કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે એમ સરકાર દ્વારા કહેવાયું છે . તેને પરિણામે આ નવું ફંડ વધુ પારદર્શક બનાવાયું છે એમ કહેવાય છે . તેના સલાહકાર બોર્ડમાં 10 સભ્યો હશે એમ પણ જણાવાયું છે . આમાંથી એક પણમાં કોંગ્રેસના પ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને તેથી કોંગ્રેસ તેનો વિરોધ કરે છે એમ પણ ભાજપ દ્વારા કહેવામાં આવે છે . પ્રશ્ન એ છે કે જો જૂનું ફંડ ખાનગી હતું તો નવું પીએમ કેર્સ ફંડ પણ ખાનગી જ છે અને તેનું ખાનગી સીએ દ્વારા જ ઓડિટ થશે અને કેગ દ્વારા નહિ . તેનો અહેવાલ પણ સંસદમાં રજૂ નહિ જ થાય કારણ કે તે પણ કોઈ ન કાયદા દ્વારા કે સરકારી ઠરાવ દ્વારા રચવામાં આવ્યું નથી . એટલે કે તે બંધારણીય કે કાનૂની સંસ્થા છે જ નહિ . આ ફંડમાં પણ દાતાઓ કોણ છે અને કોણે કેટલી રકમ આપી છે તથા ફંડનો લાભ કઈ આપત્તિમાં કયા અસરગ્રસ્ત વિસ્તારોને કે લોકોને કેટલો ક્યારે મળ્યો છે તે જાહેર થશે નહિ .