Recommendation to change the timing of guj.gov. offices from 9.30 am to 5.10 pm गुजरात में सरकारी दफ्तरों का समय सुबह 9.30 बजे से बदलकर शाम 5.10 बजे करने की सिफारिश
27/04/2025
ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સરકારને 26 એપ્રિલ 2025ના રોજ સોંપવામાં આવ્યો છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’નો ધ્યેય ધ્યાનમાં લઈને સિટીઝન સેન્ટ્રિક-નાગરિક કેન્દ્રિત 10 ભલામણ કરી છે.
પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓ માટે ટેકનોલોજી પર ધ્યાન આપવામાં આવ્યું છે.
* સરકારી વેબસાઈટ યુઝર ફ્રેન્ડલી બનાવવી.
* સિટીઝન ચાર્ટર વધુ અસરકારક બનાવવાની જરૂરીયાત.
* તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઈન ઓન એક જ જગ્યાએથી કોઈપણ સરકારી સેવા કે યોજનાનો લાભ મળે.
* સરકારી પ્રમાણપત્રોનું વેરિફિકેશન ટેકનોલોજીના વિનિયોગથી થઈ શકે તેવી ક્યુ.આર. કોડ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવી.
* સોશિયલ મીડિયાનો વધુ અસરકારક ઉપયોગ થાય.
ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક મહિનામાં પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આપ્યો હતો. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયા છે.
વિષયો
(૧) સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી:
સરકારી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ માટેની(GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા GARCએ જણાવ્યું છે.
(૨) નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું:
સિટીજન ફર્સ્ટના અભિગમ સાથે તમામ નાગરિક સેવા વિતરણ વિભાગો માટે સેવાઓ તથા તે સેવાઓ પૂરી પાડવાની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ પદ્ધતિ અને જવાબદેહિતા અંગેની પ્રણાલી વિશે સંપૂર્ણ વિગતો સાથે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવાશે.
(૩) સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા:
તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવાની ભલામણ કરવામાં આવેલ છે જેથી કાર્યક્ષમ ઇન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરીને નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઈ શકે. વધુમાં, નાગરિકને વિવિધ લાભ મેળવવા માટે સમાન પ્રકારની ડેમોગ્રાફિક અને ઓળખ અંગેની માહિતી અલગથી દાખલ કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
(૪) ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી:
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર પ્રમાણપત્ર, લાઇસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઇનેબલ્ડ QR-આધારિત પદ્ધતિ વિકસાવશે.
(૫) ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવું:
હાલના SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવીને સરકાર વિવિધ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરશે. આ એકીકૃત પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદ નોંધાવવા માટે બહુવિધ ચેનલો પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે, ઇમેઇલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ, વગેરે.
(૬) અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું:
સરકાર ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ‘ વિકસાવશે જે અનુસાર બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowledge Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે જેથી સંસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય. આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે “Know Your Department” ના થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થઇ શકે.
(૭) સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ:
સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.
(૮) બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ:
સરકાર આગામી છ મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સુચવાયુ છે.
(૯) શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો, જેથી અસરકારક કાર્ય દિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય:
કાર્યક્ષમતા વધારવા અને વર્ક – લાઇફ બેલેન્સના અભિગમે ધ્યાનમા રાખતા જઇને સરકારની ક્ષેત્રીય કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓના સત્તાવાર કાર્ય સમયને સવારે 09:30 થી સાંજે 05:10 વાગ્યાનો રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.
(૧૦) સરકાર દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ:
સરકાર સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઇન્ફોગ્રાફિક, સમજૂતી વાળા વિડિઓ વગેરેના જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલા લેશે. આ માટે સરકાર સોશિયલ મીડિયા હેન્ડલિંગ માર્ગદર્શિકા બનાવશે અને દરેક વિભાગ અને તેમની સંબંધિત ક્ષેત્રીય કચેરીઓમાં, પાયાના સ્તરે, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા માટે એક વિશિષ્ટ કાર્યબળ પણ સ્થાપિત કરવાની ભલામણ કરી છે.
GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયા, પંચના સભ્યો મુખ્ય સચિવ પંકજ જોષી અને સભ્ય સચિવ હારિત શુક્લા છે.
સુચનો મંગાવવામાં આવ્યા જેમાં ૨૧૫૦ પ્રતિભાવો અને ભલામણો પંચને મળ્યા હતા.