કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ’ એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહિ . તે સ્થાપ્યું ત્યારથી આમ જ ચાલ્યું છે . એટલે કે તેમાં સંસદ કે લોકો પ્રત્યે કોઈ પણ પ્રકારે ઉત્તરદાયિત્વ ઊભું થતું નથી . માહિતી અધિકાર ધારા હેઠળ જ્યારે માહિતી માંગવામાં આવી ત્યારે મનમોહનસિંહની સરકાર અને મોદીની સરકાર બંનેએ તેની આવકજાવકની વિગતવાર માહિતી આપવાનો ઇનકાર જ કર્યો છે.