગપતિ વાલજી જગજીવનના નામે પણ ઓળખાય છે.
મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર છે અને ઝીણાનાં માતા-પિતાનું ઘર પણ રાજકોટ જિલ્લાનું મોટી પાનેલી ગામ છે. ઝીણા વેપારી અને મહાત્મા ગાંધી હિંદુઓમાં વાણિયા જાતિના હતા. ભારત અને પાકિસ્તાન બંનેના રાષ્ટ્રપિતાની માતૃભાષા ગુજરાતી હતી.
ઉપલેટા તાલુકામાં આવેલું છે. મોટી પાનેલીની 2011માં વસ્તી 13 હજાર હતી.
બચપણ અને લગ્ન
ગુજરાતમાં નામની પાછળ પિતાનું નામ ઉમેરવાની પરંપરા હતી. ઝીણાનું પૂરું નામ મોહમ્મદ અલી જેણાભાઈ છે.
ઝીણાના પિતાનું નામ જેણાભાઈ ઠક્કર અને દાદાનું નામ પુંજાભાઈ ઠક્કર હતું. પિતા સમૃદ્ધ વેપારી હતા. ઝીણાની માતાનું નામ મીઠીબાઈ હતું.
ઝીણાનાં માતા-પિતાએ તેમના પુત્રની શાદી 16 વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડ જતા પહેલાં મોટી પાનેલી ગામની 11 વર્ષની કન્યા એમીબાઈ સાથે કરી દીધા હતા. ઝીણાએ જે છોકરી સાથે લગ્ન કર્યાં તેનું નામ અમીબાઈ હતું. જેણાભાઈ અને મીઠીબાઈ ઝીણાના લંડન જવાથી ડરી ગયાં હતાં.
જે છોકરી સાથે લગ્ન કર્યાં તેમને તેમણે ક્યારેય જોઈ નહોતી. લગ્ન દરમિયાન અમીબાઈ ઉપરથી નીચે સુધી કપડાંથી ઢંકાયેલાં હતાં. લગ્ન પછી ઝીણા લંડન ગયા અને પાછા આવ્યા ત્યારે એમીબાઈનું અવસાન થયું હતું.
મોટી પાનેલી ગામમાં એમીબાઈ વિશે કે તેમના પરિવાર વિશે પણ કોઈ જાણતું નથી.
16 વર્ષના મામદની શાદી મોટી પાનેલીની જ 14 વર્ષીય એમીબાઈ સાથે થયેલી. એમીબાઈ પણ ખોજા જ્ઞાતિની જ હતી. એ સમયમાં શાદી વિવાહ બધુ સંતાનોનાં માતપિતા જ નક્કી કરતાં.
પત્નીના મોત બાદ ઝીણાએ પાછળથી એક પારસી છોકરી સાથે મુંબાઈમાં લગ્ન કર્યાં હતાં.
એડવોકેટ તરીકે મુંબઈમાં કામ કરતાં હતા. અહીં પારસી મિલિયોનેર સર દિનશો પેટિટની પુત્રી રત્તનબાઈ (રુટી) સુધી પણ તેમની રુચિ સીમિત હતી – જેમના માતા-પિતા અને અન્ય લોકોના ભારે વિરોધ છતાં તેમણે 1918માં લગ્ન કર્યા હતા. આ દંપતીને દિના નામની એક પુત્રી હતી, પરંતુ લગ્નજીવન નાખુશ સાબિત થયું અને જિન્ના અને રૂટી ટૂંક સમયમાં અલગ થઈ ગયા. તે તેની બહેન ફાતિમા હતી.
સમૃદ્ધ વેપારી જિન્નાભાઈ પુંજા અને તેમની પત્ની મીઠીબાઈના સાત બાળકોમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં ખોજા જાતિના સભ્યો હતા.
ઘરે ભણાવવામાં આવ્યા પછી, ઝીણાને 1887માં કરાચીની સિંધ મદ્રેસા અલ-ઈસ્લામ (હાલની સિંધ મદરેસાતુલ ઈસ્લામ યુનિવર્સિટી)માં મોકલવામાં આવ્યા. ઇસ્લામ સ્વીકાર્યા પછી પણ, પુંજલાલે તેમના બાળકોને ખુલ્લા ધાર્મિક વાતાવરણમાં ઉછેર્યા, જે હિન્દુ અને મુસ્લિમ બંનેથી પ્રભાવિત હતા. તેથી, જિન્ના શરૂઆતમાં ખૂબ મુક્ત-વિચાર અને ઉદાર ધાર્મિક હતા. પ્રારંભિક તબક્કામાં તેણે પોતાની મુસ્લિમ ઓળખ જાહેર કરવાનું પણ ટાળ્યું હતું. જો કે, રાજકારણમાં સામેલ થયા પછી, તેઓ ધાર્મિક આધાર પર પાકિસ્તાનને અલગ કરવાના હિમાયતી બન્યા.
બાદમાં તેમણે ક્રિશ્ચિયન મિશનરી સોસાયટી હાઈસ્કૂલ (કરાંચીમાં)માં હાજરી આપી, જ્યાં 16 વર્ષની ઉંમરે, તેમણે બોમ્બે યુનિવર્સિટી (હવે મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ, ભારત)ની મેટ્રિક પરીક્ષા પાસ કરી.
શરૂઆતનું શિક્ષણ ગુજરાતી ભાષામાં ઘરે જ થયું. કરાચીની ટોચની મેનેજિંગ એજન્સી ડગ્લાસ ગ્રેહામ એન્ડ કંપનીના જનરલ મેનેજર સર ફ્રેડરિક લી ક્રોફ્ટના સૂચન પર, જેનાભાઈએ 1892માં મોહમ્મદ અલી જેણાભાઈને વ્યવસાયનો અનુભવ મેળવવાલંડન મોકલ્યા.
ધંધો શિખવાના બદલે તેમણે બેરિસ્ટર બનવાનું મન બનાવી લીધું હતું.
શરૂઆતના વર્ષો
લંડનમાં તેઓ લિંકન્સ ઇનમાં જોડાયા, જે વિદ્યાર્થીઓને બાર માટે તૈયાર કરતી કાયદા મંડળીઓમાંની એક છે. 1895 માં, 19 વર્ષની ઉંમરે, તેને બારમાં બોલાવવામાં આવ્યા. લંડનમાં હતા ત્યારે તેમની પત્ની અને તેમની માતાનું મૃત્યુ થયું હતું. તેમ છતાં, તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો અને બ્રિટિશ રાજકીય પ્રણાલીનો પણ અભ્યાસ કર્યો, વારંવાર હાઉસ ઓફ કોમન્સની મુલાકાત લીધી.
તેઓ વિલિયમ ઇ. ગ્લેડસ્ટોનના ઉદારવાદથી ખૂબ પ્રભાવિત હતા, જેઓ 1892માં ચોથી વખત વડા પ્રધાન બન્યા હતા, જે વર્ષે જિન્ના લંડન આવ્યા હતા.
પારસી નેતા દાદાભાઈ નરોજી, એક અગ્રણી ભારતીય રાષ્ટ્રવાદી, બ્રિટિશ સંસદ માટે ચૂંટણી લડ્યા, ત્યારે જિન્નાહ અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓએ તેમના માટે રાત-દિવસ કામ કર્યું. તેમના પ્રયાસો સફળ થયાઃ નૌરોજી હાઉસ ઓફ કોમન્સમાં બેસનાર પ્રથમ ભારતીય બન્યા.
1896માં જ્યારે જિન્ના કરાચી પરત ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના પિતાના ધંધામાં નુકસાન થયું છે અને હવે તેમને પોતાની જાત પર આધાર રાખવો પડશે. તેણે મુંબઈમાં પોતાની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરવાનું નક્કી કર્યું, પરંતુ પોતાને વકીલ તરીકે સ્થાપિત કરવામાં તેમને ઘણા વર્ષો લાગ્યા.
10 વર્ષ પછી તેઓ સક્રિય રીતે રાજકારણ તરફ વળ્યા. તે ધાર્મિક કટ્ટરપંથી ન હતા. તે વ્યાપક અર્થમાં મુસ્લિમ હતા. તેને સંપ્રદાયો સાથે કોઈ લેવાદેવા ન હતી.
ઘર
પોરબંદરમાં ગાંધીજીનું ઘર આજે મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. તો ઝીણાના દાદા અને તેમના પિતાનું ઘર આજે ખેડૂત હિંદુ કુટુંબ રહે છે.
ઘર લગભગ 110 વર્ષ જૂનું છે અને તે મેડીબંધ મકાન છે. રસોડા સાથે બે રૂમ નીચે અને બીજા રસોડા સાથેના બે રૂમ ઉપરના માળે છે.
ઘરમાં કંઈ બદલાયું નથી. કેટલીક જગ્યાએ પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું છે. બાકીનું માળખું એનું એ જ છે.
મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું બે મજલી ઘર હજુ આજે પણ અડીખમ ઊભું છે.
એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા.
અત્યાર સુધીમાં ખાસ કઈ આ ઘરમાં બદલાયું નથી. બે રૂમ નીચેના ભાગે, બે રૂમ ઉપરના ભાગે અને બે રસોડાવાળું ટિપીકલ ગુજરાતી આ ઘર હજુ એવું ને એવું જ છે. જૂના ઘરોમાં જોવા મળતું આંગણું પણ અહીં છે જ.
ઝીણા ગુજરાતમાં પાછા બે વખત આવેલા, પણ મોટા પાનેલી આવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ નથી. તેઓ એક ઓક્ટોબર 1916માં, બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સમાં આવ્યા હતા અને 1921માં મહમ્મદઅલી જીનાહે અમદાવાદમા આયોજિત કાઁગ્રેસ અધિવેશનમાં ભાગ લીધેલો.
મકાન માલિક
ઝીણાના મકાનમાં રહેતાં હિંદુ પ્રવીણભાઈ પોપટભાઈ પોકિયા પટેલ છે. માતા નંદુબહેન સાથે રહે છે.
આ ઘર જોવા ઘણાં લોકો દરરોજ આવે છે. પત્રકાર, ક્યારેક જિલ્લા અધિકારી, ક્યારેક નેતા આવે છે. 2005માં વિદેશી મીડિયા પણ આ ઘરને જોવા માટે આવ્યું હતું.
ઘર વેચવું છે
પ્રવીણભાઈ પોકિયાના મોટા ભાઈ ચમનભાઈ પોકિયા છે. ઘર વેચવા માંગીએ છીએ. અમે નવું ઘર ખરીદીશું. તેમની ઇચ્છા હોય તો ભલે તે ઝીણાનું મ્યુઝિયમ બનાવે. ઝીણાનું ઘર હોવાથી નારાજ થાય છે. આ ઘર મહમદઅલી ઝીણાના પિતાનું હતું. ગામમાં કુટુંબની ઓળખ પણ આ વાતથી જ છે.
અડવાણી
ઝીણાની કબર પાકિસ્તાનમાં છે. ઝીણાને શ્રદ્ધાંજલિ આપી ત્યારે અડવાણીએ તેમને બિનસાંપ્રદાયિક અને હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. ઇતિહાસમાં અમીટ છાપ છોડી અને ઇતિહાસ રચ્યો છે. ત્યારથી તેમનો રાજકિય અંત આવી ગયો હતો. અડવાણીના આ નિવેદનને લઈને ભાજપમાં ભારે વિવાદ થયો હતો. ભાજપે અડવાણીના નિવેદનથી પોતાને અળગો રાખ્યો હતો. અડવાણીના નિવેદનથી ઊભો થયેલો વિવાદ મોટી પાનેલી ગામ સુધી પણ પહોંચ્યો હતો.
ભીમા જયાની
મોટી પાનેલી ગામના 70 વર્ષીય કિરણ ભીમાજ્યાની અસ્ખલિતપણે ઝીણાની ઓળખ સાથે જોડાયેલી માહિતી આપે છે. ગામ ભારતના ભાગલાને કારણે બદનામ પણ છે. ઝીણાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ લડેલો હતો. તેમણે પાકિસ્તાન બનાવ્યું, તેથી લોકો નારાજ છે.
કરાચીમાં બન્યા ઝીણા
જેણાભાઈ ધંધાર્થે કરાચી ગયા હતા. મહમદઅલી જેણાભાઈએ પાછળથી તેમના નામનું અંગ્રેજીકરણ કરીને ઝીણા કરી દીધું. ઝીણા લંડન ભણવા માટે નહીં પણ બિઝનેસ માટે ગયા હતા. બાદમાં તેમણે ત્યાં બૅરિસ્ટરનો અભ્યાસ શરૂ કરી દીધો.
કરાચીમાં જન્મ
ઝીણાના પિતા જેણાભાઈ ઠક્કર 1875માં કરાચી શહેરમાં ધંધાર્થે ગયા હતા. જેણાભાઈ કરાચીમાં સર ફ્રેડરિક લી ક્રૉફ્ટને મળ્યા હતા. તેઓ કરાચીની ટોચની મૅનેજમૅન્ટ એજન્સી ડગ્લાસ ગ્રાહમ ઍન્ડ કંપનીના જનરલ મૅનેજર હતા. ફ્રેડરિક સાથેનો સંપર્ક જેણાભાઈના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો. જેણાભાઈનો ધંધો ફૂલ્યોફાલ્યો અને ઘણો આર્થિક ફાયદો થયો.
એ સમયે ગુજરાતનાં અનેક વ્યાપારી પરિવારો મુંબઈ અને કરાચી બંદરે પહોંચેલા. એમના વ્યાપાર ધંધા માટે આ બે બંદરો ખૂબ મહત્ત્વના હતા. ઝીણાભાઇ એક સાથે ઘણી બધી વસ્તુઓના વેપારમાં માહિર હતા. કપાસ, ઊન, તેલીબિયાં, ચર્મ વ્યાપાર, વગેરે. ઝીણબાપાએ મોટા પાયે નાણાં ધીરધારનો ધંધો શરૂ કર્યો.
કરાચીમાં જ જેણાભાઈનાં પત્ની મીઠીબાઈએ 25 ઑક્ટોબર 1876ના રોજ એક પુત્રને જન્મ આપ્યો (જન્મ તારીખ હજુ અનિર્ણીત છે.) પૂંજાભાઈના ઘરના તમામ પુરુષ સભ્યોના નામ હિંદુ જેવા હતા. પરંતુ કરાચી એકદમ અલગ હતું.
જેણાભાઈએ તેમના પુત્રનું નામ મહમદઅલી જેણાભાઈ રાખ્યું.
ઝીણાભાઇ અને મીઠીબાઈનાં સાત સંતાનોમાં મામદ (મહમ્મદ) પ્રથમ સંતાન હતા. પાકિસ્તાનમાં ડિસેમ્બર 25(1876)ને રાષ્ટ્ર પિતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મહમ્મદે જ્યાં સૌ પ્રથમ એકડો ઘૂંટેલો એ કરાચીના એક મદરેસાના રેકોર્ડ મુજબ તો મહમ્મદઅલી ઝીણભાઇનો જન્મ દિવસ ઓક્ટોબર 20, 1875 લાગે છે. આ તારીખ સાચી હોવાની સંભાવના વિશેષ છે.
1893માં ઝીણાભાઈ બિઝનેસ એપ્રેન્ટીસશીપ માટે લંડન જવા તૈયાર થયા, એ સમયે જ મીઠીબાઇએ મહમ્મદને જન્મ આપ્યો. મહમ્મદનું લાડકું નામ મામદ હતું.
એમીબાઈને ઘરે મૂકીને મહમ્મદઅલીએ 16 વર્ષની વયે પોતાનો બાપદાદાનો ધિકતો ધંધો ત્યજીને કાયદાનો અભ્યાસ કરવા માટે લંડનની દિશા પકડી.
મહમ્મદના આ નિર્ણયથી પિતા ઝીણભાઇ ક્રોધિત અને નારાજ થયા. ઝીણાભાઇના ધંધામાં પણ ખોટ નોંધાવા લાગી, એટલે ઝીણાબાપા મોટી પાનેલીના આઝાદ ચોક, ટાવર શેરીમાં આવેલ એનું ઘર છોડીને 1904માં રત્નાગિરી ચાલ્યા ગયા.
ઝીણા 1940માં રાજકોટના મોટી પાનેલી આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ગણોદ ગામ
જેણાભાઈ અને મીઠીબાઈ તેમના પુત્ર મહમદઅલીને હસન પીરની દરગાહ પર ‘અકીકાહ’ વિધિ માટે લાવ્યા. આ દરગાહ પાનેલી ગામથી થોડાક કિલોમિટર દૂર ગણોદમાં આવેલી છે. અહીં મહમદઅલીનું મુંડન કરવામાં આવ્યું હતું. મીઠીબાઈ પોતાના પુત્રની સુરક્ષા માટે આ વિધિ કરાવી રહ્યાં હતાં.
શિક્ષક પાનેલીના
કુટુંબ કરાચી હતું ત્યાંથી મુંડન વીધી માટે પાનેલી આવ્યું હતું. મહમદઅલી ઝીણાનું પ્રાથમિક શિક્ષણ ઔપચારિક રીતે થયું ન હતું. મીઠીબાઈ અને જેણાભાઈએ મોટી પાનેલીમાંથી એક શિક્ષકને ગુજરાતી શીખવવા બોલાવ્યા હતા. નવ વર્ષની ઉંમરે તેમને પ્રાથમિક શાળામાં મોકલવામાં આવ્યા અને બાદમાં સિંધ-મદરેસા-તુલ-ઇસ્લામમાં મોકલવામાં આવ્યા. અહીં તેણે સાડાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. મદરેસા પછી, મહમદઅલીને કરાચીની ચર્ચ મિશન સ્કૂલમાં મોકલવામાં આવ્યા.
હિંદુ
મહમદઅલી ઝીણાના દાદા હિંદુ હતા. તેમના દાદા પૂંજાભાઈ ઠક્કર તેમના ત્રણ પુત્રો વાલજીભાઈ, નાથુભાઈ, જેણાભાઈ અને એક પુત્રી માનબાઈ સાથે પાનેલી ગામમાં રહેતા હતાં.
આ પરિવાર ખોજા મુસ્લિમ હતો. ખોજા અને વોહરા વેપારી પ્રજા છે. શાંતિપ્રિય વેપારી પ્રજા છે. તેઓ બીજી સંસ્કૃતિ અને ભાષાને ખૂબ જ ઝડપથી અપનાવે છે. પૂંજાભાઈ હૅન્ડલૂમનો વેપાર કરતાં હતા.
પૂંજાભાઈના સૌથી નાના પુત્ર જેણાભાઈએ પાનેલી છોડી દીધું હતું. પાનેલી નજીકના ગોંડલમાં રહેવા ગયા હતા.
ધર્મપતિવર્તન
તેઓ લોહાણા ઠક્કર જ્ઞાતિના હતા. પછીથી ઇસ્લામ કબૂલ કર્યો. પૂંજાભાઈએ માછલીનો ધંધો શરૂ કર્યો હતો. આથી લોહાણા-ઠક્કર જ્ઞાતિના લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર બાદ આ પરિવારે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો હતો. આ પરિવાર ખોજા મુસલમાન બની ગયો હતો.
ગામમાં છ ખોજા મુસ્લિમ પરિવારો વસે છે. ત્યારે આ ગામમાં લગભગ એકસો જેટલા ખોજા પરિવારો રહેતા હતા.
પૂંજાભાઈ ઠક્કરના પુત્ર જેણાભાઈ ઠક્કર હતા. જેણાભાઈના પુત્ર થયા મૈમદ એટલે કે મહમદઅલી ઝીણા. આ પરિવાર હિન્દુ હતો. પૂંજાભાઈ માછલીનો વેપાર કરતા હતા. લોહાણા જ્ઞાતિ રૂઢિચુસ્ત હતી. આવી સ્થિતિમાં માછલીના વેપારને લઈને ઘણો વિરોધ થયો હતો. આ વિરોધ બાદ પુંજાભાઈએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો.
બાદમાં પુંજાભાઈ હિંદુ બનવા માંગતા હતા. પણ હિંદુ લોકોએ તેમને સ્વીકાર્યા નહીં.
સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.
ઝીણા પરિવારના મૂળ
લોહાણા સમાજ બહારથી આવેલો સમાજ છે.
ઝીણાનો જન્મ શિયા મુસ્લિમ ખોજા પરિવારમાં થયો હતો. આ ઈસ્માઈલીઓ આગા ખાનના અનુયાયીઓ છે. દસમી અને 16મી સદીની વચ્ચે, હજારો ખોજા પરિવારોએ ઈરાનમાં અત્યાચારથી ત્રસ્ત થઈને પશ્ચિમ ભારત સહિતના વિસ્તારોમાં ભાગી જવું પડ્યું હતું. ઝીણાના વડવાઓ ક્યારે ભાગીને આવ્યા તેની ચોક્કસ તારીખ મળતી નથી. પરંતુ ખોજા ખુદ ઇસ્લામમાં પણ લઘુમતી છે અને ભારતમાં ઇસ્લામમાં માનનારાઓ પણ લઘુમતી છે.
ઝીણાના દાદા અને પિતાના જે પ્રકારનાં નામ હતાં તેના પરથી એવું લાગે છે કે આ પરિવાર હિન્દુમાંથી મુસ્લિમ બન્યો હતો.
ઝીણાના પૂર્વજોના મૂળ ઈરાન સાથે જોડે છે. ઝીણાનાં દાદા, પિતા, માતા અને ભાઈ-બહેનનાં નામ હિન્દુઓ જેવાં હતાં. જોકે બિન-ભારતીય મૂળની ઓળખ ઘટાડવા મુસ્લિમ સમાજમાં આવું કરવામાં આવે છે. ઝીણાના પૂર્વજો પંજાબમાં સાહિવાલ રાજપૂત હતા અને તેમણે કાઠિયાવાડમાં એક ઈસ્માઈલી ખોજા મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.
પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો પર્શિયા (આજના ઈરાન)માંથી ક્યારે કનડગતના પ્રતાપે ભારત ભણી સ્થળાંતરિત થયાની વાત અજાણતાં દર્શાવી હતી.
નિયમિત રીતે હવેલીએ જનારા ઝીણાના દાદા પૂંજાભાઈ ઠક્કરે ઈસ્લામ કબૂલવાની ફરજ પડી હતી. દ્વિધાપૂર્ણ સંજોગો હતા. પાકિસ્તાનના રાષ્ટ્રપિતા લેખાયા. હિંદુ લોહાણાનું ગોત્ર તો પર્શિયામાં મળે છે. પર્શિયામાં ધાર્મિક કનડગતને પરિણામે જ હિંદુ લોહાણા અને ઈસ્લામ કબૂલ કરનારા મેમણ અને ખોજા પરિવારોએ ભારત ભણી ઉચાળા ભરવા પડ્યા હતા.
ભાગલાવાજી ઝીણા
પાકિસ્તાનની આઝાદીના સાત દિવસ પહેલાં મહમદઅલી ઝીણા તેમનાં બહેન ફાતિમા સાથે કેડી સી-3 ડાકોટા વિમાનમાં દિલ્હીથી કરાચી જતાં રહ્યાં હતા. વિમાન કેટલાંક પગથિયાં ચડ્યાં બાદ ઝીણા એટલા થાકી ગયા હતા કે તેઓ હાંફતા તેમની સીટ પર પડી ગયા હતા. વિમાન નીચે ઊતર્યું ત્યારે ઝીણા એટલા થાકી ગયા હતા કે પોતાની સીટ પરથી મહામુશ્કેલીએ ઊભા થઈ શક્યા હતા. એડીસીએ તેમને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝીણાએ તેમની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.
કરાચી માટે રવાના થતા પહેલાં તેમણે દિલ્હીના 10, ઔરંગઝેબ રોડ ખાતેનું પોતાનું ઘર હિન્દુ ઉદ્યોગપતિ સેઠ રામકૃષ્ણ દાલમિયાને ત્રણ લાખ રૂપિયામાં વેચી નાખ્યું હતું.
જે જગ્યાએ વર્ષોથી મુસ્લિમ લીગનો લીલા તથા સફેદ રંગનો ઝંડો ફરકતો હતો.
મહમદઅલી ઝીણાએ 17 ઑગસ્ટ 1947ના રોજ પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે શપથ લીધા હતા.
વિમાન કરાચી પર પહોંચ્યું ત્યારે ઝીણાના એડીસી સૈયદ અહસન સાથે હતા.
ભારતથી આવેલા શરણાર્થીઓને કારણે કરાચીની વસ્તી થોડાક મહિનાઓમાં જ બમણી થઈ ગઈ હતી.
ઍરપૉર્ટથી સરકારી આવાસ તરફ જતા માર્ગની બન્ને બાજુએ હજારો લોકોએ ઝીણાના સ્વાગતમાં નારા પોકાર્યા હતા. તે સરકારી મકાનમાં અગાઉ સિંધના ગવર્નર રહેતા હતા અને હવે તે ઝીણાનો છેલ્લો બંગલો બનવાનું હતું.
પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા પછી ઝીણાએ ભાષણ આપ્યું હતું
પાકિસ્તાનની સંવિધાન સભાની પહેલી બેઠક 11 ઑગસ્ટે યોજાઈ હતી અને તેમાં સર્વસંમતિથી ઝીણાને અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
હિંદુ અને મુસ્લિકમને એક રહેવા આપેલું ભાષણ પાકિસ્તાનમાં પસંદ ન આવ્યું. ઝીણાનું આ ભાષણ સાંભળીને મુસ્લિમ લીગનાં વર્તુળોમાં સન્નાટો છવાઈ ગયો હતો. જે ઇતિહાસના પાના પરથી હઠાવી દેવામાં આવ્યું હતું. એ ભાષણનાં વખાણ કરવાની મોટી કિંમત ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ચૂકવવી પડી હતી.
ઝીણાનાં પુત્રી દીના વાડિયા એ સમયે ન્યૂયૉર્કમાં રહેતાં હતાં.
1947ની 13 ઑગસ્ટે માઉન્ટબેટન ઝીણાને ગવર્નર જનરલ પદના સોગંદ અપાવવા માટે કરાચી પહોંચ્યા ત્યારે ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કરવા ઝીણા હાજર ન હતા. તેમણે એ જવાબદારી સિંધના ગવર્નર સર ગુલામ હુસૈન હિદાયત ઉલ્લાહ અને પોતાના એડીસી સૈયદ અહસનને સોંપી હતી.
ઝીણાએ દિલ્હીથી આવેલા મહેમાનોની રાહ પોતાના સરકારી આવાસના પ્રવેશદ્વાર પાસેના હૉલમાં જોઈ હતી. રાતે ઝીણાએ માઉન્ટબેટન દંપતીના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
એ ભોજન સમારંભમાં ઝીણા અજીબ રીતે અલિપ્ત રહ્યા હતા. ભોજન સમારંભ દરમિયાન માઉન્ટબેટન ફાતિમા ઝીણા અને બેગમ લિયાકત અલીની વચ્ચે બેઠા હતા.
સોગંદવિધિ સમારંભમાં ઝીણાનો આગ્રહ હતો તે તેમની ખુરશી માઉન્ટબેટનની ખુરશી કરતાં ઊંચી હોવી જોઈએ, કારણ કે તેઓ પાકિસ્તાનના ગવર્નર જનરલ અને પાકિસ્તાનની સંવિધાન સભાના અધ્યક્ષ છે.
ઝીણા ગવર્નર જનરલનું પદ ત્યારે જ સંભાળી શકશે, જ્યારે માઉન્ટબેટન તેમને એ પદના સોગંદ લેવડાવશે. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી તમામ સત્તા તેમને હસ્તાંતરિત નહીં થાય. ઝીણાનું કોઈ સત્તાવાર પદ નથી. ઝીણાએ બહુ મુશ્કેલીથી અંગ્રેજોની આ દલીલ સ્વીકારી હતી.
સીઆઈડી તરફથી સમાચાર આવ્યા હતા કે શપથગ્રહણ સમારંભમાં જતી કે આવતી વખતે લોકો ઝીણા પર બૉમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કરશે. ઝીણાને સંવિધાન સભાના હૉલ સુધી એક એવા રસ્તે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કડક પહેરો હતો. માઉન્ટબેટન માનતા હતા કે ઝીણાની હત્યાનો પ્રયાસ, તેઓ ખુલ્લી કારમાં તેમના સરકારી આવાસ પર પાછા ફરતા હશે એ સમયે જ કરવામાં આવશે.
શપથગ્રહણ સમારંભમાં નૌકાદળના સફેદ યુનિફૉર્મમાં સજ્જ માઉન્ટબેટનની બાજુમાં ઝીણા બેઠા હતા. માઉન્ટબેટને પોતાના ભાષણમાં બ્રિટનના રાજા તરફથી નવા રાષ્ટ્રને અભિનંદન આપ્યાં હતાં.
તેમણે માઉન્ટબેટનના ગોઠણ થપથપાવતાં કહ્યું, ભગવાનનો આભાર કે હું તમને જીવતા લાવ્યો.
ઝીણા તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી એવું માનતા રહ્યા હતા કે તેમના વિના પાકિસ્તાનનું નિર્માણ થઈ શક્યું ન હોત.
પાકિસ્તાનને ભારત પાસેથી મળવાપાત્ર પ્રવાહી મિલકતો, જેની કિંમત 75 કરોડ રૂપિયા હતી, તેના સ્થાને આ નવા બનેલા દેશને માત્ર 20 કરોડ જ મળ્યા હતા. ત્યારે તે સમયના ટોચના ઉદ્યોગપતિ સર આદમજી હાજી દાઉદે ઝીણાને પાકિસ્તાનની આર્થિક મદદ માટે કોરો ચેક આપ્યો.
ભારત અને પાકિસ્તાન બંને દેશોના નિર્માણ અને પુનર્નિર્માણ અને બંનેને સ્થિરતા બક્ષવામાં ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોનું. આદમજીનો જન્મ 30 જૂન, 1880ના રોજ ઝીણાના વતનની નજીકના જેતપુરમાં જન્મ થયો હતો. 1901માં શરૂ કરેલી તેમની આ પેઢી ચોખા અને માચીસની નિકાસ કરતી સૌથી મોટી પેઢી બની ગઈ. બર્માના શણ અને શણની વસ્તુઓના સૌથી મોટા આયાતકાર બની ગયા.
વિભાજન દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી અને આશરે 1.5 કરોડ લોકોએ સ્થળાંતર કર્યું હતું. આ હિંસામાં 10 લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. વિભાજન સમયે ભારતની વસતીમાં આશરે 25 ટકા મુસ્લિમો હતા.
લોહાણાનો ઇતિહાસ
વાયુપુરાણથી આધુનિકકાળ સુધી લોહાણાના ઈતિહાસ ઘણાય છે. સૂર્યવંશી લોહાણા વંશ કહે છે.
રાજસ્થાનનો ઇતિહાસ લખનાર કર્નલ તોડે શોધી કાઢ્યું હતું કે, લવનો પુત્ર મહારથી, મહારથી પછી અતિરથી, અચલાસેન અને તેની 9 મી પેઢીએ ક્નકસેન નામનો રાજવી થયો. આ ક્નકસેન લાહોરમાંથી નીકળીને ઈ.સ. 145 માં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પમાં જઈને વસ્યો.
ચીની પ્રવાસી ફાહિયાન ઈ.સ. 399થી 414 સુધી ભારતમાં રહ્યો હતો. તેણે લખ્યું છે કે – સિંધુ નદી તથા સુલેમાન પર્વત નામથી ઓળખાતા મધ્ય ભાગમાં એટલેકે તક દેશમાં લોહાણા નામક જાતિ હતી.
તૂટ- ફતહ – ઉલ્કીરામનામના સિંધના પ્રાચીન ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે સિંધમાં ત્રણ મુખ્ય જાતિઓ હતી – બનિયા, તક અને મુમિયા. આ ગ્રંથ જે મુસ્લિમ કાળમાં લખાયો ત્યારે સિંધમાં લોહાણા – બનિયા તરીકે ઓળખાતા હતા. આ મુમિયા પણ તેમનો એક ભાગ હોઈ, પાછળથી ધર્માંતર કરતા તેઓ મેમણો તરીકે ઓળખાયા. કાબુલના કપિશ પ્રાંતમાં પણ લોહર નામનું નગર હતું. ઇતિહાસકારક બર્ટન બલુચિસ્તાન , અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના પૂર્વ ભાગમાં લોહરાણા હોવાનું કહે છે.
બોમ્બે ગેજેટીયરમાં લોહાણા ઓનો અફઘાનિસ્તાનના લમ્પક સાથેનો ઉલ્લેખ છે. એ લામલોહર ગઢ અગિયાર સૈકા સુધી આર્યવાતનો દરવાજો ગણાતો હતો.
ઈ.સ. 790 ની સાલમાં લોહરાણાઓએ મુસ્લિમો સાથે લડાઈમાં કપિશા ગુમાવ્યું. પછી કપિશાને કાબુલ નામઆપ્યું. અગિયારમી સદી સુધી લોહરાણાઓ અને મુસ્લિમો વચ્ચે યુદ્ધ ખોલતાં રહ્યાં.
ઇસ 1001 માં મહંમદ ગઝનીના બાપ સબકત – ગીને લોહર -કોટ પર ચઢાઈ કરી ત્યારે લોહરાણાઓએ મારી હટાવલા.
ઈ.સ. 1303 માં લોહરકોટના રાણા હરપાલના ભાણેજ વચ્છરાજે સલારશાહ મસૂદ નામના મુસ્લિમબાદશાહને મારી હરાવેલો. રાજા વચ્છરાજને વાછડાડાડા નામ થયું.
ઈ.સ. 1044માં કુમાર જશરાજનો સોળ વર્ષની વયે લાહોરકોટના રઘુરાણા તરીકે રાજ્યાભિષેક થયો.
જશરાજને ખત્મકરવા જલાલે દસ લાખ અશરફીનું ઇનામજાહેર કરેલું. વીર જશરાજે તેમના શોર્યને કારણે શાહીવાઘ તરીકે ઓળખાયા અને મ્લેચ્છ પ્રજા તેમનું નામસાંભળતા ભયભીત બનતી. કપિશા (કાબુલ) પર વિજય મેળવ્યો હતો.
ભગવો ધ્વજ ફરકાવી વિજય પતાંકા ફેલાવી હતી.
ઈ.સ. 1058 માં હિન્દુ પોશાકમાં મલેચ્છ સૈનિકોએ તેમને વધાવવાના બ્હાને ધડ ઉપરથી માથું ઉતારી લીધું. સેનાનીઓએ દગાખોર મલેચ્છોને તુરત જ મારી હટાવી દીધા.
લોહર પ્રદેશ ગુમાવ્યા પછી લોહાર પ્રદેશ ફરી આબાદ ન થયો. કેટલાક પોતાનો ધર્મ બચાવવા સ્થળાંતર કરી ગયા. લોહાર પ્રદેશમાથી ભાગેલા લોહારાણાઓ સિન્ઘ,કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવ્યા હતા.
1451માં અમુક લોહરાણાઓએ મુસ્લિમધર્મને અપનાવ્યો. આજે મોમીન અને ખોજાઓમાં લોહરાણાઓની રાજા, લાખાણી, ઠક્કર જેવી અટકો છે.
લોહર પ્રદેશના મીરાં વિસ્તારના મેરાલોહર બરડા ડુંગરમાં આવીને વસ્યા. તેમણે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો. પાછળ થી તેમની કોમમેર કોમ તરીકે ઓળખાવા લાગી. મેર ,મેમણ , ઓઝા ઉપરાંત ખત્રી ,સોઢા , રાજપૂત અનેક ફાંટા પડ્યા.
1439માં લોહરાણાકાલીચરણ ચંદરાણાના ઘરે બાળક નો જન્મ થયો હતો. એને ગુરુ નાનક તરીકે દુનિયામાં નામ કાઢ્યું. સિન્ધિઓ અને લોહરાણામાંના પૂર્વજો એકજ હતા.
અફઘાનિસ્તાનથી સિંધમાં આવીને વસ્યા. સિંધી ભાષા લોહાણા લીપી અને ભાટિયા લીપીમાં લખાય છે.
સિકંદર જયારે ભારતમાં આવ્યો ત્યારે સિંધ અને પંજાબમાં લોહારણા હતા. પછી સરહદ પ્રદેશના ઘણા લોહાણાઓ પોતાનું સરહદી વતન છોડીને સિંધમાંથી મુલતાન આવ્યા હતા. ત્યાંથી રોહરી, નગરઠઠ્ઠા, પારકને માર્ગે વળી કચ્છ, રાધનપુર ને વઢિયાર પ્રદેશમાં આવ્યા હતા. ઘણા ત્યાંથી સૌરાષ્ટ્ર જઈને વસ્યા હતા.
અગિયારમી સદીમાં જૂનાગઢમાં રા’ નવઘણે સિંધ ઉપર ચડાઈ કરી ત્યારે તેની સાથે ઘણા લોહાણા અને ભાટીયાઓ જુનાગઢ આવ્યા હતા. જુનાગઢથી પોરબંદર અને બરડા પ્રદેશમાં ધંધો કરવા લાગ્યા હતા. ઘણાં દિવાન બન્યા. વેપારી બનીને દરિયો ખેડ્યો. વિશ્વભરમાં પથરાયા
રઘુવંશી લોહાણા સમાજ અયોધ્યા રાજા રામના પુત્ર ‘લવ’ ઉપરથી જુદો પડેલો એક વંશ મનાય છે.
આમ મૂળ અફઘાનથી આવેલાં લોહાણા જુનાગઢથી મોટી પાનેલી આવ્યા હોવાની શક્યતા દેખાય છે.
દ્વારકાના જામ ખંભાળિયાના કાનજી ઓધવજી હિંડોચા થકી 6 વર્ષ સુધી બળદના એકામાં ગામડે-ગામડે ફરી લોહાણા મહાપરિષદ 1910માં બનાવી.
આ સમાજે અફઘાનિસ્તાન-પશ્ચિમ ભારતમાં અનેક રાજવીઓ અને કચ્છ-સૌરાષ્ટ્રનાં અનેક રજવાડાંના દીવાનો પણ આપ્યા છે.
ઈ.સ.1300 સુધી ક્ષત્રિય રહ્યા પછી વૈશ્ય થયા અને વેપાર કરતાં થયા હતા.
ઈ.સ. 1300 સુધી રાજવી અને ક્ષત્રિય રહ્યા ત્યાં લગી એ લોહરાણા ગણાયા. પછી એક હજાર વર્ષથી વૈશ્ય થયા એટલે લોહરાણાને બદલે લોહાણા થયા હતા. ઈ.સ. 1315માં શાસન સાંભળ્યું એટલે કાશ્મીરમાં લોહાણા કે લોહાર વંશનો અસ્ત થતાં ઈસ્લામી શાસન સ્થપાયું હતું.
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં લોહાણા વેપાર-ધંધો કરતા ન હોય. વીરપુરના જલારામ બાપાએ તમામ લોહાણાઓને એકસૂત્રે બાંધવાનું કામ કર્યું છે.
દુનિયાભરમાં 25 લાખ જેટલી લોહાણા વસ્તી હોવાનો અંદાજ છે.
દ્વારકાના હેમરાજ બેટાઈ સોળ વર્ષની વયે 1924માં બર્માના આક્યાબમાં સ્થાયી હતા. 1942માં નેતાજી સુભાષચંદ્ર બોઝના સંપર્કમાં આવ્યા. નેતાજીના એલાન પર એમણે પોતાનું 18 લાખ 80 હજારનું ઝવેરાત એ દિવસોમાં દેશને માટે આપી દીધું હતું. આઝાદ હિંદ સરકારમાં જોડાયા પછી આઝાદ હિંદ બેન્કની સ્થાપનામાં એ સાથે રહ્યા હતા. દેશ સ્વતંત્ર થયા પછી રાષ્ટ્ર તરફથી એમને સુવર્ણચંદ્રક પ્રદાન થયો હતો.
યુગાન્ડાનાં બે વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપ્રતિષ્ઠાનો – માધવાણી અને મહેતા – લોહાણા છે. 1972માં દુઃશાસક ઈદી અમીને જે ખાનાખરાબી શરૂ કરી એમાં બંને ઘરાનાને દેશ છોડવો પડ્યો. માધવાણી ઉદ્યોગનું કેન્દ્ર લંડન બન્યું, પણ હવે માર્ચ 1980માં યુગાન્ડાની નવી સરકારે ફરીથી આ બંને પ્રમુખ પ્રતિષ્ઠાનોને એમનાં કારખાનાં, વ્યવસાયો, ઉદ્યોગો શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
લોહાણા સંસ્થાઓ ગામેગામ છે, મુંબઈ અને ઉપનગરોમાં લોહાણા સખાવતોના ફળસ્વરૂપ ઊભી થયેલી સંસ્થાઓ અજાણ નથી, પણ કિસુમુમાં લોહાણા કન્યા છાત્રાલય છે! દારેસલામમાં હિન્દુ નર્સરી સ્કૂલ છે અને દૂર ઓરિસ્સાના બ્લાગીટમાં લોહાણાઓનું ગાંધી અધ્યયન મંદિર પણ ચાલે છે. કોચીનમાં મોંઘીબાઈ ધર્મશાળા હોય તો મથુરામાં ગંગાબાઈ ધર્મશાળા છે. એકલા કરાંચીમાં 11 લોહાણા સંસ્થાઓ ચાલે છે અને નાસિક-ત્ર્યંબકમાં 16 લોહાણા ધર્મશાળાઓ છે.