રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પૂરું પહોંચતું નથી. ક્યાંક માંડ પહોંચી રહ્યું છે. આટલા પ્રમાણમાં કોથળીઓનો જથ્થો મળી આવતા કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. શું આ તમામ જથ્થો કોઇ વ્યક્તિ પાસે પહોંચ્યો હતો?, શું સરકારી અનાજમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે? સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોગને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરીશું.