ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021
ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો કામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો તેને વખાણ કરી છે. જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયો છોડના બી કોફી તરીકે વારવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી એવી છે કે જે નુકસાન કરવાના બદલે અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેનો વપરાશ થવા લાગ્યો છે. અસલી કોફી જેની કોફી લાગે છે.
સાવ મફતમાં કોફી બની શકે છે. જે રીતે ખેડા જિલ્લામાં થતી ચિકોરી કોફીમાં નંખ્યા છે. તે રીતે કૂંવાડિયો પણ છે.
કૂંવાડિયોનાં બીની કોફી બનાવીને પીવાથી ખસ, ખંજવાળ, ખુજલી મટે છે. કફ, શરદી, ખાંસી, દમ, શ્વાસ, કે ઉધરસ મટે છે. ખરાબ લોહી સારું કરી શકે છે.
ગુજરાતમાં કોફી હાઉસ બહુ ઓછા છે, પણ કેટલાંક ખેડૂતો હવે કૂંવાડિયાના બીના પડીકા તૈયાર કરીને હેલ્ધી કોફી તરીકે વેંચે છે.
ખેતરમાં નુકસાન કરે
વિશ્વમાં 30 હજાર નીંદામણ છોડ છે. જેમાં 18 હજાર જાતના છોડ ખેત પેદાશોમાં નુકસાન કરીને ઉપદ્રવી છે. જે પાકને નુકસાન કરે છે. આવો જ છોડ કૂંવાડિયો છે. ભારતમાં નીંદામણથી રૂપિયા 2 હજાર કરોડનું અને ગુજરાતમાં 100 કરોડ રૂપિયાનું નુકસાન નીંદામણથી થાય છે. 30 ટકા ઉત્પાદન નીંદણથી ઘટે છે તેમાં કૂંવાડિયો એક છે. જે નુકસાન રોગ અને જીવાતના રોગચાળા કરતાં પણ વધું છે. તેથી ખેડૂતો કુંવાડિના છોડને ખેતરમાથી ઉખેડીને ફેંકી દે છે. ખેતરમાં ચોમાસામાં ઊગતો જંગલી છોડ છે.
ગમે ત્યાં થાય છે
ખરાબાની જમીન, ખાલી જમીન, ગૌચર, ખારી જમીન પર થઈ શકે છે. તેની ખેતી કરીને જાતે તેનું મૂલ્ય વર્ધક વસ્તુઓ ખેડૂતો બનાવી શકે છે. તેની ખેતી માટે કોઈ ખાસ ધ્યાન રાખવું પડતું નથી. તે પશુ ખાતા ન હોવાથી તેનો વિસ્તાર વધી રહ્યો છે. ગરીબ ખેડૂતો માટે તે સારી આવકનું સાધન બની શકે છે. જેનું યોગ્ય બજાર મળે તો વિશ્વમાં બજાર છે. તેના પર પ્રોસેસ કરીને ચામડી અને બીજા રોગો માટે ખેડૂતો પોતે જ માલ પેદા કરીને બજારમાં આપી શકે છે. તેના તાલુકામાં કે જિલ્લામાં બજાર ઊભું કરી શકે છે.
દવા બનાવતાં કે રોગમાં વાપરતાં પહેલાં વૈદ્ય પાસે સલાહ લેવી જરૂરી છે.
ખેતરમાં
ઘાસ કોઈ ૫શું ખાતા નથી તેથી, ગુજરાતના ગીર સહિત જંગલોમાં પહેલા થતો ન હતો હવે તે ચારેબાજુ બેફામ ફેલાઈ ગયો છે. કાઢી નાંખવાનું નિંદણ હવે એક ઔષધ તરીકે વપરાશ વધારે છે. 5 ફૂટ સુધી ઊંચો થોડી કડવી ગંધ, 3ની જોડીમાં મેથી જેવા પાન અને પીળા રંગના ફૂલ થાય છે. તેની અણીદાર 6 ઇંચ લાંબી સીંગમાં મેથીના જેવા 20થી 30 દાણા આવે છે. પાન, છાલ, મૂળ અને બીજ દવામાં વપરાય છે. મગફળીના છોડના પાન જેવા હોય છે. ચોળી જેવી સીંગ થાય છે.
ભોજનમાં ઉપયોગ
કુવાડિયાની ભાજીનું શાક ખાવાથી કફ રોગો નાશ પામે છે. આખા શરીરે સોજા આવી ગયા હોય તો પાનનો ઉકાળો અને ભાગીનું શાક શ્રેષ્ઠ છે. કૃમિ, શ્વાસ, કફમાં કૂંવાડિયાના પાનની ભાજીનું શાક ફાયદો કરે છે. બાળકોને દાંતનો દુઃખાવામાં પાનને ઉકાળી તેમાં મધ કે ગોળ સાથે આપવાથી ફાયદો થાય છે.
ચામડીના તમામ રોગોમાં કુવાડીયો શરીરની અંદર અને બહાર જબ્બર ઉપયોગી છે. દૂધ કે ખાંડ વગરની કોફી શ્રેષ્ઠ છે. ભાજીમાં હળદર,ધાણા જીરું, કોથમરી, મરી, લસણ, હિંગ, રાઈ નાંખી શકાય છે.
કફ શ્વાસ
બીનો ઉપયોગ કાસ એટલે કે કફ, દમ, શ્વાસ, ખાંસી કે ઉધરસ માટે અકસીર છે.
ખેતરના શેઢે, પાડ પર, પડતર જમીન, માર્ગો અને રેલવેના કાંઠે ઊગી નિકળે છે.
ચામડીના રોગ
ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે. ચામડીના રોગો માટે દવાનો છોડ છે. ચરકસંહિતામાં કુષ્ઠ – ચામડીના રોગોમાં ઉપલેટ, ગરમાળાના મૂળ, કરંજ તથા કૂંવાડિયાના બી દહીં સાથે લેપ કરવાથી ફાયદો કરે છે. કાંજી, વાવડીંગ, સૈંધવ, સરસવ સાથે શ્રેષ્ઠ કહે છે. ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસમાં ફાયદો કરે છે. લોહી વિકારમાં બી શેકીને તેનો ચૂર્ણ લેવાથી ફાયદો છે.
ચૂર્ણનો કોફી વાપરીને ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગમડ મટાડી શકાય છે. પાણીમાં મૂળને વાટી લેપ કરવાથી 10 દિવસમાં કંઠમાળ જાય છે.
સોરાયસીસ ગંભીર રોગ
T-Cells શક્રીય થાઈને કંપન પેદા કરે એટલે સોરાસીસ થાય છે. કોષ વધવા લાગે છે. ખંજવાળ થતી નથી. સૂકા દર્દમાં પ્રવાહી નિકળે છે. દર્દ ચેપી નથી. જેને સોરયટિક આથ્રૉઇટિસ કહે છે. ગંભીર દર્દ છે. મટી જતું નથી. કૂંવાડિયાના છોડમાંથી બનતી ઔષધિઓ સોરાયસીસ જેવી ચામડીની જટિલ સમસ્યામાં સારાં પરિણામ આપે છે. Aloe-emadin , Chrysophanol નામનાં રસાયણ ખંજવાળ અને સોરાયસીસના ચકામા પર ઝડપથી અસર કરે છે. હતી એવી ચામડી કરી દે છે. ડાઘ પણ રહેવા દેતાં નથી. લીલા છોડનો રસ વધારે અસરકારક છે. બીનો પાઉડર બનાવી એલોવેરા જ્યૂસ, જેલી સાથે પેસ્ટ બનાવીને ચકામા પર લગાવવી. તેની સાથે આરોગ્યવર્ધિની વટી, જેઠીમધ ઘનવટી, ભૃંગરાજ ઘનવટી, હરડે-દ્રાક્ષ અને અરડૂસી, કામધારરસ ઉપયોગમાં લેવામાં આવે છે.
શરીરની ગરમી, લોહી શુદ્ધી માટે
ગરમીમાં મૂળનું 2 થી 5 ગ્રામ ચૂર્ણ ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી ગરમી, પિત્તનો તાવ, હાથ કે પગનાં તળિયાંની ગરમી, શરીરની ગરમી કાઢે છે. આંખોની બળતરા મટે છે. શરીરમાં ગરમી સાથે લોહી રહેતું નથી તે માટે મૂળનું ચૂર્ણ સવારે ઘી સાથે કલવીને ચાટવું, લોહી શુદ્ધ થઈ શક્તિ વધે છે.
પેટ
તીખો, કડવો લાગે છે પણ તેનાથી ભૂખ લાગે, અરુચિ, પાચન સારું કરે, અજીર્ણ, વાયુ, કૃમિને હરી લે છે.
ખેતર માટે તે કુદરતી નાઈટ્રોજનની ફેક્ટરી છે. કુંડાડિયો – કેસીયા ટોરા ખેતરમાં વાવવા માટે કૃષિ વિજ્ઞાનીઓ ભલામણ કરે છે.
રોગો
બળ દેનાર, મેદસ્વિતા, લકવા, અડદિયો, વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, હ્રદયરોગ મટાડે છે.
ચરબી ઘટાડે
મૂળનો ઉકાળો કરી પીવાથી ચરબી ઘટે છે.
પેશાબ
પેશાબમાં ક્ષાર જતો હોય તો કૂંવાડિયાનાં પીળાં ફૂલ 10 ગ્રામ અને સાકર 10 ગ્રામ બે વખત આપવું પેશાબનો રંગ અસલી બનશે. ડહોળો પેશાબ દૂર કરે છે.
દાદર – ખરજવું
ભેજ કે ચોમાસામાં થાય છે. સૂરજના કિરણો ન મળતા થાય છે. ગોળ લાલ કે કાળા ચકામાં થઈને ફેલાઈ જાય છે. ચોમાસાનું નવું પાણી પીવાથી ફેલાઈ શકે છે.
ખરજવા ઉપર : ફૂવાડિયાનાં મૂળ ઘસી ચેપડવાં. દાદર ઉપર : -કૂવાડિયાના પાલાનો રસ લીમડાના રસમાં મિશ્ર કરી ચોપડવો. વનસ્પતિશાસ્ત્રી મહર્ષિ ભાવમિશ્રએ કૂંવાડિયાનાં પર્ણોને ‘દદ્રુધ્ન‘ કૂંવાડિયાનાં બીજ પણ દાદરનું અક્સીર ઔષધ કહ્યું છે. દાદરમાં મૂળ, પાન, ડાળ, બી સાથે છોડ ઉકાળીને સ્નાન કરવું.
દાદર-ખરજવામાં કૂંવાડિયાના બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર, ફૂલાવેલ ટંકણખારના ચૂર્ણ સાથે લીંબોળી કે સરસીયુ તેલ મેળવી મલમ લગાવવાથી મટે. ખરજવા પર કૂંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.
ખસ-ખરજવું, દાદર, ચળ પર 10 ગ્રામ બી, 10 ગ્રામ કપીલા, 20 ગ્રામ ગંધકનું ચૂર્ણ સાથે લીંબુના રસનો પુટ આપી મલમ બનાવીને લગાવવી શકાય છે.
બી શેકી 1 ચમચી ચૂર્ણને લીંબુના રસમાં ઘુંટી 3 વખત પાણી સાથે દાદર પર ઘસીને લગાવવાથી દાદર આખરે મટે છે. છાશ સાથે ચોપડવાથી 12 દિવસમાં દાદર મટે છે.
ખરજવા માટે કૂવાડિયાનાં બિયાં 6 ભાગ , બાવા 4 ભાગ અને ગાજરનાં બી 2 ભાગ , એનું ચૂર્ણ માટલામાં ઘાલી ગોમૂત્રમાં 8 દિવસ પલાળી રાખીને પછી ચોપડવું . એ ઔષધ સુકાવા ન દીધું હોય તે વર્ષભર ઉપયોગમાં આવે છે .
દાદરનો મલમ
આખો છોડ દાદરમાં ઉપયોગી છે. કુવાડિયાના બીમાંથી ક્રાઇઓસોફેનીક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં વિશ્વ આખામાં ઉપયોગ થાય છે.
પેટની ગાંઠ
બી ચાવીને ખાવાથી દમ, રેટનો દુખાવો, અપચો, પેટની ગાંઠ મટે છે. દમમાં લાંબા સમય સુધી કૂંવાડિયોનાં બી ખાવાં જોઈએ. પાનને ગરમ કરી લુગદીને શરીરની ગાંઠ પર લડાવવાથી ફૂટે છે.
આર્યભિષકમાં શું કહ્યું છે
જંગલી શાકમાં કૂવાડિયો એ જગપ્રસિદ્ધ છે. વરસાદ પડયાને 15 દિવસ થતાં જ કૂવાડિયો શાક કરવાના કામમાં આવે છે. ગરીબ લોક ફુવાડિયાની ભાજી ઉપર જ કેટલાક દિવસ કાઢે છે.
વાયુ , પિત્ત , દાદર , કફ , કોઢ , કૃમિ , દમ , મસ્તકશૂળ , વ્રણ , મેદોરોગ , પ્રમેહ , ત્રિદોષ , અરુચિ , તાવ , મળમૂત્ર – સ્તંભ , મેહ તથા ઉધરસનો નાશ કરે છે.
એનાં બીજ – ગ્રાહક , ઉષ્ણ , તીખાં અને કફ , કોઢ , દમ , ઉધરસ , કંડુ , વિષ , દાદર , સજે , ગુલ્મ અને વાતરકતનો નાશ કરે છે .
એના પાલાની ભાજી – લઘુ , પિત્તકર , ખાટી તેમ જ ઉષ્ણ છે ; અને કફ , વાયુ , દરાજ , કોઢ , પ્રમેહ , કંડુ , ઉધરસ તથા દમને નાશ કરે છે .
કાળપુળી ( પાઠા ) ઉપર : ધોળા કુવાડિયાનો પાલો 7 દિવસ ચોપડવો.
સોમરોગ એટલે જલ પ્રદર ઉપર : -કૂવાડિયાનાં મૂળ ચોખાના ધોવરામણમાં વાટી પ્રાશન કરવાં .
આધાશીશી ઉપર :
કૂવાડિયાનાં બી વાટી લેપ કરવો .
વસાહ ઉપર : -કૂવાડિયાનાં મૂળનો કાઢો પાવો .
બદ-ગાંઠમાટે : કૂવાડિયાનો પાવો બારીક વાટી તેની ગોળી કરી બદ ઉપર બેસાડવી . એ પ્રમાણે એકેક પહેરે તાજી ગાળી બેસાડવી ; એટલે બદ ફૂટે છે .
વાછરડાંને કિવા ઢોરોને કરમ પડયા હોય તે ઉપર : પાલાને રસ કાઢી તેમાં તેટલી જ છાશ નાખવી અને ગંધક 1 તોલો અને હિંગ 5 તોલા લઈ, બંનેની ભૂકી કરી તેમાં મિશ્ર કરી પાવી . વાછરડાંને આપવાનું હોય તો રસ નવ યંક અને ઔષધો અથશ જોઈએ .
કૂંવાડિયાનો છોડ ચામડીના રોગોનું ઉત્તમ ઔષધ છે.
વિજ્ઞાન
તેનાં પાનમાં એમોડીન નામનું એક ગ્લુકોસાઈડ મળે છે.જે ક્રાઈસોફેનિક એસિડ જેવું હોય છે. એના પાનમાં કેર્થાિટન નામનું એક વિરેચક દ્રવ્ય, એક લાલ રંગનું દ્રવ્ય સેમજ સલ્ફેટ, ફોસ્ફેટ, કેલ્શીયમ, લોહ, સોડીયમ, પોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો હોય છે. રસાયન ઔષધ છે. Microsporon , Trichophyton , Epidermophyton જેવી ફુગ જન્ય બિમારીઓ માટે કામ કરે છે. લોહ, સલ્ફેટ, ફોસ્ફેટ, કેલ્શિયમ, મેગ્નેશ્યમ સોડિયમ, પોટેશિયમ છે.
Aloe-emadin , Chrysophanol નામનાં રસાયણ ખંજવાળ અને સોરાયસીસના ચકામા પર ઝડપથી અસર કરે છે.
શીળસ
શીળસમાં મૂળનું ચૂર્ણ એ આ શીતપિત્તનું ઉત્તમ ઔષધ છે. ચૂર્ણ દિવસમાં બે વાર ઘીમાં મેળવીને ચાટી જવું. શીળસમાં ઘણો લાભ જણાશે.
શરીરે સોજા મટાડે છે. પાનનો ઉકાળો પીવો.
બાળકોને દાંત
8 મહિના પછી બાળકોને દૂધિયા દાંત આવવાની શરૂઆત થાય છે. પાનનો ઉકાળો કરી સવાર-સાંજ અડધી-અડધી ચમચી આપવાથી દાંત સરળતાથી આવે છે, બાળકની શક્તિ વધે છે.
આયુર્વેદનો એક મહત્વપૂર્ણ છોડ છે. બારમાસી છે.
પાંદડાઓનો દારૂ અથવા સરકો બને છે.
જડીબુટ્ટી કફ
નર્વ ટોનિક, હૃદય ટોનિક, હૃદયના સ્નાયુઓ માટે સારું છે.
શરીરમાં ચેપ
યકૃત ઉત્તેજક, હળવા રેચક,
કોલેસ્ટરોલના સ્તરને જાળવવામાં મદદ કરે છે.
હરસની સારવારમાં ઉપયોગી સાબિત થાય છે.
આંતરડાની હલનચલનથી થતી પીડાથી રાહત આપે છે.
તેનો પાઉડર અપચો સાથે વ્યવહાર કરવામાં મદદ કરે છે, ને સ્વર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે.
તેના પાંદડામાંથી કાઢવામાં આવતા રસનો ઉપયોગ ત્વચાના રોગો, ફોલ્લીઓ અને એલર્જીના કિસ્સામાં થાય છે.
વિવિધ ઝેરના કિસ્સામાં તે મારણ તરીકે પણ વપરાય છે.
પેટનું ફૂલવું, આંતરડા, શ્વાસનળીનો સોજો અને રક્તવાહિની વિકારોમાં ઉપયોગી છે.
બીજ શુદ્ધ, ટોનિક અને એન્ટિપ્રાયરેટિક છે. શેકેલા બીજ ઉત્તમ મૂત્રવર્ધક પદાર્થ છે. પાઉડરડ બીજનો ઉકાળો હળવા શુદ્ધિકરણ છે.
પૌષ્ટિક અને ઝેરી છે. શ્વસન એલર્જી, પાંદડાઓ મેલેરિયા, ત્વચાની તીવ્ર બળતરા,
પેટનો વિકાર
બ્લડ ડિસઓર્ડર
કબજિયાત
ડિસ્પોન્સિયા
ગ્રંથિની બળતરા
સ્થૂળતા
ત્વચા રોગ
શિળસ
પ્રજનન રોગો
ઔષધીય ગુણધર્મોથી ભરપુર છે.
તત્વો
એન્થેલ્મિન્ટિક: પરોપજીવી કૃમિ નાશ કરવા માટે વપરાય છે.
એન્ટીઓકિસડન્ટો: ફ્રી રેડિકલ અને અન્ય પદાર્થોના ઓક્સિડેન્ટ અસરોને બેઅસર કરો.
એન્ટિપેરેસીટીક: શરીરમાંથી પરોપજીવી કૃમિ (હેલ્મિન્થ્સ) અને અન્ય આંતરિક પરોપજીવીઓને બહાર કાઢે છે.
એન્ટિપેરિઓડિક: મેલેરિયાની જેમ, રોગના લક્ષણોની નિયમિત પુનરાવર્તનને રોકે છે.
એન્ટિસેપ્ટિક: ચેપી એજન્ટોના વિકાસને અવરોધિત કરીને ચેપ અટકાવવા માટે સક્ષમ.
હતાશા: શુદ્ધિકરણ એજન્ટ.
હેપેટોપ્રોટેક્ટીવ: યકૃતના નુકસાનને અટકાવે છે.
રેચક: આંતરડાના ડ્રેનેજને પ્રોત્સાહન આપવા માટે.
મજબૂત: અસરકારક રીતે રેચક.
પેટ: ગેસ્ટ્રિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે.
વર્મીફ્યુજ: એન્ટિલેમિન્ટિક દવા.
આયુર્વેદિક ગુણધર્મો અને કાર્યો
ક્રિમિગ્ના: બાહ્ય અને આંતરિક કૃમિ દ્વારા સર્જાયેલા તમામ ચિહ્નો, લક્ષણો અને ગૂંચવણો મટાડે છે.
રક્તપિત્ત: લોહીની અશુદ્ધિઓને દૂર કરે છે.
સ્ક્રૂટિનાઇઝ કરો: ધીમે ધીમે પાતળા અને આમ તેમની સિસ્ટમની સફાઇ કરીને શરીરના નબળા અને નબળી ગયેલા ઘટકો દૂર કરે. ત્વચા કોસ્મેટિક તરીકે વપરાય છે.
કોફીના વિકલ્પ તરીકે બીજનો ઉપયોગ થાય છે.
તેમની પાસે નોંધપાત્ર એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો છે.
તેઓ યકૃતને નુકસાનથી સુરક્ષિત કરે છે.
તેનો ઉપયોગ દાદર, આંખના રોગો અને ચેપગ્રસ્ત ઘાને મટાડવા માટે થાય છે.
બ્લડ પ્રેશર ઘટાડવા માટે વપરાય છે.
તેના બીજ ના સેવનથી કબજિયાતમાં રાહત મળે છે.
એરિસ્પેલાસ: તે એક તીવ્ર છે, કેટલીકવાર બેક્ટેરીયલ ચેપને લીધે થતો રોગ છે, જે ત્વચા પર મોટા ઉભા થયેલા લાલ ફોલ્લીઓ દ્વારા થાય છે.
ખરજવું: આ એક એવી સ્થિતિ છે જેમાં ત્વચાના પેચો ખરબચડા અને ફોલ્લા બને છે જેનાથી ખંજવાળ આવે છે અને રક્તસ્રાવ થાય છે.
લોહીની મરડો, અતિસાર – પાનનો રસ મીઠું ભેળવીને આપવામાં આવે છે.
કાર્બનર્સ, મસાઓ – લીંબુના રસ સાથે રૂટ પેસ્ટ લગાવવામાં આવે છે. અથવા ગરમ પાનની પેસ્ટ લગાવવામાં આવે છે.
મધમાખી ડંખ – ઉપરથી પાકા પાન લગાવવામાં આવે છે.
તાવ – પાનનો ઉકાળો આપવામાં આવે છે.
પરુ – ગરમ પાનની પેસ્ટ લગાવવામાં આવે છે.
આંતરડાની પરોપજીવીઓ – છોડનો ઉકાળો આપવામાં આવે છે.
ખાંસી – પાંદડા નો રસ આપવામાં આવે છે.
માસિક વિકૃતિઓ – આખા છોડનો ઉકાળો આપવામાં આવે છે.
સોરાયિસિસ – પાનનો રસ ઉપરથી લગાવવામાં આવે છે.
લોહી શુદ્ધિકરણ – મૂળ રક્ત અને ટોનિકનો શુદ્ધિકરણ છે. શતાવરીનો છોડ રેસમોસસ અને સીડા કોર્ડીફોલીઆ (બાલા) ના સૂકા મૂળના સમાન ભાગોનો ઉકાળો તેને પ્રવાહીના મૂળ વજનના આઠમા ભાગ સુધી ઘટાડે ત્યાં સુધી તેને 32 ગણા પાણી સાથે ઉકાળીને બનાવવામાં આવે છે. સ્ક્રેફુલા – (ગ્રંથીઓની તીવ્ર બળતરા, ખાસ કરીને લસિકા ગ્રંથીઓની બળતરા)
રક્તપિત્ત – યુફોર્બીયા નેરીફોલીયા (થુહર) ના દૂધિયું રસમાં કેસીઆ તોરાના બીજ થોડા સમય માટે પલાળીને રહે છે. આ બીજ ગાયના પેશાબ સાથેની પેસ્ટમાં ફેરવે છે. પેસ્ટ અસરગ્રસ્ત ભાગો પર લાગુ થાય છે.
જાતીય ખામી – કેસીયા તોરાના મૂળમાં દરરોજ 3-5 ગ્રામ ઘી અને ખાંડ મિક્ષ કરવામાં આવે છે. સવાર સવારે આપવામાં આવે છે.
ચેતવણી
ટૂંકા ગાળા માટે ઓછી માત્રામાં કેસિઆ તોરા લેવાનું સલામત છે.
વધારે માત્રામાં ન લો.
ઓછી માત્રામાં આરબીસી, ઓછું વજન અને પાણીનો વપરાશ જેવા ઉચ્ચ ડોઝમાં તેની ઘણી ખરાબ અસરો છે. પુરુષોમાં વીર્યની ગણતરીનું કારણ ઓછું હોઈ શકે છે.
હળવા મૂત્રવર્ધક પદાર્થ અસર હોઈ શકે છે.
લાંબા સમય સુધી લેવી જોઈએ નહીં.
કૂંવાડિયાના નામ
કૂંવાડિયાને કાસુંદરો, કાસમર્દ, નવવાડ, પ્રપુન્નાડ, ચક્રમર્દ, એડગજ, ચકવડ, પવાડ, પુંવાડીયો, દદ્રઘ્ન, કૂવાડિય, તરીટા, ટાકળા, પવાડ, ચક્વડ, એડાંગી, ચાકુંદ, રાટકાટા, ટકરીકે, સલગિતગચે, ટોટયમુ, તગિરિસ, તગરે, વંદુ, તર્જકુ, મલાવ તકર, તેકિવો, સંજીસવાયા, ઓવલલીડ કેશ્યા, કેશ્યા કહે છે. oval-leafed cassia, cassia tora.
આ માહિતી શૈક્ષણિક છે. ઉપચાર કરવા માટે વૈદ્ય પાસે સલાહ લેવી.